નેશનલ

EDના દરોડાથી રાજસ્થાન અને છત્તીસગઢના સીએમ થયા નારાજ

જીભ બની બેલગામ

ચૂંટણી પહેલા ખરાબ ભાષા નવી વાત નથી, પરંતુ જ્યારે કોઈ રાજ્યના વડા મોઢું ખોલીને ખુલ્લેઆમ બોલે છે, ત્યારે તે આશ્ચર્યજનક લાગે છે. રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત અને છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલ કોઈપણ ભોગે તેમના રાજ્યોમાં સરકારનું પુનરાવર્તન કરવા માંગે છે અને એ માટે તેઓ બેફામ શબેદોનો આશરો લઇ રહ્યા છે.

ભૂપેશ બઘેલે ચૂંટણીની જાહેર સભામાં કેન્દ્રીય એજન્સીઓ માટે અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. સીએમ અશોક ગેહલોતે તેમના નિવેદનનું પુનરાવર્તન કર્યું હતું. છત્તીસગઢના મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલે તેમની એક્સ પરની એક પોસ્ટમાં કહ્યું હતું કે આજે, શ્વાન અને બિલાડીઓ કરતાં વધુ ED અને IT લોકો રસ્તા પર ફરતા હોય છે.


તેમણે ઇડી માટે શ્વાન શબ્દનો પ્રયોગ કર્યો હતો. ભૂપેશ બઘેલે એક્સ પર જે પણ લખ્યું હતું, તે સીએમ ગેહલોતે રાજસ્થાનમાં મીડિયા સામે કહ્યું હતું. જો કે, જ્યારે વિવાદ થયો ત્યારે તેમણે કહ્યું કે હું આ મારા તરફથી નથી કરી રહ્યો, મેં એક મુખ્ય પ્રધાનને ટાંકીને આ કહ્યું છે. ગેહલોતે તપાસ એજન્સીઓ પર કેન્દ્રના ઈશારે કામ કરવાનો આરોપ લગાવ્યો હતો.

મુખ્ય પ્રધાન બઘેલની આ ટિપ્પણી અંગે રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન રમણ સિંહે કહ્યું હતું કે અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને મુખ્ય પ્રધાન પોતાને સાચા કોંગ્રેસી હોવાનું સાબિત કરી રહ્યા છે. રમણ સિંહે દાવો કર્યો હતો કે – છેલ્લા પાંચ વર્ષમાં છત્તીસગઢમાં ભ્રષ્ટાચારના નવા રેકોર્ડ બન્યા બાદ જો કોઈ કોંગ્રેસી સૌથી વધુ ડરી ગયો હોય તો તે મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલ છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, ‘જો કોઈ ભ્રષ્ટાચાર કરે છે, જો ED ન આવે તો શું ભારત રત્ન માટે આમંત્રણ આવશે? આ ભ્રષ્ટ કોંગ્રેસ સરકારના અનેક અધિકારીઓ, કર્મચારીઓ, કલેક્ટર મહિનાઓથી જેલમાં છે. જો તેને જામીન પણ ન મળે તો કાલે તે એમ પણ કહેશે કે કોર્ટ પર પણ ભાજપનું નિયંત્રણ છે.

EDએ છત્તીસગઢમાં વિવિધ કૌભાંડોને લઈને દરોડા પાડ્યા હતા. ઘણા અધિકારીઓ અને નેતાઓ જેલમાં પણ છે. EDએ છત્તીસગઢમાં અનેક કૌભાંડોની તપાસ દરમિયાન દરોડા પાડ્યા હતા. જેમાં દારૂ કૌભાંડ, ડાંગર કૌભાંડ, કોલસા કૌભાંડ, ગોબર કૌભાંડ સહિતના અનેક કૌભાંડો સામેલ છે. રાજસ્થાનમાં તાજેતરમાં પેપર લીક મામલે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ગોવિંદ સિંહ દોતાસરા અને ગેહલોતના નજીકના ગણાતા હુડલાના ઘર પર દરોડા પાડવામાં આવ્યા હતા. તો EDએ સીએમના પુત્ર વૈભવ ગેહલોતને પણ પૂછપરછ માટે સમન્સ જારી કર્યા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ડાયાબિટસના દર્દીઓએ મેથીના દાણા કે મેથીનું પાણી પીવું ફાયદાકારક છે નહીં? સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ…