અમરેલી

સાવરકુંડલામાં આઠ વર્ષના બાળકની આંખની પાંપણમાંથી જીવાત નીકળી…

અમરેલીઃ સાવરકુંડલામાં એક અજીબ કિસ્સો જોવા મળ્યો હતો. સાવરકુંડલાના 8 વર્ષના બાળકની આંખની પાંપણમાંથી જૂ નીકળવાની ઘટના સામે આવી હતી. લોકોના વાળમાં જૂ જોવા મળતી હોય છે પરંતુ આંખના પાંપણમાંથી જીવાત નીકળતા આશ્ચર્યજનક ઘટના સામે આવી હતી.

કેવી રીતે પડી ખબર
સાવરકુંડલાના આઠ વર્ષના બાળકની આંખની પાંપણમાંથી જૂ જોવા મળી હતી. બાળકને આંખમાં દુઃખાવો તેમજ ખંજવાળ આવતી હતી. ત્યારે બાળકે પોતાના પિતાને ફરિયાદ ડોક્ટર પાસે લઈ જઈ તપાસ કરાવવામાં આવી હતી. બાળકની આંખની પાંપણ ઉપરથી જીવાત નીકળતા ડોક્ટર પણ આશ્ચર્યચકિત થયા હતા. બાળકની તપાસ કરી તેની સર્જરી કરવામાં આવી હતી.

દોઢ કલાક ચાલી સર્જરી
દોઢ કલાકની સર્જરી બાદ બાળકના આંખની પાંપણમાંથી 28 જૂ અને 35 ઈંડા કાઢવામાં આવ્યા હતા. સમગ્ર મેડિકલ વિભાગમાં આ કિસ્સાને લઈને લોકો અચંબામાં પડ્યા હતા અને આ કિસ્સો વિજ્ઞાન ક્ષેત્રે પણ તપાસનો વિષય બન્યો છે.

આપણ વાંચો : આંખની રોશની તેજ કરવા માટે આ સુપરફૂડ્સનો રોજ કરો ઉપયોગઃ જૂઓ ચમત્કાર

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button