
નવી દિલ્હી: આજના સમયમાં મોબાઈલ વિના આપના રોજિંદા જીવનની કલ્પના થઈ શકે તેમ છે ખરી? સવારે ઊઠીએ ત્યારથી લઈને રાતે સૂઈએ ત્યાં સુધી મોબાઈલ વિના આપણે જાણે અધૂરા બની જઈએ છીએ. આજે વિશ્વ બ્રેઈન ટ્યુમર દિવસ છે, જેનો ઉદ્દેશ્ય લોકોને બ્રેઈન ટ્યુમર (મગજની ગાંઠ) જેવી ગંભીર બીમારી અંગે જાગૃત કરવાનો છે. મોબાઈલના સતત ઉપયોગથી મગજ પર થતી અસરો અને ખાસ કરીને બ્રેન ટ્યુમરના જોખમ અંગે ચર્ચાઓ થતી રહે છે.
શું છે બ્રેઈન ટ્યુમર
બ્રેઈન ટ્યુમર એવી સ્થિતિ છે જેમાં મગજના કોષો અસામાન્ય રીતે વધવા માંડે છે અને એક ગાંઠ (ટ્યુમર) બનાવે છે. આ ટ્યુમર બે પ્રકારના હોઈ શકે છે. પ્રથમ, સૌમ્ય (Benign) – આ ધીમી ગતિએ વધે છે અને કેન્સરગ્રસ્ત નથી હોતા. જ્યારે, મેલિગ્નન્ટ (Malignant) – આ કેન્સરગ્રસ્ત હોય છે અને ઝડપથી ફેલાય છે.
આ અંગે વાત કરતાં ન્યુરોલોજી વિભાગના એક પૂર્વ વડાએ જણાવ્યું હતુ કે, મોબાઈલ ફોનમાંથી નીકળતી રેડિયોફ્રિકવન્સી (RF) વિકિરણો આપણા મગજની નજીક જ રિસીવ અને ટ્રાન્સમિટ થાય છે. આથી કેટલાક લોકોને ચિંતા થાય છે કે શું આ રેડિયેશન બ્રેન ટ્યુમરનું કારણ બની શકે છે. જોકે, તેમનો મત છે કે આનો કોઈ સીધો સંબંધ નથી. તેઓ માને છે કે મોબાઈલ ફોનમાંથી નીકળતા રેડિયેશન બ્રેન ટ્યુમરના જોખમને ‘ટ્રિગર’ કરી શકે છે.
વૈજ્ઞાનિકો આ વિષય પર ઘણા વર્ષોથી સંશોધન કરી રહ્યા છે. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) ની એક એજન્સી IARC (ઇન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર) એ 2011 માં મોબાઈલ ફોનમાંથી નીકળતી RF રેડિયેશનને ‘સંભવિત કાર્સિનોજેનિક’ (possibly carcinogenic) ની શ્રેણીમાં મૂકી હતી. આનો અર્થ એ થાય કે મોબાઈલ ફોન અને બ્રેન ટ્યુમર વચ્ચે “સંભવિત” સંબંધ હોઈ શકે છે, પરંતુ તેના પાકા પુરાવા મળ્યા નથી.
કેટલાક સંશોધનોમાં એવું જાણવા મળ્યું છે કે જે લોકો લાંબા સમય સુધી એટલે કે 10 વર્ષ કે તેથી વધુ મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે, તેમનામાં ગ્લિઓમા જેવા અમુક ખાસ પ્રકારના બ્રેન ટ્યુમરનું જોખમ થોડું વધી શકે છે. જોકે, બીજી બાજુ, ઘણા મોટા અને લાંબા અભ્યાસોએ મોબાઈલ ફોનના ઉપયોગ અને બ્રેન ટ્યુમર વચ્ચે કોઈ સ્પષ્ટ સંબંધ શોધી શક્યા નથી.
બ્રેન ટ્યુમરના લક્ષણો શું છે?
સૌમ્ય (Benign): આ ટ્યુમર ધીમી ગતિએ વધે છે અને કેન્સરગ્રસ્ત હોતા નથી.
મેલિગ્નન્ટ (Malignant): આ ટ્યુમર કેન્સરગ્રસ્ત હોય છે અને ઝડપથી ફેલાય છે.
બ્રેન ટ્યુમરના કેટલાક સામાન્ય લક્ષણોમાં તીવ્ર માથાનો દુખાવો, ઊલટી, આંચકી (દૌરા), દ્રષ્ટિમાં ધૂંધળાપણું, યાદશક્તિમાં ઘટાડો અને બોલવામાં મુશ્કેલી શામેલ હોઈ શકે છે.
આટલી સાવચેતી રાખવી જરુંરી
ભલે હજુ પાકા પુરાવાઓ ના હોય પરંતુ મોબાઈલ ફોનનો ઉપયોગ તેનું એક મહત્વનું કારણ છે તેમ માનવામાં આવે છે. આ માટે થોડી સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી બની રહે છે. જેમ કે ફોનનો સીધો સંપર્ક માથા સાથે ટાળવા માટે ઇયરફોન અથવા સ્પીકર મોડ નો ઉપયોગ કરો. શક્ય તેટલો બાળકોને મોબાઈલનો ઓછો ઉપયોગ કરવા દો, કારણ કે તેમનું મગજ વધુ સંવેદનશીલ હોય છે. તે સિવાય કોલ્સને ટૂંકા રાખો અને જરૂર જણાયે ચેટિંગ અથવા વીડિયો કૉલને બદલે ટેક્સ્ટ મેસેજનો ઉપયોગ કરો. સૂતી વખતે મોબાઈલને માથાથી દૂર રાખો અને તેને એરપ્લેન મોડ પર રાખો.