HDFC અને ICICI Bankના ક્રેડિટ કાર્ડ હોલ્ડર્સ માટે એલર્ટ, પહેલી જુલાઈથી બદલાઈ રહ્યા છે આ નિયમ…

જો તમારી પાસે પણ દેશના સૌથી મોટી અને સુરક્ષિત ગણાતી બે બેંક આઈસીઆઈસીઆઈ બેંક (ICICI Bank), એચડીએફસી બેંક (HDFC Bank)ના ક્રેડિટ કાર્ડ હોલ્ડર છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે, કારણ કે પહેલી જુલાઈથી આ બંને બેંકોના ક્રેડિટ કાર્ડના નિયમમાં મહત્ત્વના ફેરફાર થવા જઈ રહ્યા છે, જેની અસર તમારા ખિસ્સા પર જોવા મળી શકે છે.
એચડીએફસી બેંકના ક્રેડિટ કાર્ડમાં આ પરિવર્તન મુખ્યત્વે રેન્ટ પેમેન્ટ, ઓનલાઈન ગેમિંગ અને વોલેટમાં પૈસા એડ કરવા પર લાગુ થશે. આ સાથે ઈન્શ્યોરન્સ ટ્રાન્ઝેક્શન પર મળનારા રિવોર્ડ પોઈન્ટની લિમિટમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. આ સિવાય આઈસીઆઈસીઆઈ બેંકના ક્રેડિટ કાર્ડમાં પણ ફેરફાર થવા જઈ રહ્યા છે, જેમાં એરપોર્ટ લાઉન્જ એક્સેસ, વોલેટમાં પૈસા નાખવા અને ઓનલાઈન ગેમિંગ વગેરેનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: તમારી પાસે પણ છે ICICI Bankનું ક્રેડિટ કાર્ડ? બે દિવસ બાદ થશે આ મહત્ત્વનો ફેરફાર, જાણી લેશો તો…
વાત કરીએ એચડીએફસી બેંક ક્રેડિટ કાર્ડમાં શું ફેરફાર થવા જઈ રહ્યો છે એની તો કોઈ કસ્ટમર ગેમિંગ પ્લેટફોર્મ પર એક મહિનામાં 10,000 રૂપિયાનો ખર્ચ કરે છે તો તેણે આ ખર્ચનો એક ટકો ચાર્જ આપવો પડશે. આ ચાર્જ 4,999 રૂપિયા પ્રતિ મહિના કરતાં વધારે નહીં હોય. આનો અર્થ એવો થયો કે તમે ગમે એટલો ખર્ચ કરો પણ ચાર્જ તો 4,999 રૂપિયા જ રહેશે.
આ સિવાય કોઈ કસ્ટમર પેટીએમ, મોબીક્વિક, ફ્રીચાર્જ કે ઓલા મની જેવા થર્ડ પાર્ટી એપના વોલેટમાં પોતાના એચડીએફસી ક્રેડિટ કાર્ડથી એક મહિનામાં 10,000 રૂપિયાથી વધુ રકમ નાખે છે તો તેણે એના પર એક ટકો ચાર્જ આપવો પડશે. યુટિલિી પેમેન્ટમાં પણ તમે 50,000 રૂપિયાથી વધુ ખર્ચ કરો છો તો એક ટકાનો ચાર્જ ચૂકવવો પડશે.
આઈસીઆઈસીઆઈ બેંક દ્વારા પણ કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. હવે કેશ ડિપોઝિટ, ચેક ડિપોઝિટ કે ડિમાન્ડ ડ્રાફ્ટ અને પે ઓર્ડર ટ્રાન્ઝેક્શન પર એક અલગ ચાર્જ લાગશે. એક હજાર રૂપિયા પર કસ્ટમરે 2 રૂપિયાનો ચાર્જ આપવો પડશે. ઓછામાં ઓછા 50 રૂપિયા અને વધુમાં વધુ 15000 રૂપિયા સુધીનો ચાર્જ લાગી શકે છે. પહેલાં બેંક 10,000 રૂપિયાની સુધીની રકમ પર 50 રૂપિયા અને 1000 રૂપિયા પર પાંચ રૂપિયાનો ચાર્જ વસુલ કરતી હતી.
આ પણ વાંચો: HDFC Bankમાં છે તમારું ખાતું? તો તો આ સમાચાર તમારે જાણી લેવા જોઈએ, પછી કહેતા નહીં કે કીધું નહોતું…
એટીએમનો ઉપયોગ કરવા પર પણ બેંકે ચાર્જ વધારી દીધા છે. એટીએમના ત્રણ ફ્રી ટ્રાન્ઝેક્શન બાદ ફાઈનાન્શિયલ ટ્રાન્ઝેક્શન માટે 23 રૂપિયા અને નોન ફાઈનાન્શિયલ ટ્રાન્ઝેક્શન માટે 8.5 રૂપિયાનો ચાર્જ વસૂલવામાં આવશે. આઈસીઆઈસીઆઈ બેંકના ક્રેડિટ કાર્ડના નવા નિયમ અનુસાર માત્ર એ જ ક્રેડિટ કાર્ડ યુઝર્સને ડોમેસ્ટિક એરપોર્ટ લાઉન્જની ફ્રી સર્વિસ મળશે, જેમણે પહેલા ત્રિમાસિક કાર્ડમાં ઓછામાં ઓછા 75,000 રૂપિયા ખર્ચ કર્યા હશે. આ સુવિધા ત્રણ મહિના માટે મળશે.