મુકેશ અંબાણીએ ગુરુ દક્ષિણામાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેકનોલોજીને 151 કરોડનું દાન આપ્યું

મુંબઈ સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેકનોલોજીને ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ 151 કરોડ દાન આપ્યું છે. મુકેશ અંબાણી વર્ષ 1970ના દાયકામાં અહીંથી સ્નાતક થયા હતા. પ્રોફેસર એમએમ શર્માના જીવનચરિત્ર ‘ડિવાઇન સાયન્ટિસ્ટ’ ના પ્રકાશન માટે આયોજિત સમારોહ દરમિયાન જાહેરાત કરી હતી. મુકેશ અંબાણીએ જણાવ્યું કે રૂપિયા 151 કરોડનું આ દાન તેમના માટે ગુરુ દક્ષિણા છે જે તેમણે પ્રોફેસર શર્માના નિર્દેશો અનુસાર આપ્યું છે.
પ્રોફેસર શર્માએ ભારતીય ઉદ્યોગોને લાઇસન્સ રાજમાંથી મુક્ત કરાવ્યા
આ અંગે મુકેશ અંબાણીએ પોતાના અભ્યાસના દિવસોને યાદ કરતાં કહ્યું કે પ્રોફેસર શર્મા દ્વારા આપવામાં આવેલા પહેલા વ્યાખ્યાનથી તેમને કેવી રીતે પ્રેરણા મળી. તેમજ પ્રોફેસર શર્માએ કેવી રીતે ભારતના આર્થિક સુધારાના શિલ્પી તરીકે ભૂમિકા ભજવી. પ્રોફેસર શર્માએ પોલીસી મેકરને સમજાવ્યું કે ભારતના વિકાસનો એકમાત્ર રસ્તો ભારતીય ઉદ્યોગને લાઇસન્સ રાજમાંથી મુક્ત કરવાનો છે.
ભારતીય ઉદ્યોગને વૈશ્વિક કક્ષાએ લઈ જવાનું સ્વપ્ન જોયું હતું
જેના લીધે ભારતીય કંપનીઓ મોટા પાયે ઉત્પાદન કરી શકશે. આનાથી ભારતની આયાત પરની નિર્ભરતા ઓછી થશે અને આપણે વૈશ્વિક સ્પર્ધાનો સામનો કરી શકીશું. અંબાણીએ વધુમાં કહ્યું, મારા પિતા ધીરુભાઈ અંબાણીની જેમ, પ્રોફેસર શર્માએ પણ ભારતીય ઉદ્યોગને વૈશ્વિક કક્ષાએ લઈ જવાનું સ્વપ્ન જોયું હતું.
વિજ્ઞાન અને ટેકનોલોજી સમૃદ્ધિના દરવાજા ખોલશે
મુકેશ અંબાણીએ વધુમાં કહ્યું, આ બે હિંમતવાન સ્વપ્નદ્રષ્ટાઓ માનતા હતા કે ખાનગી ઉદ્યોગસાહસિકતા સાથે વિજ્ઞાન અને ટેકનોલોજી સમૃદ્ધિના દરવાજા ખોલશે. ભારતીય રસાયણ ઉદ્યોગના ઉદય માટે પ્રોફેસર શર્માના પ્રયાસોને શ્રેય આપતા અંબાણીએ તેમના ભાષણમાં તેમને ‘રાષ્ટ્ર ગુરુ- ભારતના ગુરુ’ ગણાવ્યા હતા.
આ પણ વાંચો - રેપો રેટમાં ઘટાડાથી બિલ્ડરોમાં આનંદ: હોમલોનના વ્યાજદર ઘટતાં ઘરવાંચ્છુઓને પણ રાહત…
હું પ્રોફેસર શર્મા માટે આ જાહેરાત કરતા ખૂબ ખુશ
જ્યારે ગુરુ દક્ષિણા વિશે વાત કરતા મુકેશ અંબાણીએ પ્રોફેસર શર્માના નિર્દેશો અનુસાર ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેકનોલોજી ને 151 કરોડ રૂપિયા દાન કર્યા. તેમણે કહ્યું જ્યારે તેઓ અમને કંઈક કહે છે ત્યારે અમે વિચારતા નથી. તેઓએ મને કહ્યું, મુકેશ તમારે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેકનોલોજી માટે કંઈક મોટું કરવું પડશે અને હું પ્રોફેસર શર્મા માટે આ જાહેરાત કરતા ખૂબ ખુશ છું.