IPL 2025નેશનલ

બેંગલુરુ ભાગદોડ કેસમાં વિરાટ કોહલી વિરુદ્ધ એફઆઇઆર અંગે પોલીસે આપ્યો આ જવાબ

બેંગલુરુ : આઇપીએલ 2025માં જીત બાદ આરસીબીની ઉજવણી દરમિયાન 4 જૂને બેંગલુરુમાં ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી ભાગદોડમાં 11 લોકોના મોત થયા છે અને ડઝનબંધ લોકો ઘાયલ થયા છે. આ કેસમાં ભારતીય ક્રિકેટર અને આરસીબીના સભ્ય વિરાટ કોહલી વિરુદ્ધ અરજી આપવામાં આવી છે. આ અંગે સામાજિક કાર્યકર્તા એચએમ વેંકટેશે બેંગલુરુના કમ્બન પાર્ક પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ આપી છે. જોકે પોલીસે હજુ સુધી એફઆઈઆર નથી નોંધી.

કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ

આ અંગે મળતી માહિતી મુજબ વેંકટેશે બેંગલુરુના કબ્બન પાર્ક પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે કોહલીએ આઇપીએમ દ્વારા જુગારને પ્રોત્સાહન આપ્યું અને તેના કારણે લોકો મોટી સંખ્યામાં ભેગા થયા હતા. જેના કારણે ભાગદોડ મચી ગઈ. વેંકટેશે કહ્યું આઇપીએલ કોઈ રમત નથી પરંતુ જુગારનો એક પ્રકાર છે જેણે ક્રિકેટને ભ્રષ્ટ કર્યું છે. વિરાટ કોહલી આરસીબી ટીમનો સૌથી અગ્રણી ચહેરો છે અને તે આ જુગારમાં સામેલ છે. તેમણે વધુમાં કહ્યું કે કોહલી અને તેની ટીમને એફઆઇઆરમાં આરોપી બનાવવી જોઈએ અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ.

પોલીસે કહ્યું અરજીની સમીક્ષા કરી

જોકે, આ અંગે પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે વિરાટ કોહલી સામે આપેલી અરજીની સમીક્ષા વર્તમાન કેસની તપાસના ભાગ રૂપે કરવામાં આવશે. તેમની સામે હજુ સુધી કોઈ અલગ એફઆઈઆર નોંધવામાં આવી નથી.

આ પણ વાંચો -‏‏‎ ચિન્નાસ્વામી સ્ટેડિયમ દુર્ઘટના: કર્ણાટક ક્રિકેટ ઍસોસિયેશનના સેક્રેટરી અને ખજાનચીનું રાજીનામું

ચાર લોકોની ધરપકડ

આ કેસમાં અત્યાર સુધીમાં કુલ ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમાં આરસીબીના માર્કેટિંગ મેનેજર નિખિલ સોસાલે અને ઇવેન્ટ મેનેજમેન્ટ સાથે સંકળાયેલા ત્રણ લોકોનો સમાવેશ થાય છે. 6 જૂનની સવારે કબ્બન પાર્ક પોલીસ અને સેન્ટ્રલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સંયુક્ત કાર્યવાહીમાં કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ પછી તબીબી તપાસ બાદ તેમને સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button