RCB પરેડ દુર્ઘટના: કર્ણાટક હાઈ કોર્ટે KCA સામે શિક્ષાત્મક કાર્યવાહી પર રોક લગાવી

બેંગલુરુ: RCB (રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ)ની વિક્ટ્રી પરેડ દરમિયાન ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે થયેલી નાસભાગમાં 11 લોકોએ જીવ ગુમાવ્યો હતો. જેને લઈને પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
કેટલાક લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. કર્ણાટક પોલીસે કર્ણાટક ક્રિકેટ એસોસિયેશન (KCA) સામે પણ FIR દાખલ કરી હતી. જેને લઈને કર્ણાટક ક્રિકેટ એસોસિયેશન અરજી લઈને હાઈ કોર્ટને શરણે ગયું હતું.
આપણ વાંચો: નિખિલ સોસલે કોણ છે? ચિન્નાસ્વામી સ્ટેડિયમ નાસભાગ કેસમાં શા માટે થઈ ધરપકડ?
કર્ણાટક ક્રિકેટ એસોસિયેશને કરી હાઈ કોર્ટમાં અરજી
કર્ણાટક ક્રિકેટ એસોસિયેશને પોતાની અરજીમાં દાવો કર્યો છે કે, “અચાનક આવેલી ભીડના કારણે થયેલી આ દુર્ઘટના હતી. જેથી KCAની વ્યવસ્થાપન સમિતિની કોઈ હેતુ કે ઈરાદો જવાબદાર નથી. કારણ કે સ્ટેડિયમના ગેટ અને ભીડનું વ્યવસ્થાપન RCSPL તરફથી કરવામાં આવ્યું હતું.
KCA તરફથી નહીં. RCSPL દ્વારા RCBની વિક્ટ્રી પરેડના આયોજન માટે સ્ટેડિયમ ભાડે લેવામાં આવ્યું હતું. KCAની અરજીમાં આગળ જણાવવામાં આવ્યું છે કે, “પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવાનો આદેશ એ પોલીસ વિભાગની નિષ્ફળતા દર્શાવે છે. તો પોલીસે અમને પણ પરેશાન કરી શકે નહીં.”
આપણ વાંચો: ચિન્નાસ્વામી સ્ટેડિયમ દુર્ઘટના: ભૂલ રોકી શકાઈ હોત… – પ્રિયાંક ખડગેએ સ્વીકારી પ્રશાસનની ચૂક
કર્ણાટક હાઈ કોર્ટનો શિક્ષાત્મક પગલા ન લેવાનો આદેશ
કર્ણાટક ક્રિકેટ એસોશિએશનની અરજીને લઈને કર્ણાટક હાઈ કોર્ટે કેટલાક આદેશ આપ્યા છે. હાઈ કોર્ટે આદેશમાં જણાવ્યું કે, “KCA અદાલતના અધિકાર ક્ષેત્રમાંથી બહાર નહીં જઈ શકે.
વચગાળાની વ્યવસ્થા અંતર્ગત રજીસ્ટ્રીને 16 જૂન સુધી ફરીથી સૂચિબદ્ધ કરવાનો આદેશ આપવામાં આવે છે. કોઈ પૂર્વગ્રહ વગર પ્રતિવાદીઓને આદેશ આપવામાં આવે છે કે, તે આર 2, 3, 4 સામે ઉતાવળમાં કોઈ કાર્યવાહી ન કરે.
જો તેઓને ધરપકડ કરવામાં આવે છે તો તેમના બંધારણીય અધિકારો પર અસર થશે. એટર્ની જનરલ આ દલીલનો વિરોધ કરશે કે, પસાર કરવામાં આવેલો વચગાળાનો કોઈ પણ આદેશ તપાસ/કમિશન/તપાસને અસર કરશે.”