એએમસીને અચાનક યાદ આવ્યું ને 41 કન્સ્ટ્રક્શન સાઈટ આ કારણે સીલ કરી દીધી
![AMC suddenly remembered and sealed 41 construction sites due to this](https://bombaysamachar.com/wp-content/uploads/2023/10/Mumbai-Samachar-by-Jignesh-53.jpg)
પ્રદુષણ અને ખાસ કરીને ખરાબ હવા માટે દેશની રાજધાની દિલ્હી બદનામ છે, પરંતુ ્મદાવાદ સહિતના ગુજરાતના શહેરોમાં પણ વાયુ પ્રદુષણ જોખમી માત્રામાં જોવા મળે છે. અમદાવાદ મહાનગરપાલિકાને શિયાળો શરૂ થતાં જ આ વાત યાદ આવી કે શું કે તેમણે એક બે નહીં પણ 41 કન્સ્ટ્રક્શન સાઈટ બંધ કરી દીધી હોવાનું જાણવા મળે છે.
એક અહેવાલ દ્વારા મળતી માહિતી અનુસાર અમદાવાદમાં વિવિધ વિસ્તારોમાં કન્સ્ટ્રક્શન સાઈટ પર રેતી, સિમેન્ટ, ડસ્ટ, વગેરે ઉડવાને કારણે ફેલાતા પ્રદૂષણને અટકાવવા માટે લીલા પડદા- ગ્રીન નેટ નહીં લગાવનાર 41 બાંધકામ સાઈટને ‘સીલ’ કરવામાં આવી છે. AMC દ્વારા શહેરના પૂર્વ ઝોનમાં સૌથી વધુ 25 કન્સ્ટ્રક્શન સાઈટને સીલ કરવામાં આવી છે.
શહેરના ઉત્તર- પશ્ચિમ ઝોનમાં 3, દક્ષિણ ઝોનમાં 6, પશ્ચિમ ઝોનમાં 3, ઉત્તર ઝોનમાં 3 અને દક્ષિણ- પિશ્ચિમ ઝોનમાં 1 બાંધકામ સાઈટને સીલ કરવામાં આવી છે. આગામી દિવસોમાં AMC દ્વારા ઝુંબેશના ભાગરૂપે અન્ય બાંધકામ સાઈટોને પણ ચેક કરી અને કાર્યવાહી કરવામાં આવશે, તેવી માહિતી સૂત્રો દ્વારા મળી હતી.
મળતી માહિતી અનુસાર એએમસીના કમિશનર રાઉન્ડ પર નીકળા ત્યારે તેમને બાંધકામ સાઈટ પર ગ્રીન નેટ નહીં જોવા મળતાં રીવ્યુ મીટિંગમાં એસ્ટેટ- ટીડીઓ અધિકારીઓને ઝાટકયા હતા જેના ગ્રીન નેટ નહીં લગાવનાર બાંધકામ સાઈટને સીલ કરી હતી. કોમર્શિયલ અને રેસીડેન્સિયલ બાંધકામ સાઈટો પર બિલ્ડરો દ્વારા ગ્રીન નેટ, સેફ્ટી નેટ, બેરીકેટિંગ કરવામાં આવતું નથી. વાયુ પ્રદુષણ ઉપરાંત સુરક્ષાને લઈને પણ અનેક સવાલો ઉભા થાય છે.
બાંધકામ સાઈટોની ધૂળો અને રજકણો ઉડવાથી વાયુ પ્રદુષણ ફેલાય છે અને લોકો રોગોનો શિકાર બને છે. વાહનની ધૂમાડા ઉપરાંત પ્રદુષણનું આ પણ એક મોટું કારણ છે.