આમચી મુંબઈગાંધીધામસ્પેશિયલ ફિચર્સ

જુલાઈથી કચ્છ જવું બનશે વધુ સરળ, પ્રવાસીઓને મળશે આ ખાસ સુવિધા, અત્યારે જ જાણી લો…

મુંબઈઃ મુંબઈ માદરે વતન કચ્છ જવા માટે મોટાભાગના પ્રવાસીઓ કચ્છ એક્સપ્રેસ કે સયાજીનગરી ટ્રેનમાં પ્રવાસ કરવાનું પસંદ કરે છે. પરંતુ હવે મળતી માહિતી અનુસાર જુલાઈ મહિનાથી તો પ્રવાસીઓ માટે કચ્છ જવાનું વધારે સરળ બનશે.

પશ્ચિમ રેલવે દ્વારા દર ગુરુવારે બાંદ્રાથી ગાંધીધામ વચ્ચે દોડાવવામાં આવતી સ્પેશિયલ ટ્રેનને ઓગસ્ટ સુધી લંબાવવામાં આવતા પ્રવાસીઓમાં આનંદની લહેર દોડી ગઈ છે. આવો જોઈએ શું છે આ માહિતી…

આપણ વાંચો: મે-જૂન મહિનાની ભીડને પહોંચી વળવા રેલવેએ જાહેર કરી બે સ્પેશિયલ ટ્રેન…

મળતી માહિતી અનુસાર પશ્ચિમ રેલવેના અધિકારીઓ સમક્ષ લાંબા સમયથી ગાંધીધામ-પુરીની સ્પેશિયલ ટ્રેનને ગાંધીધામ-મુંબઈ વચ્ચે દોડાવવાની માગણી કરવામાં આવી રહી હતી અને હવે મુંબઈથી કચ્છ જતા પ્રવાસીઓની સ્પેશિયલ ટ્રેન મળી છે. હાલમાં આ ટ્રેન દર ગુરુવારે ગાંધીધામ-મુંબઈ વચ્ચે દોડાવવામાં આવે છે અને આ ટ્રેનને જ 14મી ઓગસ્ટ, 2025 સુધી લંબાવવામાં આવી છે.

બાંદ્રા-ગાંધીધામ સ્પેશિયલ ટ્રેન (09415) દર ગુરુવારે બાંદ્રા ટર્મિનસથી સાંજે 7.25 કલાકે ઉપડીને બીજા દિવસે સવારે 8.40 કલાકે ગાંધીધામ પહોંચશે. રિટર્ન જર્નીમાં ગાંધીધામ-બાંદ્રા સ્પેશિયલ ટ્રેન (09416) દર ગુરુવારે રાતે 12.30 કલાકે ગાંધીધામથી ઉપડીને બીજા દિવસે બપોરે 2.20 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે, એવી માહિતી સામે આવી રહી છે.

આપણ વાંચો: આઈપીએલઃ ધરમશાલામાંથી ખેલાડીઓને સ્પેશિયલ ટ્રેન દ્વારા મોકલવામાં આવશે દિલ્હી

અધિકારીઓએ વધુમાં એવું પણ જણાવ્યું હતું કે આ ટ્રેનનો ફેર પ્રીમિયમ રેલવે ફેર હશે અને એમાં એસી, સ્લિપર અને જનરલ કોચનો સમાવેશ થાય છે. પશ્ચિમ રેલવેના આ નિર્ણયને કારણે કચ્છ જતાં પ્રવાસીઓનો પ્રવાસ સરળ બનશે, એવો વિશ્વાસ પણ વ્યક્ત કરાઈ રહ્યો છે.

છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરજો હં ને? આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button