નેશનલ

બેંગલુરુ ભાગદોડ કેસમાં પોલીસ એકશનમાં, આરસીબી ફ્રેન્ચાઇઝી સહિત અનેક લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ

બેંગલુરુ: આરસીબીએ આઈપીએલ 2025નો ખિતાબ જીત્યા બાદ બેંગલુરુમાં વિજયની ઉજવણી માટે એક સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ચિન્નાસ્વામી સ્ટેડિયમ નજીક થયેલી ભાગદોડમાં ઓછામાં ઓછા 11 લોકો માર્યા ગયા હતા અને 33 ઘાયલ થયા હતા. હવે આ કેસમાં RCB ફ્રેન્ચાઇઝી સહિત ઘણા લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે. મળતી માહિતી મુજબ બેંગ્લોર પોલીસે RCB ફ્રેન્ચાઇઝી, DNA એન્ટરટેઇનમેન્ટ, કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન અને અન્ય લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.

કઈ કલમોમાં કેસ નોંધવામાં આવ્યો હતો?

મળતી માહિતી મુજબ, બેંગલુરુમાં ભાગદોડના કેસમાં RCB, DNA (ઇવેન્ટ મેનેજર), KSCA વહીવટી સમિતિ અને અન્ય લોકો સામે ક્યુબન પાર્ક પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. આ એફઆઈઆર તોડફોડની ઘટનામાં ગુનાહિત બેદરકારી અંગેની છે. જેમાં પોલીસે નોંધેલી એફઆઇઆરમાં કલમ 105, 125 (1)(2), 132, 121/1, 190 R/W 3 (5) હેઠળ નોંધવામાં આવી છે.

આ પણ વાંચો: બેંગલુરુમાં આઇપીએલની જીતની ઉજવણી દરમિયાન માત્ર 1000 પોલીસ તૈનાત, અપૂરતી સુરક્ષા વ્યવસ્થાની પોલ ખૂલી

હાઈકોર્ટે સુઓમોટો અરજી લીધી

બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી ભાગદોડની કર્ણાટક હાઈકોર્ટે સુઓમોટો અરજી લીધી છે. કોર્ટે કર્ણાટક સરકાર પાસેથી ઘણા આકરા પ્રશ્નો પૂછ્યા છે. કોર્ટે સરકારને પૂછ્યું- જો ભવિષ્યમાં આવી કોઈ ઘટના બને છે, તો શું તમારી પાસે કોઈ યોજના છે. જેમાં રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલે કહ્યું- સરકાર આ બાબતને ગંભીરતાથી લઈ રહી છે. કોર્ટે ભાગદોડની ઘટના અંગે સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવાનો આદેશ આપ્યો છે. આ મામલે આગામી સુનાવણી 10 જૂને છે.

સરકાર અને આરસીબીએ વળતર જાહેર કર્યું

આરસીબી બેંગલુરુમાં થયેલી ભાગદોડ પર દુ:ખ વ્યક્ત કર્યું છે. આરસીબી એ મૃતકોના સંબંધીઓ માટે 10-10 લાખ રૂપિયાનું વળતર જાહેર કર્યું છે. આરસીબી કેર્સ ફંડ બનાવવાની પણ વાત થઈ છે જે આપત્તિના પીડિતોને મદદ કરશે. કર્ણાટક સરકારે મૃતકોના સંબંધીઓને 10-10 લાખ રૂપિયાનું વળતર અને ઘાયલોને મફત સારવાર આપવાની પણ વાત કરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button