ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર નાસભાગ થવાનું ખરું કારણ આવ્યું સામે…

ગઈકાલનો દિવસ આરસીબી ફેન્સ માટે ખૂબ દુઃખદ રહ્યો. 18 વર્ષે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આઈપીએલ-2025નો ખિતાબ પોતે નામે કર્યો એની ખુશી મનાવાઈ રહી હતી અને આ જ ખુશીમાં ભાગ લેવા પહોંચેલા લાખો ફેન્સ વચ્ચે અચાનક નાસભાગ મચી ગઈ અને 11 જણનો ભોગ લેવાયો જ્યારે અનેક જણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા.
પરંતુ આખરે આ નાસભાગ થઈ કઈ રીતે? આ નાસભાગ થવાનું ખરું કારણ સામે આવ્યું છે અને આ કારણ જાણીને તમે પણ ચોંકી ઉઠશો. આવો જોઈએ શું છે ખરું કારણ?
આપણ વાંચો: ચૅમ્પિયન ખેલાડીઓની ઇવેન્ટ માટે છેલ્લી ઘડીએ પરવાનગી મળતાં લાખો લોકોમાં નાસભાગ થઈ?
એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર સ્ટેડિયમની નજીક લાખોની સંખ્યામાં ફેન્સ આરસીબીને સપોર્ટ કરવા અને તેમની જિતને સેલિબ્રેટ કરવા પહોંચ્યા હતા. સાંજ થતાં થતાં અચાનક ભીડમાં એવી અફવા ફેલાવવા લાગી કે સ્ટેડિયમના ગેટ નંબર 7 પર ફ્રી ટિકિટ આપવામાં આવી રહી છે.
ફ્રી ટિકિટની સાથે સાથે ટીમ પણ આ જ ગેટથી સ્ટેડિયમમાં એન્ટ્રી લેશે એવી ધારણા ચાહકોમાં હતી. બસ આ બંને કારણે સ્ટેડિયમના ગેટ નંબર 7 પર ભીડ વધવા લાગી જ્યાં ન તો કોઈ લાઈન હતી, ન તો બેરિકેડિંગ હતી કે ન તો કોઈ ઘોષણા.
લોકોની ભીડ વધતાં એકબીજા પર પડવા લાગ્યા જેને કારણે લોકો ઈજાગ્રસ્ત થયા અને ભીડની નીચે દબાઈને મૃત્યુને ભેટ્યા.
પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર આ દુર્ઘટના પાછળ ચાર મુખ્ય કારણ હતા. આ કારણ નીચે પ્રમાણે છે-
આપણ વાંચો: ચિન્નાસ્વામી સ્ટેડિયમ નાસભાગ: કર્ણાટક હાઈકોર્ટે લીધી ગંભીર નોંધ, આજે સુનાવણી!
⦁ ફ્રી પાસની અફવા
⦁ વિક્ટરી પરેડને લઈને લોકોમાં અસમંજસ
⦁ વધતી જતી ભીડ
⦁ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મર્યાદિત સીટિંગ અરેન્જમેન્ટ
પોલીસે વધુમાં એવુ પણ જમાવ્યું હતું કે ઘટનાસ્થળે અવ્યવસ્થા અને અરાજકતા ત્યારે ફેલાઈ જ્યારે ટિકિટ વિના લોકોએ એ લોકોની સાથે સ્ટેડિયમમાં બળજબરી ઘુસવાનો પ્રયાસ કર્યો જેમની પાસે ઓફિશિયલ એન્ટ્રીના પાસ હતા. ઝપાઝપી, ધક્કા મુક્કીને કારણે લોકોમાં અફડાતફડી ફેલાઈ, જે બાદમાં જીવલેણ બની ગઈ.
વરસાદે પણ આ ઘટનામાં વિલનની ભૂમિકા ભજવી હતી. સાંજે સાડાપાંચ વાગ્યાથી શરૂ થયેલો વરસાદને કારણે પરિસ્થિતિ વધારે ગંભીર બની હતી. વરસાદને કારણે રસ્તા લપસણાં બનવા લાગ્યા અને લોકો પડવા લાગ્યા. બહારથી અંદર આવી રહેલાં લોકોને અંદર શું થઈ રહ્યું છે એની ગંધ પણ નહોતી આવી.