આપણું ગુજરાત

ગુજરાતમાંથી અચાનક 90 વિદેશી લાપતા! સુરક્ષા એજન્સી એલર્ટ

અમદાવાદઃ પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ બદલો લીધો હતો. એટલું જ નહીં પરંતુ ભારતે પાકિસ્તાન અને બાંગ્લાદેશ સામે પણ આકરા નિર્ણયો લીધા હતાં. ભારતમાં રહેતા પાકિસ્તાની અને બાંગ્લાદેશીઓને ભારત છોડી દેવા માટે આદેશ આપી દેવામાં આવ્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા દરેક રાજ્યોને આદેશ આપવામાં આવ્યો હતો કે, પોતાના રાજ્યમાં ગેરકાયદે રહેતા પાકિસ્તાની અને બાંગ્લાદેશીઓને શોધીને પાછા મોકલી દેવા માટે કહેવામાં આવ્યું હતું. જેથી ગુજરાતમાં પણ પોલીસ દ્વારા સઘન તપાસ અને કાર્યવાહી શરૂ કરવામાં આવે હતી.

20 પાકિસ્તાની અને 70 બાંગ્લાદેશી લાપતા થતા સુરક્ષા એજન્સીઓ સતર્ક

આ દરમિયાન એક ચોંકાવનારી વાત એ છે કે, ગુજરાતમાંથી 20 પાકિસ્તાનીઓ અને 70 બાંગ્લાદેશીઓ અચાનક લાપતા થયા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે ભારત સરકાર દ્વારા આપણાં દેશમાં રહેતા જાસૂસો પકડવા માટે સઘન તપાસ કરવામાં આવી રહી છે. આ કાર્યવાહી વચ્ચે ઓવર સ્ટે વિદેશીઓ અચાનક ફરાર થયા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

આ પણ વાંચો – ગુજરાતમાં નકલીનો સિલસિલો યથાવત! અમદાવાદમાંથી વધુ 2 બોગસ અધિકારી ઝડપાયા

ઓવર સ્ટે વિદેશીઓએ સુરક્ષા એજન્સીઓની ચિંતા વધારી

અત્રે ઉલ્લેખનીય છે કે, 20 પાકિસ્તાનીઓ અને 70 બાંગ્લાદેશીઓ લાપતા થતા અત્યારે સુરક્ષા એજન્સીએ સતર્ક થઈ ગઈ છે. અનેક રાજ્યોમાંથી અત્યારે પાકિસ્તાન માટે જાસૂસી કરતા જાસૂસોની ધરપકડ કરવામાં આવી રહી છે. કેટલાક જાસૂસોની ધરપકડ પણ કરવામાં આવી છે. પરંતુ અત્યારે લાપતા થયેલા ઓવર સ્ટે વિદેશીઓએ સુરક્ષા એજન્સીઓની ચિંતામાં ફરી વધારો કર્યો છે. દેશની સુરક્ષા માટે આ લોકોની કોઈ પણ કાળે ધરપકડ કરવી અનિવાર્ય છે. જેથી આ લોકોની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે તેવા કડક આદેશ આપી દેવામાં આવ્યાં છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button