નેશનલ

પાકિસ્તાનમાં બકરી ઈદ પહેલા આદેશ: ઈદ ઉજવશો તો 5 લાખ દંડ, જાણો શું છે મુદ્દો…

નવી દિલ્હી: બકરી ઇદ (Eid al-Adha) પહેલા પાકિસ્તાનની પંજાબ પ્રાંતની સરકાર(Punjab Province government) એક મોટો નિર્ણય લીધો છે, જેને કારણે અહમદિયા મુસ્લિમ સમુદાય(Ahmadiyya Muslim)માં રોષ ફાટી નીકળ્યો છે. પ્રાંતની મરિયમ નવાઝ સરકારે આદેશ આપ્યો છે કે જો અહમદિયા મુસ્લિમો કુર્બાની અને અન્ય ધાર્મિક વિધિઓમાં ભાગ લેશે તો તેમને સજા કરવામાં આવશે.

અહેવાલો મુજબ અહમદિયા મુસ્લિમો સરકારના આદેશનો વિરોધ કરી રહ્યા છે, પ્રાંતના ઘણા જિલ્લાઓમાં અહમદિયા સમુદાયના લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. તેમને સતત ધમકી આપવામાં આવી રહી છે કે તેઓ ઘરે પણ ધાર્મિક વિધિઓ નહીં કરે એમ સોગંદનામા પર સહી કરવી પડશે. આ સોગંદનામાના ઉલ્લંઘન પર 5 લાખ રૂપિયાનો દંડ ફટકારવાની જોગવાઈ પણ છે.

અહમદિયા સમુદાય સાથે ભેદભાવ:
1974ના બંધારણીય સુધારા હેઠળ અહમદિયા સમુદાયને બિન-મુસ્લિમ જાહેર કરવામાં આવ્યો છે, જે તેમને ધાર્મિક અને કાયદાકીય રીતે મુસ્લિમો જેવા અધિકારો આપવામાં આવતો નથી. તેમને જાહેરમાં નમાઝ પઢવા અને કુરાન વાંચવાથી પણ રોકવામાં આવ્યા છે.

આ ઉપરાંત, તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન અને તહરીક-એ-લબ્બૈક પાકિસ્તાન જેવા આતંકવાદી જૂથો પણ અહમદિયા સમુદાય સામે હિંસક હુમલાઓ કરી રહ્યા છે. ગયા વર્ષે જૂનમાં ઈદની કુરબાની અદા કરવા પર પંજાબ પ્રાંતમાં 36 અહમદિયા સભ્યોને ધરપકડ કરવામાં આવી હતી. આ વર્ષે માર્ચમાં, પંજાબના ખુશાબ જિલ્લામાં એક અહમદિયા કબ્રસ્તાનમાં લગભગ 100 કબરોનો તોડવામાં આવી હતી.

પંજાબ સરકારે અહમદિયા સમુદાયને ઈદ દરમિયાન ધાર્મિક કાર્યક્રમો ન યોજવા માટે સોગંદનામું રજૂ કરવા જણાવ્યું છે, જ્યારે પાકિસ્તાની કાયદા હેઠળ ખાનગી બલિદાન પર કોઈ પ્રતિબંધ નથી. નિષ્ણાતોનું માનવું છે કે આવા સોગંદનામા લાદવા ગેરકાયદેસર છે અને સ્થાનિક અધિકારીઓના અધિકારક્ષેત્રની બહાર છે.

પાકિસ્તાનમાં અહમદિયા સમુદાયની વસ્તી લગભગ 20 લાખ છે. આ સમુદાય માટે ધાર્મિક સ્વતંત્રતા અને સુરક્ષાની માંગ કરવામાં આવી રહી છે, પરંતુ વર્તમાન પરિસ્થિતિ ચિંતાજનક છે.

આપણ વાંચો : મુસ્લિમ દેશ મોરોક્કોમાં બકરી ઇદમા કુર્બાની પર લાગ્યો પ્રતિબંધ? કારણ ધર્મ નહીં પરંતુ…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button