ગુજરાતમાં કોરોનાના કેસમાં ઉછાળો: 24 કલાકમાં 119 નવા કેસ, એક્ટિવ કેસ 508 પહોંચ્યા!

ગાંધીનગર: ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-૧૯ના 119 નવા કેસ નોંધાયા છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર દ્વારા જારી કરવામાં આવેલી અખબારી યાદીમાં આ માહિતી આપવામાં આવી છે. ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 508 સુધી પહોંચી ગયો છે.
હાલ કુલ 460 એક્ટિવ કેસ
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની અખબારી યાદીમાં આપવામાં આવેલી વિગતો અનુસાર રાજ્યમાં હાલ કુલ 460 એક્ટિવ કેસ છે. આ 460 એક્ટિવ કેસમાંથી 18 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, જ્યારે 442 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે. આજના આંકડા મુજબ, 72 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે, જેનો અર્થ છે કે તેઓ સ્વસ્થ થઈ ગયા છે. જોકે, આજે કોવિડ-19 સંબંધિત એક પણ મૃત્યુ નોંધાયું નથી.
આ પણ વાંચો: અમદાવાદીઓ સાચવજો: કોરોનાથી દર કલાકે ત્રણ કેસ અને એક ડિસ્ચાર્જ
રાજ્યના અન્ય જિલ્લામાં પણ કોરોનાની એન્ટ્રી
ગુજરાતમાં કોરોનાના કેસનો પગપેસારો ધીમે ધીમે મહાનગરો સિવાય અન્ય જિલ્લાઓમાં પણ થઈ રહ્યો છે. ત્યારે હવે સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાની એન્ટ્રી થઈ છે. જિલ્લાના ધ્રાંગધ્રાનાં નરશીપરા અને આંબેડકરનગરમાં ૧-૧ કેસ અને રાજગઢ ગામમાં ૧ કેસ નોંધાયો હતો. તમામને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: કચ્છમાં કોરોનાની રફ્તાર ચિંતાજનકઃ એકજ દિવસમાં ચાર નવા કેસ
અત્યારે ગુજરાતમાં કોરોનાના જે નવા કેસ નોંધાઈ રહ્યા છે, તે ઓમીક્રોન પેટાટાઈપ વેરિયન્ટ LF.7.9 અને XFG Recombinant છે. જેમાં સંક્રમિત દર્દીને સામાન્ય તાવ, શરદી અને ખાંસી જેવા લક્ષણો જોવા મળી રહ્યાં છે. કોરોનાના વધી રહેલા કેસોને ધ્યાને લઈને આરોગ્ય વિભાગે નાગરિકોને સાવચેતી રાખવા સૂચના આપી છે. જો તમને શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો જેવા લક્ષણો જણાય, તો નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો જોઈએ. આ ઉપરાંત ખાંસી કે છીંક આવે, ત્યારે નાકનં મોં ઢાંકવું જોઈએ. જાહેર સ્થળોએ થૂંકવું નહીં અને અવારનવાર સાબથી હાથ ધોવા જોઈએ, તેમજ સેનેટાઈઝનો ઉપયોગ કરવો જોઈએ.