રાષ્ટ્ર હિતના વિચારો સાથે આઈટીઆઈમાં શિવરાજ્યાભિષેક દિવસે વિશેષ વ્યાખ્યાન શ્રેણી
વિદ્યાર્થીઓ માટે રાષ્ટ્રીય હિતના પાઠ: આગામી શૈક્ષણિક વર્ષમાં ડ્રોન, 3ડી અને એઆઈ સહિત છ નવા અત્યાધુનિક અભ્યાસક્રમો

મુંબઈ: છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેક દિવસ નિમિત્તે મહારાષ્ટ્રનાં કૌશલ્ય વિકાસ વિભાગ દ્વારા છ જૂનથી રાજ્યની તમામ આઈટીઆઈ સંસ્થાઓમાં દેશભક્તિ વિષયો પર વ્યાખ્યાન શ્રેણીનું આયોજન વિદ્યાર્થીઓમાં ભારતના ગૌરવશાળી ઇતિહાસ અને દેશ પ્રત્યે સમર્પણની ભાવના કેળવવા અને પર્યાવરણના સંરક્ષણની ભાવના જાગૃત કરવાના ઉદ્દેશથી કરવામાં આવ્યું છે, એવી માહિતી કૌશલ્ય, રોજગાર, ઉદ્યોગસાહસિકતા અને નવીનતા ખાતાના પ્રધાન દ્વારા મંત્રાલય ખાતે આયોજિત એક પત્રકાર પરિષદમાં આપી હતી.
આ વ્યાખ્યાન શ્રેણીનું ઉદ્ઘાટન છ જૂને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ દ્વારા વિડીયો સંદેશ આપીને કરવામાં આવશે. તેમણે એવી પણ માહિતી આપી હતી કે આગામી શૈક્ષણિક વર્ષથી આઈટીઆઈમાં છ અત્યાધુનિક વિષયોના નવા અભ્યાસક્રમો શરૂ કરવામાં આવશે.
આપણ વાંચો: આગ્રાની ઓળખ છત્રપતિ શિવાજી મહારાજ સાથે, મુઘલો સાથે નહિ! યોગીએ શા માટે આમ કહ્યું?
છત્રપતિ શિવાજી મહારાજે પોતાના બહાદુરીથી હિંદવી સ્વરાજ્યની સ્થાપના કરી હતી. તેમના વિચારોની આજે પણ સમાજ અને રાષ્ટ્રને ખૂબ જરૂર હોવાથી, કૌશલ્ય વિકાસ વિભાગે શિવરાજ્યાભિષેક નિમિત્તે રાજ્યભરની 1097 આઈટીઆઈમાં વ્યાખ્યાન શ્રેણીનું આયોજન કર્યું છે.
તેમણે એમ પણ જણાવ્યું હતું કે, પંચ પરિવર્તન ખ્યાલના મુખ્ય પાયાના વિષયો કૌટુંબિક જાગૃતિ, સામાજિક સંવાદિતા, પર્યાવરણની સુરક્ષા, નાગરિક ફરજો અને સ્વદેશી વિચારો છે અને આ વિષયોનો આ વ્યાખ્યાન શ્રેણીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
આપણ વાંચો: પૂર્વ જન્મમાં છત્રપતિ શિવાજી મહારાજ હતા નરેન્દ્ર મોદીઃ ભાજપના નેતાએ નિવેદન આપતા વિવાદ સર્જાયો
કૌશલ્ય વિકાસ વિભાગ દ્વારા રજૂ કરાયેલી નવી ખાનગી-જાહેર ભાગીદારી (પીપીપી) નીતિને ઉદ્યોગો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને આગામી શૈક્ષણિક વર્ષથી છ નવા અભ્યાસક્રમો શરૂ કરવામાં આવશે.
જેમાં સૌર ઉર્જા ટેકનિશિયન, ઇલેક્ટ્રિક વાહન ટેકનિશિયન, ડ્રોન ટેકનિશિયન, એઆઈ અને ઔદ્યોગિક રોબોટિક્સનો સમાવેશ થાય છે. રાજ્યભરમાં આઈટીઆઈમાં લગભગ 1,20,000 વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી છે અને આમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓને વિશ્ર્વ કક્ષાની આધુનિક તાલીમ મળશે.