RCB ના ફેન્સને ઝટકો: બેંગલુરુમાં નહીં યોજાય વિક્ટરી પરેડ, જાણો કારણ!

બેંગલુરુ: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની 18મી સીઝનની ફાઈનલ મેચ ગઈ કાલે મંગળવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી, જેમાં પંજાબ કિંગ્સ(PBKS)ને 6 રને હરાવીને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)એ પહેલીવાર IPL ટ્રોફી જીતી. દુનિયાભરમાં ફેલાયેલા RCBના ફેન્સ વિવધ રીતે ઉજવણી કરી રહ્યા છે. RCBની ટીમ ટ્રોફી સાથે તેના હોમ સીટી બેંગલુરુ પહોંચી છે. બેંગલુરુમાં રહેતા RCBના ફેન્સ વિક્ટરી પરેડની રાહ જોઈ (RCB Victory Parade) રહ્યા હતાં, પરંતુ બેંગલુરુ પોલીસે ફેન્સને ઝટકો આપ્યો છે.

બેંગલુરુ પોલીસે જાહેરાત કરી કે RCBની વિક્ટરી પરેડ સત્તાવાર રીતે રદ કરવામાં આવી છે. ઓપન-ટોપ બસ પર ખેલાડીઓની પરેડ માટે હજારો લોકો વિધાનસભાથી એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ સુધી જમા થઇ રહ્યા હતાં, ત્યારે પોલીસે સ્પષ્ટતા કરી હતી કે લોજિસ્ટિક્સ અને સુરક્ષા કારણોને ધ્યાનમાં રાખીને કોઈ જાહેર રોડ શો નહીં થાય.
જો કે સાંજે 5 થી 6 વાગ્યા દરમિયાન ચિન્નાસ્વામી સ્ટેડિયમ (Chinnaswami Stadium) ખાતે સન્માન સમારોહ યોજવામાં આવશે. પોલીસે જણાવ્યું કે ફક્ત માન્ય ટિકિટ ધરાવતા લોકોને જ પ્રવેશ આપવામાં આવશે.
પોલીસે જાહેર કરી એડવાઇઝરી:
કન્નડ અને અંગ્રેજીમાં જાહેર કરવામાં આવેલી એડવાઇઝરીમાં, પોલીસે નાગરિકોને બપોરે 3 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી વિધાનસભા અને ચિન્નાસ્વામી સ્ટેડિયમની આસપાસના રસ્તાઓ પર જવાનું ટાળવા વિનંતી કરી, કારણ કે ભારે ટ્રાફિક અને ભીડ એકઠી થઈ ગઈ છે.

સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટ (CBD) માં અપૂરતી પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ હોવાને કારણે પરેડ કરવામાં આવી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.
બેંગલુરુની સિવિલ અને ટ્રાફિક વિભાગ સ્ટેડિયમની નજીક ચાહકોની ભીડને નિયંત્રિત કરવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છે. લોકોને સાંજના સમયે સ્ટેડીયમ સુધી પહોંચવા માટે મેટ્રો અને અન્ય જાહેર પરિવહનનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે.