મનોરંજન

ટીવીનો આ કલાકાર કેન્સર સામેનો જંગ હાર્યોઃ મિત્રો-ફેન્સને લાગ્યો શોક

નિશા ઔર ઉસકે કઝિન્સમાં જોવા મળેલા અભિનેતા વિભુ રાઘવના મૃત્યુના સમાચાર આવ્યા છે. વિભુ કેન્સર સામેનો જંગ હારી ચૂક્યો છે અને તેના મોતની ખબરે મિત્રો અને ફેન્સને શોક આપ્યો છે. જોકે તેઓ ચોથા સ્ટેજના કૉલન કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા અને તેમની તબિતય ઘણા સમયથી નાજૂક રહેતી હતી. નિશા ઔર ઉસકે કઝિન્સ, સાવધાન ઈન્ડિયા, જેવા શૉમાં તેમણ અભિનય કર્યો હતો. વર્ષ 2022માં તેમને કેન્સર હોવાનું ડેટેક્ટ થઈ રહ્યું હતું અને તેઓ સારવાર હેઠળ હતા.

તેના મોતથી ખબરથી ફેન્સ સોશિયલ મીડિયા પર દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. વિભુ સોશિયલ મીડિયા પર ઘણો એક્ટિવ હતો. તેણે લોકોને ગંભીર બીમારીથી બચીને રહેવા બાબતે પણ ઘણી જાગૃતિ ફેલાવી હતી. પોતે કેવી કેવી તકલીફો વેઠી રહ્યો છે તે પણ તે પોતાના વીડિયો અને પોસ્ટના માધ્યમથી લોકો સુધી પહોંચાડતો હતો. જોકે તે હંમેશાં હસતા ચહેરા સાથે લોકો સામે આવતો અને પોતે કેન્સર સામે હિંમતથી લડી રહ્યો છે, તેમ તે કહેતો, પરંતુ કમનસીબે તેનું મોત થયું છે. છેલ્લે 17મી એપ્રિલે તે ઈન્સ્ટા પર એક્ટિવ દેખાયો હતો. તેની સારવાર માટે મિત્રોએ મદદની અપીલ પણ કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button