હેલ્થ

શરીરને બીમારીનું ઘર બનાવે છે પામ ઓઈલ, જાણો તેના સેવનથી થાય છે કેવું નુકસાન

આજની ભાગદોડથી ભરેલી જીવનશૈલીમાં લોકો પોતાના ખાનપાન પર ધ્યાન આપી શકતા નથી. તરત મળી જાય એવો ખોરાક ખાવાનું લોકો પસંદ કરી રહ્યા છે. આ ખોરાકમાં કંઈ કંઈ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે? બજારમાં મળતા ફાસ્ટ ફૂડ તથા પેકિંગમાં મળતા નમકિન વગેરેમાં ખરાબ ગુણવત્તાવાળા તેલનો ઉપયોગ કરવામાં આવે છે. પામ તેલ પણ આવું જ એક તેલ છે. જે હાઈ કોલેસ્ટ્રોલ અને હાઈ બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓને શરીરમાં આમંત્રણ આપે છે. જેથી હૃદય નબળું પડી જાય છે.

પામ તેલ તાડના ફળમાંથી મેળવવામાં આવે છે. આ તેલનો સૌથી વધારે ઉપયોગ પેકિંગવાળા ખોરાકમાં થાય છે. કારણ કે તે સૌથી સસ્તુ હોય છે. પરંતુ આ તેલ સામાન્ય તેલ કરતા વધારે હાનિકારક છે. આજના સમયમાં ઘણા લોકો ખાસ કરીને યુવાપેઢી પેકિંગવાળા ખોરાકનું વધારે સેવન કરી રહી છે, ત્યારે એ પણ જાણી લેવું જોઈએ કે તેના સેવનથી શરીરને કેવું નુકસાન થાય છે.

પામ ઓઈલમાં પોષક તત્ત્વો ઓછા અને સેચ્યુરેડેટ ફેટ વધારે હોય છે. તેથી તે શરીરમાં બેડ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારે છે. જેથી હાર્ટ એટેક અને સ્ટ્રોકનો ખતરો વધી જાય છે. પામ તેલનું વધારે માત્રામાં સેવન કરવાથી હૃદય સંબંધિત સમસ્યાઓ વધી જાય છે. એવું સંશોધનોમાં પણ સાબિત થઈ ચૂક્યું છે.

કેટલાક ફાસ્ટ ફૂડ અને પેકિંગવાળા ફૂડમાં ટ્રાંસ ફેટ વધારે હોય છે. કારણ કે તેના માટે પામ તેલનું હાઈડ્રોનાઈઝ્ડ કરવામાં આવે છે. ટ્રાંસ ફેટ હૃદય પર એકઠું થાય છે. જેથી હૃદયની કામગીરી નબળી પડી જાય છે.

આપણ વાંચો:  શું ફ્લાઈટમાં લઈ જઈ શકાય કેરી, શું છે નિયમ? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ…

પામ તેલમાં કેલેરી વધારે માત્રામાં હોય છે. જેથી આ તેલના સેવનની સાથોસાથ જો હાઈ ઈટેંસિટી વર્કઆઉટ ન કરવામાં આવે તો બહું જલ્દી વજન વધવા લાગે છે. જેથી વ્યક્તિ મોટાપાનો શિકાર બની જાય છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી નિષ્ણાતોના મંતવ્ય અને સંશોધનોના આધારે આપવામાં આવી છે. મુંબઈ સમાચાર તેની પૃષ્ટી કરતું નથી. ટિપ્સનો અમલ કરતા પહેલા તબીબી સલાહ લેવી જરૂરી છે.)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button