તરોતાઝા

આરોગ્ય પ્લસ : શરીરની આ કેટલીક તકલીફ વિશે પણ જાણી લો…

અત્યાર સુધી આ કોલમમાં આપણા શરીરેને પજવતા અમુક રોગ અને બીમારીઓ વિશે શક્ય હોય એટલા વિસ્તારથી- સચોટતાથી જાણવાનો પ્રયાસ કર્યો છે. એને નિવારવા દૂર કરવાના ઉપચાર ઉપાય વિશે પણ જાણ્યું. આમ છતાં આપણને રોજિંદા જીવનમાં પજવતી કેટલીક તકલીફો પણ હોય છે. ઉદાહરણ તરીકે…..

શરીરનું વજન ઘટાડવા-વધારવા માટે લોકો અનેક લોભામણી જાહેરાતોના માધ્યમે કાંઈ પણ વિચાર્યા વિના અનેક બિનજરૂરી દવાઓ અને ઉટપટાંગ પદ્ધતિઓનો આશરો લઈ સમય- પૈસા અને શરીરનો વ્યર્થ બગાડ કરતા હોય છે. આવી તકલીફો દૂર કરવા ઘરગથ્થુ ઉપચારો પણ આપણે જાણવા જોઈએ,જેમકે …..

વજન ઘટાડવા-વધારવાના ઉપાય
આજકાલ લોકો વજન ઘટાડવા કે વધારવાના અનેક ઉપાય અખતરા કરતા હોય છે, પરંતુ તે ઉપાયો કરતાં પહેલાં પોતાનું વજન કેટલું હોવું જોઈએ તે જાણવું આવશ્યક છે.

આધુનિક વિજ્ઞાને પોતાની ઊંચાઈના આધારે શરીરનું માપસરનું વજન કેટલું હોવું જોઈએ તેની ફોર્મ્યુલા નક્કી કરી છે, જેને B. M. I. ( Body Mass Index ) કહે છે.

B.M.I – વજન (કિલો)
રુઊંચાઈ (સે.મીર્)ી 2
100
ઉપરોકત ફોર્મ્યુલા મુજબ BMI શું સૂચવે છે તે જાણ્યા પછી સહજ એવા પ્રશ્ર્ન થાય કે પોતાનું માપસરનું વજન કેટલું હોવું જોઈએ? તેના બે દૃષ્ટાંત અહીં આપેલા છે.

ઉપરોકત ટેબલ પ્રમાણે 1 નંબરની વ્યક્તિના ઇ.ખ.ઈં. મુજબ એમનું વજન વધુ છે. માટે એમનું વધુમાં વધુ વજન આ ફોર્મ્યુલા મુજબ
વજન= 24.9 ડ રુ(ઊંચાઈ (સે.મી.ર્)ી2
100
66 કિલો હોવું જોઈએ. અને ઓછામાં ઓછું વજન આ ફોર્મ્યુલા મુજબ
વજન= 18.5 ડ રુ(ઊંચાઈ (સે.મી.ર્)ી2
100
50 કિલો હોવું જોઈએ.
આ રીતે જ 2 નંબરની વ્યક્તિના વજનની ગણતરી ઉપરોક્ત ટેબલમાં કરેલ છે. આમ દરેક વ્યક્તિ ઉપર જણાવેલ ફોર્મ્યુલા મુજબ પોતાનું માપસર વજન કેટલું હોવું જોઈએ, તેની ગણતરી કરી શકે છે. આ રીતે પોતાનું વજન વધુ છે કે ઓછું, તે જાણ્યા બાદ તેના ઉપચારો જાણવા પણ આવશ્યક છે. જે નીચે દર્શાવેલ છે.

વજન ઘટાડવા
1) સાદા કે માટલાના પાણીમાં મધ મેળવી સવારે નિયમિત પીવાથી સરેરાશ 3 માસમાં વજનમાં ઘણો ઘટાડો થાય છે.
2)પાકાં લીંબુનો રસ 20 ગ્રામ તથા 25 ગ્રામ મધ લઈ સહેજ ગરમ પાણીમાં મેળવી, જમ્યા બાદ તરત પીવાથી 1-2 મહિનામાં જાડાપણું મટે છે.
3)તુલસીના પાન એકલા કે છાશમાં ખાવાથી વજન ઘટે છે અને શરીરમાંથી ચરબી ઓછી થાય છે.
4)4 ગ્રામ તજનો પાઉડર 2 ચમચી મધમાં સવાર-સાંજ ચાટવો.
5)મેથી, કાળીજીરી, સૂંઠ અને વાવડિંગ સમભાગે લઈ તેનું ચૂર્ણ 1-1 ચમચી ગરમ પાણીમાં સવાર-સાંજ લેવું.

વજન વધારવા
1)રોજ સવાર-સાંજ 1 કપ દૂધમાં 1 ચમચી અશ્ર્વગંધા, 1 ચમચી ખાંડ અને 1 ચમચી ઘી ભેગું કરીને લેવું.
2) રોજ સવારે મહિના સુધી 1 મુઠ્ઠી કાળા તલ ખૂબ જ ચાવીને જમવા.
3) ખજૂર સાથે દૂધ પીવાથી લોહી શુદ્ધ થાય છે અને વજન વધે છે.
4) આમળાના તાજા રસમાં સાકર ભેળવી રોજ સવારે પીવાથી લોહી શુદ્ધ બને છે ને વજન વધે છે.
5) રાત્રે ભેંસના દૂધમાં આખા ચણા પલાળી રાખી સવારે ચાવીને ખાવાથી શક્તિ અને વજન વધે છે.
6) 100 ગ્રામ ખજૂર અને 50 ગ્રામ સૂકી દ્રાક્ષ દરરોજ ખાવાથી સુકલકડી શરીરમાં નવું લોહી પેદા થાય છે અને ખૂબ ફાયદો થાય છે.
7)2 પાકાં કેળાંમાં ઘી, સાકર અને એલચી નાખીને રોટલી સાથે રોજ ખાવા.
8)વધુ તેલમાં અજમાનો વઘાર કરી બનાવેલ ચોળાનું શાક રોટલી કે ભાખરી સાથે રોજ ખાવું.
9)અડદની દાળને ભાખરી કે રોટલી સાથે ખાવાથી વજન વધે છે.
10)રોજ સવાર-સાંજ ગરમ દૂધમાં ખારેક, અશ્ર્વગંધા, બદામ અને શતાવરીનું ચૂર્ણ, આ દરેક 5-5 ગ્રામ નાખીને લેવું.

આપણ વાંચો:  આરોગ્ય એક્સપ્રેસ: ફેટી લીવરમાં પણ ઉપયોગી છે યોગાસન

સ્વપ્નદોષ ઘટાડવાના ઉપચાર
*1-1 ચમચી સૂકા ધાણાનું ચૂર્ણ તથા દળેલી ખાંડ ભેળા કરીને પાણી સાથે સવારે અને રાત્રે લેવા. ત્યારબાદ 1 ગ્લાસ ગળ્યું દૂધ પીવું.

*બીલીપત્રના 10થી 50 મિ.લી. રસમાં 2થી 10 ગ્રામ મધ નાખીને પીવું.

*પ ગ્રામ જાંબુના ઠળિયાનું ચૂર્ણ સવાર-સાંજ પાણી સાથે લેવું.

*પાકાં બે કેળાને મસળીને તેમાં લીલા આંબળાનો રસ અને મધ 10-10 ગ્રામ મેળવીને સવાર-સાંજ ખાવા.

*આંબળાનું ચૂર્ણ અને દળેલી સાકર સરખા પ્રમાણમાં મેળવીને રાત્રે ભોજન બાદ પાણી સાથે લેવું.

*1 ગ્રામ ગળોસત્વ, 2 ચપટી ફૂલાવેલી ફટકડી, 1 ચમચી સાકર, ઘી કે પાણી સાથે લેવું.

*રોજ રાત્રે સૂતા પહેલા 2 ગ્રામ હરડે ને 2 ગ્રામ સાકર સાથે ખાવા.

*રાત્રે મોડેથી દૂધ કે પાણી ન પીવાથી સ્વપ્નદોષમાં ફાયદો થાય છે.

-સંકલન: સ્મૃતિ શાહ-મહેતા

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button