આમચી મુંબઈટોપ ન્યૂઝ

મુંબઈની ‘લાઈફલાઈન’ પર સુરક્ષાનું સંકટ: GRPમાં 750થી વધુ જગ્યાઓ ખાલી…

મુંબઈઃ મુંબઈમાં દરરોજ લાખો મુસાફરો ઉપનગરીય ટ્રેનોમાં મુસાફરી કરે છે. ત્યારે તેમની સલામતીને લઈને ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. મુંબઈમાં દર 2,000 સબર્બનના મુસાફરો માટે માત્ર એક ગવન્મેન્ટ રેલવે પોલીસ (GRP) કર્મચારી ઉપલબ્ધ છે, જે પ્રવાસીઓની સુરક્ષા માટે ગંભીર બાબત છે.

મુંબઈ રેલ પ્રવાસી સંઘ દ્વારા માહિતી અધિકાર (RTI) હેઠળ મેળવેલા ડેટામાં જણાવાયું છે કે GRP 750થી વધુ ખાલી જગ્યા છે, જેથી સબર્બન રેલવે નેટવર્ક પર કાયદો અને વ્યવસ્થા જાળવવાની તેની ક્ષમતા પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. મુંબઈમાં રોજ લોકલ ટ્રેનમાં 65 લાખથી વધુ પ્રવાસીઓ મુસાફરી કરે છે. જોકે, RTIના ડેટા અનુસાર જીઆરપી જેને રેલવે પરિસરમાં બનતા તમામ ગુનાઓની તપાસ કરવાનું કામ સોંપવામાં આવ્યું છે, તે અધિકારીઓના પદોમાં 25 ટકા અને પોલીસ કર્મચારીઓની સંખ્યામાં 16 ટકાની અછતનો સામનો કરી રહ્યું છે.

એક વરિષ્ઠ GRP અધિકારીએ જણાવ્યું હતું કે અમે વારંવાર વધારાના માનવબળની માંગ કરી છે અને અધિકારીઓને ખાલી જગ્યાઓ ભરવા માટે વિનંતી કરી છે. હાલમાં અમારી પાસે સ્ટાફ ઓછો હોવાથી રાત્રિ પેટ્રોલિંગનું સંચાલન પણ હોમગાર્ડ્સ દ્વારા કરવામાં આવે છે.

TOI

255 અધિકારીઓની જગ્યાઓ મંજૂર કરવામાં આવી હોવા છતાં 65 જગ્યાઓ ખાલી છે, જેમાં 8 પોલીસ ઇન્સ્પેક્ટર, 17 સહાયક પોલીસ ઇન્સ્પેક્ટર અને 40 સબ-ઇન્સ્પેક્ટરનો સમાવેશ થાય છે. હાલમાં 173 પુરુષો અને 17 મહિલાઓ મળીને ફક્ત 190 અધિકારીઓ ફરજ પર છે.

મધ્ય અને પશ્ચિમ રેલવે ઝોનમાં પોલીસ કર્મચારીઓની 4,185 જગ્યા મંજૂર કરવામાં આવી છે, પરંતુ 693 જગ્યાઓ ખાલી છે, જેમાં મોટાભાગે નીચલા રેન્ક – સહાયક સબ-ઇન્સ્પેક્ટર, કોન્સ્ટેબલ અને ડ્રાઇવર છે.

કર્મચારીઓની ઘટતી સંખ્યા સીધી અસર ગુનાઓના નિવારણ પર પડે છે. મુંબઈ સબર્બન રેલવેમાં ખાસ નાલાસોપારા, કલ્યાણ, થાણે, કુર્લા અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) જેવા સ્ટેશનો પર ભીડના સમયે છેડતીની ઘટનાઓ નિયમિતપણે જોવા મળે છે. પરંતુ કર્મચારીઓના અભાવે સમયસર હસ્તક્ષેપ કે નિવારણ થતું નથી. મુંબઈ રેલ પ્રવાસી સંઘના પ્રમુખ મધુ કોટિયને જણાવ્યું હતું કે એક દાયકાથી વધુ સમયથી આ જગ્યાઓ ભરવામાં આવી નથી જે GRPની મુસાફરોની સલામતી પ્રત્યે પ્રતિબદ્ધતાનો અભાવ દર્શાવે છે.

અહીં એ જણાવવાનું કે GRPમાં બે મુખ્ય વિભાગો છે – સેન્ટ્રલ ઝોન (CSMT અને કલ્યાણ) જેમાં 15 પોલીસ સ્ટેશન છે અને વેસ્ટર્ન ઝોન (બાંદ્રાથી વસઈ) જેમાં 23 પોલીસ સ્ટેશન છે. તેમને 37 બિન-કાર્યકારી શાખાઓનો સાથ મળે છે, જેમાં કંટ્રોલ રૂમ, મહિલા સેલ, રમખાણ નિયંત્રણ ટીમ, કોર્ટ સેલ, કમાન્ડો યુનિટ અને તકનીકી શાખાઓ શામેલ છે, આ બધી શાખાઓ સ્ટાફની અછતનો સામનો કરી રહી છે.

આપણ વાંચો : એલટીટીમાં RPF જવાનની સમયસૂચકતાએ પ્રવાસીનો જીવ બચ્યો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button