મનોરંજન

પ્રેમ એ કંઈ… ડિવોર્સ બાદ ધનશ્રી વર્માએ આ શું કહ્યું?

એક્ટ્રેસ અને કોરિયોગ્રાફર ધનશ્રી વર્મા અને ટીમ ઈન્ડિયાના ખેલાડી યુઝવેન્દ્ર ચહલના જ્યારથી ડિવોર્સ થયા છે ત્યારથી બંને જણ દર થોડાક સમયે કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે. એમાં પણ ધનશ્રી તો ખાસ.

યુઝીના ફેન્સ તેને ટ્રોલ કરવાનો એક મોકો નથી છોડતા. હવે ટ્રોલિંગને લઈને ધનશ્રીએ પહેલી વખત વાત કરી છે અને તેણે કહ્યું હતું કે તે ખોટી સ્ટોરીથી બિલકુલ પરેશાન નથી થતી, પણ તે પોતાનું સંપૂર્ણ ધ્યાન માત્ર કામ પર જ કેન્દ્રિત કરે છે.

ધનશ્રી વર્મા અને યુઝવેન્દ્ર ચહલે આ જ વર્ષે માર્ચ મહિનામાં ડિવોર્સ લીધા હતા અને એ સમયે ધનશ્રીને સોશિયલ મીડિયા પર ખાસી ટ્રોલ કરવામાં આવી હતી. એ સમયે તો ધનશ્રીએ મૌન રહેવાનું પસંદ કર્યું હતું, પરંતુ હવે તેણે પોતાની વાત લોકો સામે મૂકી છે. આવો જોઈએ શું કહ્યું છે ધનશ્રીએ.

આપણ વાંચો: ધનશ્રી વર્મા ફરી પ્રેમમાં પડી? જાણો તેણે પોતે શું કહ્યું

ધનશ્રીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે મારા વિશે જે પણ ફેક ન્યુઝ ફેલાવવામાં આવી છે એનાથી સચ્ચાઈ તો ખૂબ જ દૂર હતી. હું મારા વિચારો લોકો સામે એટલે પણ નથી મૂકતી કારણ કે મને મારા ઉચ્છેર અને સંસ્કારો પર પૂરો ભરોસો છે.

મેં હંમેશા શાલીનતાથી અને ગરિમા સાથે જીવવાનું પસંદ કર્યું છે. ક્યારેય કોઈને નીચે દેખાડીને જીવનમાં આગળ વધવું મને પસંદ નથી. એનાથી કોઈને ફાયદો નથી થતો.

તેણે આગળ એવું પણ જણાવ્યું હતું કે હું હંમેશા મારા વિકાર, સેલ્ફ લવ, અનુશાસનમાં વિશ્વાસ રાખું છે અને એ જ મારી તાકાત પણ છે. મને વિશ્વાસ છે કે એક દિવસ સચ્ચાઈ જાતે જ સામે આવશે.

આપણ વાંચો: ધનશ્રી વર્મા સાથે જોવા મળેલો મિસ્ટ્રીમેન કોણ છેઃ તમારું મગજ ચલાવો તે પહેલા આ જાણી લો

ધનશ્રી એન્ટરટેઈન્ટમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું નામ બનાવી રહી છે. હાલમાં જ તે રાજકુમાર રાવની ફિલ્મ ભૂલ ચૂક માફના ગીત ટિંગ લિંગ સજનામાં જોવા મળી હતી અને ટૂંક સમયમાં જ તે તેલુગુ ફિલ્મ આકાશમ દાતી વસ્તવાથી પણ પોતાનું ડેબ્યું કરવા જઈ રહી છે.

ધનશ્રીએ જણાવ્યું હતું કે તે હવે પોતાનું પૂરું ધ્યાન કરિયર અને મોટી ફિલ્મો પર કેન્દ્રિત કરવા માંગે છે. એટલું જ તેણે પ્રેમને ફી એક મોકો આપવાની વાત પણ કહી હતી. ધનશ્રીએ જણાવ્યું હતું કે પ્રેમ ક્યારેય પ્લાનિંગ કરીને નથી થતો.

સીબમાં સારું લખાયું હોય તો કેમ નહીં, અને આખરે કોણ હોય છે એવું કે જેને પ્રેમની જરૂર નથી હોતી?
ધનશ્રી વર્મા અને યુઝવેન્દ્ર ચહલના ડિવોર્સ બાદથી ધનશ્રી તો સિંગલ જ છે, પણ યુઝવેન્દ્રનું નામ આરજે મહવાશ સાથે જોડાય છે. સોશિયલ મીડિયા પર તેમને અફેયરની ચર્ચા ચાલી રહી હોય છે. જોકે, બંનેમાંથી કોઈએ આ રિલેશનને કન્ફર્મ નથી કરી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button