નેશનલ

સોશિયલ મીડિયા ઈન્ફલુ્અન્સરની વ્હારે કંગના બાદ આ ફિલ્મીહસ્તી પણ આવી

કોલકાતા: ‘ઓપરેશન સિંદૂર’ (OPERATION SINDOOR) પર કથિત વાંધાજનક નિવેદન આપવા આરોપ સાથે 22 વર્ષીય શર્મિષ્ઠા પનોલી (Sharmistha Panoli)ની ધરપકડ કરવામાં આવી છે. શર્મિષ્ઠા પનોલી કાયદાની વિદ્યાર્થિની છે અને ઇન્સ્ટાગ્રામ વર્તમાન પરિસ્થિતિ પર વીડિયો બનાવીને પોસ્ટ કરે છે. શર્મિષ્ઠા પનોલીના કેસનો વિવાદ અત્યારે વધારે વધી રહ્યો છે. અભિનેત્રી અને સાંસદ કંગના રનૌત પછી હવે ફિલ્મ નિર્માતા અને ભારતીય ફિલ્મ અને ટેલિવિઝન ડિરેક્ટર્સ એસોસિએશન (IFTDA) ના પ્રમુખ અશોક પંડિત શર્મિષ્ઠા (Ashok pandit)ના સમર્થનમાં આગળ આવ્યા છે.

તમારો અવાજ ઉઠાવો, તેને એકલી ન છોડોઃ અશોક પંડિત

અશોક પંડિતે ઇન્સ્ટાગ્રામના સ્ટોરી રાખીને શર્મિષ્ઠા પનોલીનો ફોટો શેર કરીને દેશવાસીઓને તેમનું સમર્થન કરવા માટે અપીલ કરી છે. સ્ટોરીના કેપ્શનમાં લખ્યું કે, ‘તમારો અવાજ ઉઠાવો, તેને એકલી ન છોડો. તમારો અવાજ ઉઠાવો. કારણ કે, અત્યાચાર સામે ચૂપ રહેવું એ એક પ્રકારની સંડોવણી છે. જ્યારે પણ તમે તમારી નજર ફેરવો છો, ત્યારે શિકારી તેના પંજા અને ગતિથી હુમલો કરવા તૈયાર હોય છે. બધાની નજર શર્મિષ્ઠા પર છે’.

પશ્ચિમ બંગાળ રાજ્યને ઉત્તર કોરિયા ના બનાવોઃ કંગના રનૌત

આ પહેલા કંપગના પણ શર્મિષ્ઠા પનોલીના સર્મથનમાં આવી હદી. કંગના રનૌતે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, એક ભૂલને કારણે કોઈની આખી કારકિર્દી બરબાદ કરવી ખોટું છે. કંગના રનૌતે એમ પણ કહ્યું હતું કે જ્યારે તેણીએ પોતાની ભૂલ માટે માફી માંગી છે અને વાંધાજનક પોસ્ટ દૂર કરી છે ત્યારે ‘કાયદો અને વ્યવસ્થા’ના નામે કોઈને હેરાન કરવું યોગ્ય નથી. એક ભૂલને કારણે તેણીની આખી કારકિર્દી અને પાત્ર બરબાદ કરવું વાજબી નથી. આવું વર્તન કોઈપણ પુત્રી સાથે ન થવું જોઈએ. એટલું જ નહીં પરંતુ વહેલી તકે શર્મિષ્ઠાને છોડી દેવા માટે પણ પશ્ચિમ બંગાળની સરકારને વિનંતી કરી હતી.

આખરે શા માટે શર્મિષ્ઠા પનોલીની ધરપકડ કરવામાં આવી?

શર્મિષ્ઠા પનોલીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેણે ‘ઓપરેશન સિંદૂર’ પર બોલિવુડના મૌન પર સવાલ ઉઠાવ્યા હતા. આરોપ છે કે, આ સમય દરમિયાન તેણીએ એક ચોક્કસ સમુદાય વિશે વાંધાજનક નિવેદનો આપ્યા હતા અને અપશબ્દોનો ઉપયોગ પણ કર્યો હતો. તારીખ 15 મેના રોજ ગાર્ડનરિચ પોલીસ સ્ટેશનમાં તેના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેથી પોલીસે ગુરુગ્રામથી શર્મિષ્ઠાની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ શર્મિષ્ઠાને કોલકાતાની સિટી કોર્ટમાં રજૂ કરી કરવામાં આવી હતી. કોર્ટમાં સુનાવણી બાદ શર્મિષ્ઠાને 13 જૂન સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવી છે.

આપણ વાંચો:  આતંકી હુમલા બાદ પહેલીવાર કાશ્મીરમાં મોટું આયોજન, ખીર ભવાની મેળામાં ઉમટ્યા ભક્તો

માફી માંગી છતાં પણ શર્મિષ્ઠાની ધરપકડ કરવામાં આવી

મહત્વની વાત એ છે કે, ભારે ટીકા બાદ શર્મિષ્ઠાએ વીડિયો હટાવી દીધો હતો અને આ મામલે જાહેરમાં માફી પણ માંગી હતી, તેમ છતાં તેની ધરપકડ કરવામાં આવી હોવાતી આ મુદ્દો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. અત્યારે સોશિયલ મીડિયામાં અનેલ લોકો શર્મિષ્ઠાના સમર્થનમાં આવ્યાં છે અને તેને છોડી દેવામાં સરકાર પર દબાણ પણ કરી રહ્યાં છે. હવે ફિલ્મ નિર્માતા અશોક પંડિત પણ શર્મિષ્ઠાના સમર્થનમાં આવ્યાં છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button