આપણું ગુજરાત

ગુજરાતમાં ખેડૂતોની વધતી મુશ્કેલી: કૃષિ NPA ₹6127 કરોડ પર પહોંચી

અમદાવાદઃ ગુજરાત અને કેન્દ્ર સરકાર ખેડૂતોના લાભાર્થે અનેક સ્કીમ ચલાવે છે. તેનો લાભ લઈને ઘણા ખેડૂતો સમૃદ્ધ થયા છે. જોકે રાજ્યમાં ખેતીને લઈ એક ચોંકાવનારી વાત સામે આવી હતી. સ્ટેટ લેવલ બેંકર્સ કમિટીના રિપોર્ટ મુજબ, નાણાકીય વર્ષ 2024-25માં ગુજરાતમાં ખેતીની એનપીએ 6 ટકા વધીને 6127 કરોડ પર પહોંચી હતી. જે 2023-24માં 5786 કરોડ હતી. જોકે છેલ્લા બે વર્ષમાં, કૃષિ આવકમાં વૃદ્ધિ થઈ હતી, જેના કારણે નોન-પર્ફોર્મિંગ એસેટ્સમાં ઘટાડો થયો હતો.

બેંકોએ કૃષિ ક્ષેત્રે ધિરાણ વધાર્યું અને સરકારે વ્યાજ સબસિડી તથા અન્ય સહાય યોજનાઓ શરૂ કરી હોવા છતાં, ખરાબ બેડ લોન માં વધારો થયો હતો. જોકે, અનિયમિત હવામાન, જીવાતનો ઉપદ્રવ અને ચીજવસ્તુઓના ભાવમાં થતી વધઘટને કારણે ખેડૂતોની આવક પર ભારે અસર પડી હતી.

આ પણ વાંચો: વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનો મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો શુભારંભ, કહ્યું ખેડૂતોની આત્મનિર્ભરતા વધશે

એકંદરે લોન ધિરાણ વિતરણમાં વધારો થયો હતો. નાણાકીય વર્ષ 24 માં રૂ. 1.32 લાખ કરોડથી વધીને નાણાકીય વર્ષ 25 માં રૂ.1.45 લાખ કરોડ થયું હતું. જે 9.98 ટકાનો વધારો દર્શાવે છે. સૂત્રએ જણાવ્યું હતું કે, કેટલાક લોકોને કૃષિ લોન ચૂકવવામાં મુશ્કેલી થઈ હોઈ શકે છે પરંતુ એકંદરે ચૂકવણી સમયસર થઈ છે. એનપીએથી બાકી રકમનો ગુણોત્તર પણ 4.43 ટકા થી ઘટીને 4.37 ટકા થયો હતો.સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત જેવા વિસ્તારોમાં કમોસમી વરસાદ, વાવાઝોડું જેવા કારણોસર એનપીએનું પ્રમાણ વધ્યું હતું.

ખેડૂતોના કહેવા પ્રમાણે કપાસના ભાવ નીચા રહ્યા અને ગુલાબી ઇયળના ઉપદ્રવથી ઉપજ પર અસર પડી. આનાથી આ વર્ષે ખેડૂતોની કમાણીને સામૂહિક રીતે ફટકો પડ્યો હતો. તદુપરાંત, મગફળીનું ઉત્પાદન પણ નબળું રહ્યું. ઉપરથી, કમોસમી વરસાદે રવિ પાકને નુકસાન પહોંચાડ્યું, જેનાથી ખેડૂતોની આવકને ગંભીર અસર થઈ હતી. પરિણામે ઘણા ખેડૂતો જેઓ તેમના વાવણી ખર્ચને સરભર કરી શક્યા ન હતા તેઓ તેમની લોનનો અમુક ભાગ ચૂકવી શક્યા નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button