ટોપ ન્યૂઝનેશનલ

PM Modi આવતીકાલે સિક્કિમ રાજ્ય સ્થાપનાના સુવર્ણ જયંતિ સમારોહમાં હાજરી આપ…

ગંગટોકઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ૨૯ મે એટલે ગુરુવારે પાલજોર સ્ટેડિયમ ખાતે સિક્કિમના રાજ્ય સ્થાપનાના સુવર્ણ જયંતિ સમારોહમાં હાજરી આપશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

ગૃહ વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા જાહેરનામામાં જણાવાયું છે કે ડેપ્યુટી સેક્રેટરી અને અંડર સેક્રેટરી(અને તેમના સમકક્ષ)થી લઇને ગંગટોકમાં વિવિધ રાજ્ય સરકારના વિભાગો, જાહેર ક્ષેત્રના ઉપક્રમો અને કેન્દ્ર સરકારની એજન્સીઓના કર્મચારીઓ સુધીના તમામ અધિકારીઓને ઔપચારિક આમંત્રણો મોકલવામાં આવ્યા છે.

આમંત્રિતોને ૨૯મી મેના સવારે ૮-૩૦ વાગ્યે તેમના પરંપરાગત પોશાકમાં કાર્યક્રમમાં હાજરી આપવા અને સ્ટેડિયમની પશ્ચિમી ગેલેરીમાં બેસવા વિનંતી કરવામાં આવી છે. વિભાગોના વડાઓ અને સચિવોને પણ તેમના સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓની હાજરી સુનિશ્ચિત કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે.

સિક્કિમ સરકારે સમારોહના સુચારુ સંચાલન માટે ગંગટોકમાં કાર્યાલયો અને શાળાઓને કામચલાઉ બંધ રાખવા અને વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવા અંગે અગાઉથી જ એક એડવાઈઝરી જારી કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button