‘અમારા સમાજને બચાવો!’ પાકિસ્તાની નેતાની વડાપ્રધાન મોદીને અપીલ, જાણો કોણ છે આ નેતા?

નવી દિલ્હી: ઓપરેશન સિંદૂર હાથધરીને ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાનમાં શરણ લઇ રહેલા આતંકવાદી સંગઠનોની કમર તોડી નાખી છે, ભારતની આ કાર્યવાહીને દુનિયાભરમાંથી સમર્થન મળી રહ્યું છે. બીજી તરફ પાકિસ્તાનમાં માર્યા ગયેલા આતંકવાદીઓને સરકારી સન્માન આપવામાં આવી રહ્યું છે.
પાકિસ્તાનના કેટલાક નેતાઓ ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. એવામાં એક પાકિસ્તાની નેતાએ ભારતને સમર્થન આપ્યું છે અને વડાપ્રધાન મોદીને એક એક ભાવુક અપીલ કરી છે.
આપણ વાંચો: ટેરિફને કારણે સુરતના હીરા ઉદ્યોગની ચિંતા વધી, વડાપ્રધાન મોદીને પત્ર લખી માંગી મદદ
પાકિસ્તાનમાંથી દેશનિકાલ કરાયેલા નેતા અને મુત્તાહિદા કૌમી મૂવમેન્ટ (MQM) ના સ્થાપક અલ્તાફ હુસૈને ભારતના વડાપ્રધાન મોદીને ‘મુહાજિરો’ને બચાવવા અપીલ (Altaf Hussain’s appeal to PM Modi) કરી છે.
મુહાજિર પાકિસ્તાનમાં વસતો મુસ્લિમ સમાજ છે, જે ભારત-પાકિસ્તાનના ભાગલા પછી પાકિસ્તાનના કરાચી શહેરમાં સ્થાયી થયો હતો. એક સમયે પાકિસ્તાનનના રાજકારણ પર તેમની મજબૂત પકડ હતી, પરંતુ છેલ્લા ઘણા દાયકાઓથી ભેદભાવ અને અત્યાચારોને કારણે તેમની હાલત કફોડી બની છે.
વડાપ્રધાન મોદીને અપીલ:
લંડનમાં એક કાર્યક્રમમાં અલ્તાફ હુસૈને વડાપ્રધાન મોદીને મુહાજિરોનું રક્ષણ કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન મોદીએ બલૂચ લોકોના અધિકારોનું સમર્થન કર્યું છે, જે એક યોગ્ય પગલું છે અને તેમણે મુહાજિર સમુદાયને પણ આવું જ સમર્થન આપવું જોઈએ.
અલ્તાફ હુસૈને પાકિસ્તાની સેના પર પણ આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે લશ્કરી કાર્યવાહીમાં અત્યાર સુધીમાં 25 હજારથી વધુ મુહાજિરો માર્યા ગયા છે અને હજારો હજુ પણ લાપતા છે.
આપણ વાંચો: ‘રણ નહીં, ગુજરાતનું તોરણ છે કચ્છ’ વડાપ્રધાન મોદીએ કચ્છી લોકોના ખમીરને બિરદાવ્યું,
અલ્તાફ હુસૈને ભારતમાં આશ્રય માંગ્યો હતો:
ભારતમાં રાજકીય આશ્રય માટે અલ્તાફ હુસૈને વર્ષ 2019માં વડાપ્રધાન મોદીને અપીલ કરી હતી. એ સમયે અલ્તાફ હુસૈને કહ્યું હતું કે તેમને ભારતમાં આશ્રય આપવો જોઈએ જેથી તેઓ ભારતમાં દફનાવવામાં આવેલા તેમના પૂર્વજોની કબરોની મુલાકાત લઈ શકે.
તે સમય દરમિયાન, યુકે પોલીસે તેની સામે નફરત ફેલાવવા અને આતંકવાદને પ્રોત્સાહન આપવા બદલ કેસ નોંધ્યો હતો. પાકિસ્તાન સરકાર સતત આરોપ લગાવી રહી છે કે હુસૈન ગુપ્તચર એજન્સી રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW) ના એજન્ટ છે અને તેની પાર્ટી પાકિસ્તાન વિરુદ્ધ કામ કરી રહી છે.
આપણ વાંચો: વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા કચ્છ થયું સજ્જ, જાણો કેવી છે તૈયારી?
કોણ છે અલ્તાફ હુસૈન:
અલ્તાફ હુસૈનનો જન્મ 1953માં સિંધના કરાચી શહેરમાં એક મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો. તેનો પરિવાર મૂળ ઉત્તર પ્રદેશનો હતો, દેશના ભાગલા પછી તેનો પરિવાર પાકિસ્તાનમાં સ્થળાંતર કરી ગયો હતો.
તેણે કરાચી યુનિવર્સિટીમાંથી ફાર્મસીનો અભ્યાસ કર્યો. અભ્યાસ દરમિયાન જ તેને ખ્યાલ આવ્યો કે પાકિસ્તાનમાં મુહાજિર સમુદાયનો પ્રભાવ ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે. સ્થાનિક સિંધી અને પંજાબી સમુદાયોનું પ્રભુત્વ ધીમે ધીમે વધી રહ્યું છે.
MQM પાર્ટીની સ્થાપના:
1984 માં તેણે MQM પાર્ટીની સ્થાપના કરી, પાર્ટીને કરાચીના લોકો તરફથી સમર્થન મળ્યું અને ત્રણ વર્ષમાં પાર્ટીએ સિંધના શહેરી વિસ્તારોમાં મોટી જીત મેળવી. MQM ટૂંક સમયમાં પાકિસ્તાનની સંસદ, રાષ્ટ્રીય સભામાં ત્રીજો સૌથી મોટા રાજકીય પક્ષ બન્યો. કરાચી પર પાર્ટીનું રાજકીય વર્ચસ્વ દાયકાઓ સુધી રહ્યું અને અલ્તાફ હુસૈન પાકિસ્તાનના રાજકારણ મહત્વનો ચહેરો બની ગયો.
કરચીમાં હત્યાની હારમાળ:
અલ્તાફ હુસૈન વિરોધીઓમાં ડરનો માહોલ રહેતો. તેની સાથે અસંમતી જાહેર જરતા લોકોની હત્યા કરવામાં આવતી, બોરીઓમાં લોકોના મૃતદેહ મળી આવતા હતા. 1980ના દાયકામાં, કરાચીમાં મોટી સંખ્યામાં બોરીઓમાં ભરેલા મૃતદેહો મળ્યા જેનાથી પોલીસ અને સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ હતી. 1990ના દાયકામાં, અલ્તાફ હુસૈન સામે હત્યા અને હિંસાના ડઝનબંધ કેસ નોંધવામાં આવ્યા.
બ્રિટનમાં આશરો:
વર્ષ 1992માં અલ્તાફ હુસૈનને પાકિસ્તાન છોડવું પડ્યું અને તેમણે બ્રિટનમાં આશરો લીધો, બાદમાં તેમને બ્રિટિશ નાગરિકતા પણ મળી હતી. એ પહેલા તેના પર ઘણા જીવલેણ હુમલા થયા હતા, જેમાં તેના પોતાના ભાઈ અને ભત્રીજાના મોત થયા હતાં.