ઈન્ટરવલ

તસવીરની આરપાર: માતાજીનાં નવરંગા માંડવાનો ક્રેઝ વધ્યો છે…

-ભાટી એન.

ગુજરાતમાં સમસ્તીગત ગરબા રમાય ચોરે ચોકે નવરાત્રીમાં તેની આરાધના કરતા ભક્તો જોવા મળે તેમાં પણ હવે તો બિગ ગરબીઓ થવા લાગ્યા, જેમાં એક સાથે હજારો સ્ત્રી, પુરુષો રાસે રમતા નિહાળવા મળે છે…!? આપણા ગુજરાતમાં માતાજીની આરાધના ખૂબ થાય છે એટલે જ ગુજરાતમાં વિશ્વ વિખ્યાત માતાજીનાં મંદિર છે રાજસ્થાન તરફથી ઝઈએ તો અંબાજી માતાજી છે, ત્યાં મેળો ભરાય લોકો પગપાળા દૂર દૂરથી માઈ ભક્તો રથડા લઈને આખો સંઘ આવે. સાથે ડી. જે. નાં તાલે માતાજીની આરાધના કરતા આવે ‘જીયા શ્રદ્ધાનો હોય ત્યાં પુરાવાની જરૂર પડતી નથી’. એટલે તમે જોશો તો કોઈ સંઘ બહુચરાજી જાય, તો કોઈ સંઘ પાવાગઢ જાય, તો કોઈ સંઘ ચોટીલા જાય, તો કોઈ સંઘ આશાપુરા જાય, તો કોઈ સંઘ માટેલ જાય, તો કાઠિયાવાડી લોકો તેમાંય દ્વારકાધીશ એટલે દ્વારકા કાળીયા ઠાકરની જય બોલાવતા જાય. આમ ચોગરદમ ભક્તો પોતાની આસ્થા હોય ત્યાં પગપાળા કે સાઈકલ પર જાય છે, તેના માટે તમામ સુવિધાયુક્ત રાવટીઓ નાખી સેવા કરનારાઓનો તોટો નથી,

આ પણ વાંચો: તસવીરની આરપાર: ભારતે પાકિસ્તાનને જેવો જડબાતોડ જવાબ આપ્યો, એવું નાટક ‘જાણતા રાજા’ મોરબીમાં ભજવાય છે

ગુજરાતમાં લોક ડાયરાઓ ભજન, સાહિત્ય, હાસ્યનો ત્રિવેણી સંગમ અત્યારે પુરબહારમાં ચાલે છે, આજે મોટા સિટીમાં કે ગામડામાં કે કોઈ ધાર્મિક પ્રસંગ, લગ્નોત્સવમાં મોટા માણસો લોક ડાયરાઓ રાખી મહેમાનને ખુશ કરે છે. તો મંદિર, ધાર્મિક સ્થળો ઉપર હવે લોક ડાયરા હાઈફાઈ થાય છે,! તેમાં ગાયક કલાકાર પોતાની ફી પણ સારી લે છે, આજ કલા કિર્તીદાન ગઢવી, માયાભાઈ આહીર, રાજભા ગઢવી, ગીતાબેન રબારી, ઓસામણ મીર, પ્રફુલભાઇ દવે, હેમંત ચૌહાણ, ફરીદાબેન મીર, કવિરાજ, જેવા ગાયક કલાકાર છે, તો હાસ્ય કલાકાર શાહબુદીન રાઠોડ, સાઈરામ દવે, જગદીશ ત્રિવેદી, હકાભા ગઢવી, ડો. અવની વ્યાસ છે, આવા કલાકારને સાંભળવા મોટી મેદની ઉમટી પડે છે અને રૂપિયાનો વરસાદ થાય છે. જોકે અગાઉ આ લોક ડાયરા નહોતા પણ ભજન ગવાતા તેમાં તબલા, મંઝિરા, પેટીવાજું ગાયક કલાકાર પાસે હોય પહેલા તો રામસાગરથી ભજન ગવાતા તો કોઈ લોક વાર્તા કહેતા. તેમાં ભીખુદાન ગઢવી લોક વાર્તા કહે એટલે રૂંવાળા ઊભા થઈ જાય પણ આજે તો ગાયક કલાકાર સ્ટિરિયો સાઉન્ડ બેસ્ટ જોઈએ તબલા, બેન્જો, ઢોલ, જેવા આધુનિક સાધનો સાથે ગાય ત્યારે માઈક સિસ્ટમ પાવરફૂલ હોવાથી શ્રોતાગણને મંત્રમુગ્ધ કરી દે છે. આજનાં ફાસ્ટ યુગમાં ગાયક કલાકારનો છે, દિવસે દિવસે ગાયક કલાકાર બજારમાં આવે છે અને કયારે આથમી જાય એનીયે ખબર નાં પડે પણ ગાયક કલાકાર પ્રફુલભાઇ દવેનું સૂત્ર છે કે ‘રિયાજ કરો ને રાજ’ કરો એ વાત સોં ટકા સાચી છે.

આ પણ વાંચો: તસવીરની આરપાર : આપણી મહિલા સશક્તીકરણનાં દરેક મોરચે અગ્રેસર…

આપણે આજે વાત જરા હટકે કરવી છે…! માતાજીનો નવરંગા માંડવા એ ધૂમ મચાવી છે, પણ માતાજીનાં મંદિરે રાવળદેવ, કે દેવીપૂજક જેવી અમુક જ્ઞાતિઓ ડાક લઈને આવતા અને પોતાના માતાજીનાં મઢમાં સ્થાનકે આવી. જે તે માતાજીનાં ગુણગાન ગાતા ને તેજ માતાજીનાં ભુવા ધુણતા અને પોતાના થાપેલા ભુવા, પઢિયાર હોય તે જ પોતાના માતાજીનો કારભાર સંભાળે. સુખ દુ:ખમાં માતાજી પાસે આવી ચપટી નખાવે તેમાં ભુવા જારનાં દાણા ધુણતા… ધુણતા… જારનાં દાણા આપી એકી કે બેકી કે કહે તો ભુવાને સ્થાપવા માટે જયારે કોઈ નવો ભુવો ધૂણે ત્યારે તેની કપરી કસોટી થાય. તેમાં પારંગત થાય તો જ તેને પોતાનાં મઢનો ભુવો કે પઢિયારની માન્યતાની મોહર લાગે. ત્યારે રાવળદેવ કે દેવીપૂજક ડાક વગાડેને જે તે માતાજી વિશે ગાય પણ હવે તો માતાજીનાં માંડવા થવા લાગ્યા નવરંગો માંડવો. કે ડાક ડમરુ સાથે માંડવો તેમાં ત્રણ ડાક હોય ઢોલ, મંજીરાને બેન્જો સાથે ભુવા ધૂણે ને જાડી સાકર મારે તેમાંય રૂપિયા ઉડે છે, હવે ગામડે… ગામડે માતાજીનો માંડવો થવા લાગ્યો છે અને ભુવા ધૂણવા બહારગામથી આવે છે તો ડાક ગાયક કલાકાર મોટી ફી વસૂલ કરે છે અને હાઈફાઈ સ્ટિરિયો સિસ્ટમ રાખે છે તેના પ્રોગ્રામ લાઈવ યુ ટ્યૂબ પર થાય છે, તારીખ 22/05/2025 નાં વાંકાનેર વિશિપરા ખાતે કરાવાળી મેલડી માતાજી મંદિરે માતાજીનો નવરંગો માંડવામાં ડાક કલાકાર નારણભાઇ ગુજર રાવળદેવ આવેલ અને મોજ કરાવેલ. આજે ગુજરાતમાં ધાર્મિકતા ખૂબ વિકસિત થઈ છે, માતાજી ને માનનાર વર્ગ મોટો છે, ખૂબ સારું છે કે લોકો ધાર્મિકતા તરફ વળતા પોતાનું કલ્યાણ પણ થાય છે અને કલાકારને સારું વળતર મળે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button