ટોપ ન્યૂઝનેશનલ

છત્તીસગઢમાં વધુ 30 નકસલીઓ થયા ઠાર, એક પર હતું 1 કરોડનું ઈનામ…

રાયપુરઃ છત્તીસગઢના નારાયણપુરમાં સુરક્ષા દળો અને નકસલીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં 30 નક્સલી ઠાર થયા હતા. આ વાતની જાણકારી રાજ્ય ગૃહ પ્રધાન વિજય શર્માએ ખુદ આપી હતી. તેમણે કહ્યું, 30થી વધારે નકસલીઓ ઠાર થયા છે. અથડામણમાં અનેક મોટા નકસલી પણ માર્યા ગયા છે. આ ઓપરેશનમાં એક સુરક્ષાકર્મીનું મોત થયું છે, જ્યારે એક જવાન ઘાયલ થયો છે. સર્ચ ઓપરેશન ચાલુ છે. જપ્ત કરવામાં આવેલા હથિયારો અંગે જાણકારી આપવામાં આવી નથી.

નારાયણપુર, બીજાપુર અને દંતેવાડા જિલ્લામાં ડીઆરજી જવાનોની નકસલીઓ સાથે અથડામણ શરૂ છે. માડ વિસ્તારમાં સવારથી ફાયરિંગ થઈ રહ્યું છે. અત્યાર સુધીમાં 30 નકસલીઓ ઠાર થયા છે. જેમાં નકસલી નેતા નંબાલા કેશવ રાવ ઉર્ફે બસવ રાજ પણ સામેલ છે. બસવ રાજ પર 1 કરોડનું ઈનામ હતું અને નકસલીઓનો મહાસચિવ હતો.

ડીઆરજી જવાનોએ બસવ રાવને ઠાર કરીને ઈતિહાસ રચ્યો હતો. આ નકસલી નેતાને દેશભરની સુરક્ષા એજન્સીઓ શોધતી હતી. સુરક્ષા દળોની આ કાર્યવાહીને મોટી સફળતાના રૂપમાં જોવામાં આવે છે.

આ પહેલા કેન્દ્રીય અને રાજ્ય સુરક્ષા દળોની ટીમે છત્તીસગઢ-તેલંગાણા સરહદ પર ગાઢ જંગલમાં સર્ચ ઓપરેશન ચલાવીને 31 નક્સલીઓને ઠાર કર્યા હતા.

આપણ વાંચો : છત્તીસગઢમાં નક્સલીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહીઃ કુર્રગુટ્ટાલુ ઓપરેશનમાં 31 નકસલી ઠાર

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button