મનોરંજન

આ કારણે રણબીર લેશે ફિલ્મોમાંથી બ્રેક

હાલમાં રણબીર કપૂર પોતાની ફિલ્મ એનિમલની રીલિઝી અને પ્રમોશનમાં વ્યસ્ત છે, પરંતુ ફિલ્મ રીલિઝ થયા બાદ રણબીર કપૂર લાંબો બ્રેક લેવા વિશે વિચારી રહ્યો છે.

રણબીર કપૂર હાલમાં પોતાની અપકમિંગ ફિલ્મ એનિમલને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં રણબીર સાથે રશ્મિકા મંદાના લીડ રોલમાં છે. રણબીર પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે.


રણબીર કપૂરે હવે ફિલ્મોમાંથી બ્રેક લેવાનો નિર્ણય કર્યો છે. રણબીરે 6 મહિનાનો બ્રેક લેવાનો નિર્ણય કર્યો છે. આ બ્રેક લેવાનું કારણ પત્ની આલિયા નથી, પરંતુ પુત્રી રાહા છે. લગ્ન અને પિતા બન્યા બાદ રણબીર ઘણો વ્યસ્ત હોવાથી પરિવારને સમય આપી શકતો નથી.

રણબીરે હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં પુત્રી રાહા સાથેના તેમના બોન્ડ પર પણ વાત કરી હતી. રણબીર કપૂરે ફેન્સ સાથે ઝૂમ પર વાત કરી હતી. વાતચીતમાં રણબીર કપૂરે એ સ્વીકાર્યું કે, રાહાના જન્મ બાદના શરૂઆતના મહિનામાં તે પુત્રી સાથે સમય ન વિતાવી શક્યો કારણ કે, તે શૂટિંગમાં વ્યસ્ત હતો. જોકે, રણબીરે કન્ફર્મ કરી દીધુ કે, તે ફિલ્મોમાંથી 6 મહિનાનો બ્રેક લેવા જઈ રહ્યો છે.


જેથી તે પોતાની પુત્રી સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી શકે. રણબીર પોતાની પેરેન્ટલ ડ્યૂટી પર વધુ ફોકસ કરવા માંગે છે. કારણ કે, આલ્યા પોતાની અપકમિંગ ફિલ્મ જિગરાના શૂટિંગમાં વ્યસ્ત રહેશે.

રણબીરે વાતચીત દરમિયાન જણાવ્યું કે, રાહાએ ઘૂંટણીએ ચાલવાનું શરૂ કરી દીધુ છે અને તે વસ્તુઓને ઓળખવા પણ લાગી છે. રણબીરે જણાવ્યું કે, રાહા બોલવાનો પ્રયત્ન કરી રહી છે. હાલમાં રાહા મા અને પા બોલવાનો પ્રયત્ન કરી રહી છે.


પુરુષ પિતા બન્યા બાદ વધારે પરિપક્વ બનતો હોય છે. ખાસ કરીને દીકરીના જન્મ બાદ પિતા વધારે જવાબદાર બની રહેતો હોય છે. જોકે રણબીર કપૂર ખાનદાનનો દિકરો છે અને કરોડોમાં રમે છે અટલે તેની માટે શક્ય છે ભઈ, બાકી સંતાન આવ્યા બાદ દેશના કરોડો પુરુષો તો માત્ર બે ટંકનું ખાવાનું ને તેમના ભણતરના ખર્ચના બોજમાંથી જ ઊંચા નથી આવતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને?