નસીબનો બળવાન IAS અધિકારી: રાજીનામું આપ્યાના કલાકોમાં મળ્યું આ પદ
![: An IAS officer signing a document for his new post, which he got within hours of resigning from his previous one.](https://bombaysamachar.com/wp-content/uploads/2023/10/ias_vk_pandian_profile_odisha_1698127172801_1698127184334.webp)
ભુવનેશ્વર: નોકરીમાંથી રાજીનામું આપ્યાના 24 કલાકમાં જ IAS અધિકારીને કેબિનેટ મંત્રીનો દરજ્જો આપી સરકારમાં મોટી જવાબદારી સોંપવામાં આવી છે. 2020 બેચના IAS VK પાંડિયનની VRSને સોમવારે એટલે ગઈકાલે કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી હતી, જેના 24 કલાકની અંદર ઓડિશાના સીએમ નવીન પટનાયકે તેમને કેબિનેટ મંત્રીનો દરજ્જો આપ્યો હતો અને તેમને 5T (Transformational Initiatives)ના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા હતા. વીકે પાંડિયનને 5Tના અધ્યક્ષ સાથે સાથે કેબિનેટ પ્રધાનના હોદ્દા પર નિમણૂક કરવામાં આવી છે, એમ સામાન્ય વહીવટ અને જાહેર ફરિયાદ વિભાગે જણાવ્યું હતું.
હવે તેઓ સીધા મુખ્ય પ્રધાનની નીચે કામ કરશે. પાંડિયન 2011માં મુખ્ય પ્રધાન કાર્યાલય (CMO)માં જોડાયા હતા. ત્યારથી તેઓ પટનાયકના ખાનગી સચિવ છે. પાંડિયનની અસરકારક કામગીરી અને નવીન પટનાયક પરના અતૂટ વિશ્વાસ માટે નોંધપાત્ર ધ્યાન આકર્ષિત કર્યું છે, જેઓ 77 વર્ષની વયે પણ મુખ્ય પ્રધાન તરીકે સંભવિત છઠ્ઠી ટર્મ માટે તૈયારી કરી રહ્યા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે વીકે પાંડિયન ટોચના રાજકીય વ્યૂહરચનાકાર બનશે અને પોતે પણ આ પદ માટે ચૂંટણી લડી શકે છે. તેમને નવીન પટનાયકના ઉત્તરાધિકારી તરીકે પણ ગણવામાં આવે છે.
2000 બેચના આઈએએસ અધિકારી વીકે પાંડિયનને અગાઉ પંજાબ કેડર મળી હતી. પરંતુ તેને ઓડિશા કેડરની IAS ઓફિસર સુજાતા રાઉત સાથે પ્રેમ થયો અને પછી લગ્ન કરી લીધા. જે પછી તેણે ઇન્ટર સ્ટેટ કેડર એક્સચેન્જ પોલિસી હેઠળ ઓડિશામાં તેની કેડર બદલી. પાંડિયને 2002-04થી કાલાહાંડી જિલ્લાના ધરમગઢથી સબ-કલેક્ટર તરીકે ઓડિશામાં તેમની કારકિર્દીની શરૂઆત કરી. આ પછી તેમણે 2005-07 સુધી મયુરભંજ જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટ અને 9 એપ્રિલ 2007થી 29 એપ્રિલ 2011 સુધી ગંજમના જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે કામ કર્યું. ગંજામ મુખ્ય પ્રધાન નવીન પટનાયકનો ચૂંટણી જિલ્લો હોવાથી, તેઓ મુખ્ય પ્રધાન નવીન પટનાયકના સીધા સંપર્કમાં આવ્યા હતા. આ પછી, મે 2011માં તેઓ મુખ્ય પ્રધાન કાર્યાલયમાં જોડાયા અને મુખ્ય પ્રધાન નવીન પટનાયકના ખાનગી સચિવની જવાબદારી સંભાળી હતી.