સ્પેશિયલ ફિચર્સ

ફ્લાઈટમાં આપવામાં આવતા બ્લેન્કેટ આટલા સમયે ધોવામાં આવે છે…

સામાન્યપણે એવું જોવા મળે છે કે ભારતીય રેલવેમાં ટ્રેનોમાં આપવામાં આવતા બ્લેન્કેટ અને ચાદર ક્યારે ધોવાય છે એને લઈને એક અલગ જ ડિબેટ છેડાયેલી હોય છે. પરંતુ શું તમને ખબર છે કે જ્યારે તમે ફ્લાઈટમાં પણ તમને બ્લેન્કેટ આપવામાં આવે છે એ બ્લેન્કેટ ક્યારે અને કેટલા સમય બાદ ધોવાતા હોય છે? ચાલો આજે તમને આ વિશે જણાવીએ…

આપણામાંથી ઘણા લોકોને ફ્લાઈટમાં આપવામાં આવેલા બ્લેન્કેટ યુઝ કરતી વખતે એકાદ વખત તો મનમાં સવાલ આવતો હોય છે કે આખરે આ બ્લેન્કેટ ક્યારે ધોવાનું હશે, ધોવાયું હશે કે નહીં? જોકે, આ સવાલનો જવાબ કોઈ ચોક્કસ જવાબ તો નથી, એનો આધાર તમે કઈ એરલાઈન લો છો એના પર આધાર રાખે છે.

આપણ વાંચો: મુંબઈ-વારાણસી ફ્લાઈટમાં મહિલાનું મોત, છત્રપતિ સંભાજીનગરમાં ઈમર્જન્સી લેન્ડિંગ

ઈન્ટરનેશનલ સર્વિસ પૂરી પાડતી એરલાઈન દરેક ફ્લાઈટ બાદ બધું સાફ સૂથરું રાખવાનો પ્રયાસ કરે છે. ભલે હી આ માટે પાણી, વીજળી અને મહેનત કેમ ના લાગે? એક યુટ્યૂબરે કતર એરવેઝની દોહામાં સફાઈ સુવિધાઓને દેખાડી હતી.

તેણે દેખાડ્યું હતું કે તમામ બ્લેન્કેટને વોશિંગ મશીનમાં ધોવામાં આવે છે. આ મશીન દરરોજ 1,00,000 કવરિંગને સાફ કરવા સક્ષમ છે. તેણે એ પણ જણાવ્યું હતું કે કન્વેયર બેલ્ટ પર બ્લેન્કેટ રાખવાના એક કલાકની અંદર જ આ વિમાનમાં રાખવા માટે તૈયાર થઈ જાય છે.

આપણ વાંચો: નીતા અંબાણી જેટલી અમીર નથી, પણ તેમ છતાં દરરોજ ફ્લાઈટમાં ઓફિસ જાય છે આ મહિલા…

જે સમયે પણ તમે એરલાઈન્સમાં ટ્રાવેલ કરો છો અને તમને બ્લેન્કેટ પ્લાસ્ટિકમાં સારી રીતે વીંટાળીને મળે છે તો એનો અર્થ થાય છે કે આ બ્લેન્કેટની સારી રીતે સફાઈ થાય છે. ફ્લાઈટમાં આપવામાં આવતા બ્લેન્કેટ્સને ઉકળતા ગરમ પાણીમા ધોવામાં આવે છે અને ત્યાર બાદ તેને પેક કરવામાં આવે છે.

આ બાબતે પૂર્વ ફ્લાઈટ એટેન્ડન્ટે માહિતી આપતા જણાવ્યું હતું કે કેટલી ક એરલાઈન સીટ પર કે પ્રવાસીઓના કહેવા પર બ્લેન્કેટ ઉપલબ્ધ કરાવી આપે છે. આવી સ્થિતિમાં એવું નથી કે એ બ્લેન્કેટ નથી ધોવાયેલા. ટૂંકમાં કહીએ તો એરલાઈન હોય કે ટ્રેન તમને આપવામાં આવતા બ્લેન્કેટ્સ સાફ સુથરા હોય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button