ઇન્ટરનેશનલ

પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે સેનાને આપ્યો મોટો ઝટકો

9 મેના રમખાણોના આરોપીઓ સામેનો કેસ મિલિટરી કોર્ટમાં નહીં ચાલે.

પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ નિર્ણયમાં સેનાને મોટો ઝટકો આપ્યો છે. આ નિર્ણય 9 મેના રોજ થયેલા રમખાણો સાથે સંબંધિત છે, જેમાં સેનાએ કહ્યું હતું કે દોષિતો પર સૈન્ય કોર્ટમાં કેસ ચલાવવામાં આવશે. સુપ્રીમ કોર્ટે ટ્રાયલને અમાન્ય ઠેરવી છે.

પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટનો નિર્ણય સેના માટે મોટા ઝટકા સમાન છે. સુપ્રીમ કોર્ટની પાંચ સભ્યોની બેન્ચે સોમવારે આદેશ આપ્યો હતો કે દેશમાં 9 મેના રોજ થયેલા હિંસક વિરોધ પ્રદર્શનમાં ધરપકડ કરાયેલા નાગરિકો વિરુદ્ધ સૈન્ય અદાલતમાં કોઈ કેસ ચલાવવામાં આવશે નહીં. કોર્ટે લશ્કરી અદાલતોમાં પડતર તમામ કેસોને શૂન્ય જાહેર કર્યા છે. કોર્ટે આ કેસમાં પોતાનો ચુકાદો અનામત રાખ્યાના કલાકો બાદ આ આદેશ આવ્યો છે.


જસ્ટિસ ઇજાજુલ અહેસાન બેન્ચમાં જસ્ટિસ મુનીબ અખ્તર, જસ્ટિસ યયા આફ્રિદી, જસ્ટિસ સૈયદ મઝહર અલી અકબર નકવી અને જસ્ટિસ આયેશા એ મલિકનો સમાવેશ થાય છે. 4-1 બહુમતીના નિર્ણયમાં, કોર્ટે કહ્યું હતું કે 9 મેના શકમંદો પર સામાન્ય અદાલતોમાં કેસ ચલાવવામાં આવશે.

9 મેના રોજ થયેલી હિંસા બાદ, રાવલપિંડીમાં જનરલ હેડક્વાર્ટર, લાહોરમાં કોર્પ્સ કમાન્ડરના નિવાસસ્થાન, PAF બેઝ મિયાંવાલી સહિત લશ્કરી સ્થાપનો પરના હુમલામાં તેમની સંડોવણી બદલ કુલ 102 લોકોની અટકાયત કરવામાં આવી હતી. આ હિંસામાં નાગરિક અને લશ્કરી સંસ્થાઓ ઉપરાંત ફૈસલાબાદમાં ઈન્ટર-સર્વિસીસ ઈન્ટેલિજન્સ (આઈએસઆઈ)ની ઓફિસને પણ નિશાન બનાવવામાં આવી હતી

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે… Waterproof મેકઅપ આ રીતે કરો