મરણ નોંધ

જૈન મરણ

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
વરતેજ, હાલ મૈસુર, સ્વ. ગુલાબચંદ ઝવેરચંદ જસાણીના પુત્ર ફતેચંદભાઈ (ઉં.વ. ૮૫) તા. ૨૨-૧૦-૨૩ના રવિવારે સ્વર્ગવાસ થયેલ છે. તે સ્વ. ચુનીલાલ, સ્વ. કેશવલાલ, સ્વ. ભૂપતભાઈ, સ્વ. શાંતિભાઈ તથા ચંદ્રકાંતભાઈ તે સ્વ. કમળાબેન હિમતલાલ સંઘવી, સ્વ. મધુબેન ફુલચંદ શાહના ભાઈ. તે સ્વ. મુદુલાબેનના પતિ. મનીષ, વિપુલ, જાગૃતિના પિતા. તે ભાવિની, ડોલી, કમલેશકુમારના સસરા. ચભાડિયાવાના ચીમનલાલ મગનલાલ ગાંધીના જમાઈ. સાદડી તથા લોકિક વ્યવહાર બંધ રાખેલ છે. ઠે: ચંદ્રકાંત ગુલાબચંદ જસાણી, હારમની એપાર્ટમેન્ટ, ફ્લેટ નં. એ-૬૨, ૬ઠે માળે, દેરાસર લેન, રામનગર, બોરીવલી (વેસ્ટ).

કચ્છી વિશા ઓશવાળ જૈન
પત્રીના નિર્મળા લક્ષ્મીચંદ ગાલા (ઉં.વ. ૭૪) દેશમાં શેરડીમાં ૨૦-૧૦-૨૩ના અવસાન પામ્યા છે. તે ઉમરબાઇ દેરાજ લધાના પુત્રવધૂ. સ્વ. લક્ષ્મીચંદના પત્ની. જીગ્નેશ, હેમંત, છાયા, હીનાના મમ્મી. બેરાજાના નેણબાઇ લાલજી ગણપતના સુપુત્રી. જયંતી, ચીમન કારાઘોઘાના ઝવેર જાદવજી, શેરડીના ગીતા (કાંતા) ગીરીશના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. જીગ્નેશ લક્ષ્મીચંદ, ૨૧-એ ઓમ શ્રધ્ધા, તુલીંજ નાલાસોપારા (ઇ.).

ચાંગડાઇના દેવેન્દ્ર (દેવચંદ) મુરજી નાગડા (ઉં.વ. ૭૫) ૨૨/૧૦/૨૩ના અવસાન પામેલ છે. સુંદરબાઇ મુરજી વીરજીના પુત્ર. સ્વ. શાંતાના પતિ. મીતલ, સ્વ. રોહીત, જીજ્ઞા, કિરણના પિતા. નવલ, ડોણના જવેર વસંત, રાજપીપળાના હેમા ઇંદ્રવદનના ભાઇ. શેરડીના રાજબાઇ કલ્યાણજીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ચક્ષુદાન, ત્વચા દાન કરેલ છે. રહેઠાણ: દેવેન્દ્ર નાગડા, ૨૦૨, ઓમ એપાર્ટમેન્ટ, તીલક રોડ, સર્વેેશ હોલની સામે, ડોંબિવલી (ઇસ્ટ).

મેરાઉના ચંચલબેન નરશી લાલજી ગંગર (ઉં.વ. ૭૯) તા. ૨૩/૧૦/૨૩ના દેહ પરિવર્તન કરેલ છે. મેરાઉના સોનબાઇ લાલજી રણશીના પુત્રવધૂ. નરશી લાલજીના ધર્મપત્ની. ગામ ગોધરાના હીરબાઇ દામજી નાગજીના પુત્રી. સુરેન્દ્ર અને હીનાના માતુશ્રી. પ્રાર્થનાસભા રાખેલ નથી. ઠે. હિના દેઢીયા, પ્લોટ નં. ૪૪૭, સિધ્ધાચલ એપાર્ટમેન્ટ, ૬ઠ્ઠે માળે ૬૦૧, ડો. બાબા સાહેબ આંબેડકર રોડ, માટુંગા-૧૯.

લાકડીઆના મણશી ગાલા (ઉં.વ. ૮૫) દેશમાં તા. ૨૦/૧૦/૨૩ના અવસાન પામેલ છે. મેરઇબેન ભચુ ભારા ગાલાના સુપુત્ર. વાલીબેનના પતિ. અમૃત, સ્વ. લક્ષ્મી, કેશર, મંજુ, હરેશના પિતાશ્રી. સ્વ. નાનજી, કાન્તિ, ગંગા પુરી, મોંઘી, ગં.સ્વ. નાંગલના ભાઇ. સ્વ. લીલાબેન પરબત ધનજી ગડાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. હરેશ ગાલા, નેપચ્યુન બિલ્ડીંગ, એફ /૨૦૩, ૨જે માળે, પુષ્પા પાર્ક, દફતરી રોડ, મલાડ (ઇ.).

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ભાવનગર નિવાસી હાલ મલાડ સ્વ. મનસુખલાલ ધરમચંદ શાહ (હકાણી)ના ધર્મપત્ની મંગળાબેન (ઉં. વ. ૯૭) તા. ૨૨-૧૦-૨૩ના રવિવારે અરિહંતશરણ પામેલ છે. તે બીપીનભાઇ, જીતેનભાઇ, નિરંજનાબેન, મૃધુલાબેન, કપિલાબેન, આશાબેન, નિતાબેનના માતુશ્રી. સ્વ. વર્ષાબેન, પારુલબેન, સ્વ. રમેશકુમાર, સ્વ. જયસુખભાઇ, હર્ષદભાઇ, પદ્મકાંતભાઇ, દિપાલી તથા મિતલના સાસુ. હિતેન, નિરવ, અજય, સાગર, અભય, કીઆન, હૃદય, સિદ્ધ, રિત્વીના દાદી. કોળીયાક નિવાસી સ્વ. ભગવાનદાસ ગીલાચંદની દીકરી. લૌકિક વ્યવહાર રાખેલ નથી.

ઘોઘારી વિશાશ્રી માળી જ્ઞાતિ જૈન
વરતેજ હાલ મૈસુર ફતેહચંદ ગુલાબચંદ શાહ (ઉં.વ. ૮૫) તા. ૨૨/૧૦/૨૩ના મૈસુર મુકામે અરિહંતશરણ પામેલ છે. તે મનીષભાઈ, વિપુલભાઈ અને જાગૃતિબેનના પિતાશ્રી. ભાવિનીબેન, ડોલીબેન અને કમલેશ કુમારના સસરાજી. ધૃવી, ચાર્મી, દિપેન, ઇશા, વિરાલી અને દીક્ષાના દાદા.

ઝાલાવાડી શ્ર્વે મૂ.પૂ. જૈન
પ. પૂ. આચાર્ય ભગવંત વિજય રામચંદ્રસુરીશ્ર્વરજી મહારાજ સમુદાયના પ. પુ. ગચ્છાધિપતી પુણ્યપાલ સુરીશ્ર્વરજી મ. સાના આજ્ઞાવર્તી પુ. સા.શ્રી ચંદ્રનના શ્રીજી મસાના શિષ્યા પુ. સા શ્રી ચંદ્રોજ્વાલા શ્રીજી મ.સા. (ઉં.વ. ૮૭) (દીક્ષા પર્યાય : ૬૩ વર્ષ) તે સુરેન્દ્રનગર નિવાસી ભાઈચંદ શામજીભાઈ શાહના સંસારીપુત્રી ચંદ્રાબેન તે કિશોરભાઈ, સ્વ. ધીરુભાઈ તથા સ્વ. હસમુખભાઈના સંસારીબહેન તે તા. ૧૮/૧૦/૨૩ના ૩.૨૫. શ્રી ભાનુમતી પ્રેમધામ જૈન નગર પાલડી મધ્યે કાળધર્મ
પામેલ છે.

વિશા ઓસવાલ જૈન
જામનગર , સ્વર્ગસ્થ શ્રી પ્રભુલાલ શાહના પુત્ર ધીરેન્દ્ર પ્રભુલાલ શાહના ધર્મપત્ની નીરૂબેન શાહ (ઉં.વ. ૭૯). તા. ૨૨-૧૦-૨૩ રવિવારના અરિહંતશરણ પામેલ છે. જેઓ સ્વ. ઉમેદલાલ ચત્રભુજ ઝવેરીના પુત્રી. અમીષા, અમરના માતુશ્રી. હિતેશભાઈ, સેજલના સાસુ. સ્મિત, વિયતીના નાની/દાદી. લૌકિક વ્યવહાર બંધ છે ૨/૧૨. સેખસરીયા બિલ્ડિંગ, ૪૦- પારેખ સ્ટ્રીટ, પ્રાર્થના સમાજ. મુંબઈ -૪૦૦૦૦૪.

કચ્છી વીશા ઓસ્વાલ જૈન
કાંડાગરા, કચ્છ – વિલે પાર્લે, કાંડાગરાના શ્રી મોરારજીભાઈ છેડા (ઉં.વ. ૮૭), તા. ૧૯-૧૦-૨૩ના અવસાન પામ્યા છે. માતુશ્રી લાછબાઈ મેઘજી છેડાના સુપુત્ર. જયાબેનના પતિ. અમર (રાજુ), કિરણ, જયોતિના પિતાશ્રી. મોના અમર, બાડાના ચંદ્રેશ માવજી ગડા, ભુજપુરના સુરેશ શાંતિભાઈ દેઢિયાના સસરા. બાબુભાઈ (ખીમજી), લખમશી, કલ્યાણજી કંકુબેન, રતનબેન અને અમૃતબેનના ભાઈ. કોડાયના કસ્તુરબેન કાનજી આસધીરના જમાઈ. અમર છેડા બી ૫૦૫, શીલ અપાર્ટમેન્ટ, લજપતરાય રોડ, ભાવી મોટર સ્કૂલની બાજુમાં, વિલેપાર્લા (વે.).

દશા શ્રીમાળી જૈન
ગઢડા (સ્વામીના) નિવાસી હાલ ઘાટકોપર ગં. સ્વ. શારદાબેન સવાઇલાલ ભાયાણી રવિવાર, તા. ૨૨-૧૦-૨૩ના દેહત્યાગ કરેલ છે. તે હરેશભાઇ, પ્રતિભાબેન, સ્મીતાબેન, ત્રીશુલાબેન, ભાવનાબેન, હીનાબેનના માતુશ્રી. પ્રવીણભાઇ શેઠ, રાજેન્દ્રભાઇ ખોખાણી, અશ્ર્વીનભાઇ મહેતાના સાસુ. પીયર પક્ષ સ્વ. જગજીવન કીરચંદ સંઘાણીના સુપુત્રી. સ્વ. ચંપકભાઇ, સ્વ. ધીરજભાઇ, સ્વ. રમણીકભાઇ, સ્વ. મુળવંતરાય, સ્વ. લાભુબેન, સ્વ. શાંતાબેનના બેન. સોનાલી નેમીન સાવડીયા, રીયા રીશી મડીયા, રીશી તથા અક્ષય અશ્ર્વીન મહેતાના નાનીમા. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

સ્થા. દશા શ્રીમાળી જૈન
લાઠા નિવાસી હાલ મુંબઇ રસિકલાલ લવચંદ દેસાઇ (ઉં. વ. ૯૨) તે સ્વ. ઇંદીરાબેનના પતિ. વર્ષા મુકેશ કોઠારી, ભારતી આસુતોષ મહેતા, મધુરા દેસાઇના પિતાશ્રી. નીકીતા રવીશ શાહ, કિંજલ આકાશ ભંડારી, હેતલ, સાહીલના નાના. સ્વ. ઝવેરચંદ પારેખના જમાઇ. (રાજકોટ) રવિવાર, તા. ૨૨-૧૦-૨૩ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
સાવરકુંડલા નિવાસી હાલ વસઇ રોડ સ્વ. રેવાબહેન વનમાળીદાસ રૂગનાથ ગાંધીના પુત્ર કિર્તીભાઇ (ઉં. વ. ૬૧) તે ભૂપેન્દ્રભાઇ, સ્વ. જિતેન્દ્રભાઇ, પ્રફુલભાઇ, અતુલભાઇ, હંસાબેન મુળરાજ મહેતા, જયોતિબહેન નંદકિશોર ઉદાણી તથા નીતાબહેન કિરણકુમાર દોશીના ભાઇ. મોસાળ પક્ષે સ્વ. નિર્મળાબેન કપૂરચંદ વલભજી ઘેલાણીના ભાણેજ. રવિવાર, તા. ૨૨-૧૦-૨૩ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.

વાગડ વિ. ઓ. જૈન
ગામ લાકડિયાના સ્વ. નીતીન નિસર (ઉં. વ. ૬૧) તા. ૨૨-૧૦-૨૩ રવિવારના અવસાન પામ્યા છે. લીલીબેન વાલજી ખીમજી નિસરના પૌત્ર. લક્ષ્મીબેન હરખચંદ નિસરના સુપુત્ર તનિષ્ઠા, હયાન, ભવ્યના પિતાશ્રી. પ્રફુલ્લ, સ્વ. ભરત, નયના, યોગીનાના ભાઇ. પ્રાર્થના રાખેલ નથી. લૌકિક વ્યવહાર સદંતર બંધ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે