ટોપ ન્યૂઝનેશનલ

પોપ ફ્રાન્સિસના માનમાં ભારતમાં ત્રણ દિવસનો રાજકીય શોક; અડધી કાઠીએ ફરકાવાશે રાષ્ટ્રધ્વજ…

નવી દિલ્હી: રોમન કેથોલિક ચર્ચના પ્રથમ લેટિન અમેરિકન વડા પોપ ફ્રાન્સિસના નિધન પર શ્રદ્ધાંજલિ રૂપે ભારત સરકારે ત્રણ દિવસના રાજકીય શોકની જાહેરાત કરી છે. આજે 21મી એપ્રિલના રોજ 88 વર્ષની વયે અવસાન થયું હતું.

ત્રણ દિવસનો રાષ્ટ્રીય શોક
મળતી વિગતો અનુસાર ગૃહ મંત્રાલય (MHA) એ ખ્રિસ્તી ધર્મગુરુ પોપ ફ્રાન્સિસના અવસાન પર શ્રદ્ધાંજલિ રૂપે ત્રણ દિવસના રાજકીય શોકની જાહેરાત કરી છે. ખ્રિસ્તી ધર્મગુરુ ધર્મગુરુ પોપ ફ્રાન્સિસનું આજે, 21 એપ્રિલ, 2025 ના રોજ નિધન થયું હતું. તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા સમગ્ર ભારતમાં ત્રણ દિવસનો રાજકીય શોક રહેશે. જેમાં 22 એપ્રિલ, 2025 મંગળવાર અને 23 એપ્રિલ, 2025 બુધવારના રોજ બે દિવસનો રાજકીય શોક તેમજ અંતિમ સંસ્કારના દિવસે એક દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે.

રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવાશે
ઉલ્લેખનીય છે કે રાજકીય શોકના સમયગાળા દરમિયાન સમગ્ર ભારતમાં જે ઇમારતોમાં રાષ્ટ્રધ્વજ નિયમિતપણે ફરકાવવામાં આવે છે ત્યાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે અને કોઈ સત્તાવાર મનોરંજન યોજાશે નહીં.

ખ્રિસ્તી ધર્મગુરુ પોપ ફ્રાન્સિસનું આજે સોમવારના રોજ 88 વર્ષની વયે નિધન થયું હતું. તેમને ફેફસાની બીમારીને કારણે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને પોપ ફ્રાન્સિસ ન્યુમોનિયાથી પીડિત હતા. તેમણે વેટિકન સિટીમાં અંતિમ શ્વાસ લીધા હતા.

આપણ વાંચો : પોપ ફ્રાન્સિસનું 88 વર્ષની વયે અવસાન, વેટિકને કરી પુષ્ટિ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button