ઈન્ટરવલ
રમૂજી સવાલના મનમોજી જવાબ

દર્શન ભાવસાર
સ્ત્રીઓ વંદા અને ગરોળીથી કેમ ડરતી હશે?
- એ કહ્યાગરા હોતા નથી એટલે.
રાત્રે સ્વપ્નું ક્લિયર દેખાતું નથી. - તો, મોતિયો આવ્યો હશે. આંખ ચેક કરાવો….
આડા પડખે સુવાય તો ઊભા પડખે કેમ નહીં?. - એ માટે ઊંઘમાં ચાલતા શીખવું પડે.
વહેલાં ઉઠે વીર. તો મોડા ઉઠે એ? - ભડ વીર.
છૂટાછેડા ક્યારે લેવાય? - લગ્ન કર્યા પછી!
સૂરજદાદા અને ચાંદામામાની જેમ તારાને શું કહેવાય? - તારાકાકી – તારાભાભી ને તારામાસી…
હવે કૂકડો સવારે કેમ બોલતો નથી? - સવારની શિફ્ટમાં પગાર ઓછો મળે છે એટલે એ નાઈટ શિફટ કરે છે.
સામાન્ય જ્ઞાનની જેમ સામાન્યઅજ્ઞાનની પરીક્ષા લેવાય તો? - ફુલ્લી ફેલના રેકોર્ડ થવા માંડે.
નસીબની બલિહારી હોય તો કમનસીબી માટે શું? - કમ યારી.
વરને એની મા વખાણે એવું કેમ? - મમ્મી માટે છેલ્લો ચાન્સ. પછી વહુનો વારો!
બાધા- માનતા ના ફળે તો? - વીમો ઊતરાવો..!
દિલ સાથે બિલની વાત થાય?
આપણ વાંચો: બસમાં રખડવું એ પણ એક જલસો હતો!
*ગર્લ ફ્રેન્ડને પૂછી જોજો.
પ્રેમ સંબંધ- પ્રેમ પ્રકરણ- પ્રેમ રોગ, પ્રેમ રંગ- પ્રેમ રાગ, ઈત્યાદિ પછી શું?
- સાસુ સસરા- સાળા સાળી, સાઢુભાઈ, ઈત્યાદિ ઈત્યાદિ.
મનોરથનું સરનામું શું? - મનોવિશ્વ.
હીરો- હીરોઈનની જેમ વિલનની જોડી કેમ ના હોય? - હોયને. વિલન સાથે વેમ્પ ને એ બન્નેનું કામ જોડવાનું નહીં, તોડવાનું !
ઘંટ કોને કહેવાય ? - એવી વ્યક્તિને, જે સૌથી પહેલાં પોતાની જાહેરાત કરે ને પછી મંદિરની !