અમદાવાદમા ફરી મેગા ડિમોલેશનની કાર્યવાહી? આ કારણે તોડી પડાશે 210 મકાનો..

અમદાવાદઃ શહેરના સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આવેલા 3505 મીટર લાંબા રન-વેની સમકક્ષ 1895 મીટર અડધો ટેક્સી-વે કાર્યરત છે.
હવે 1610 મીટરનો ટેક્સી-વે પૂરો કરવા માટે અડચણરૂપ બાંધકામોને દૂર કરવા મેગા ડિમોલેશનની તૈયારીઓ પુરી કરી લેવામાં આવી છે, સરદારનગર એરિયાના અંદાજે 50 વર્ષથી રન-વેની બાજુમાં ઉભા બે-ત્રણ માળના મકાનોને આગામી ટૂંક સમયમાં તોડી પાડવામાં આવશે.
આગામી દિવસોમાં નોટિસ ફટકારવામાં આવશે.210 જેટલા મકાનોના રેવન્યું રેકોર્ડની તપાસ થઇ તો જાણવા મળ્યું કે તે દબાણો ગેરકાયદેસર છે. કારણ કે તે 20 રૂપિયાના સ્ટેમ્પ પર લખીને આપેલા છે.
આપણ વાંચો: અમદાવાદ એરપોર્ટ પરથી 1 વર્ષમાં આટલા કિલો સોનું અને ગાંજો પકડાયો
શું છે તંત્રની તૈયારીઓ?
આ મકાનો તોડતા અટકાવવા હાઇકોર્ટમાં કોઇ સ્ટે ન લાવે માટે કેવિયેટ ફાઇલ કરાઇ હતી, આ તોડફોડમાં જો કોઇ અડચણ ઉભી કરશે તો તેની સામે કલેક્ટર દ્વારા લેન્ડ ગ્રેબ્રિંગ કરવાની તૈયારીઓ થઇ છે. પોલીસ કાફલો પણ સ્થળ પર હશે અને કોઇ અનિચ્છિય ઘટના ન બને તે માટે ખાસ ધ્યાન રખાશે.
આપણ વાંચો: Ahmedabad એરપોર્ટ પરથી 53 લાખનું સોનું અને ગાંજો પકડાયો…
ટૂંક સમયમાં મેગા ડિમોલેશનની કાર્યવાહી
આગામી સમયમાં પોલીસ અને સરકારી તંત્રને જાણ કરાશે, એરપોર્ટ પર આ મેગા ડિમોલેશન માટે એએમસીના ઉત્તર ઝોનના ડીવાયએમસીએ મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનરને આ ફાઇલ મંજૂરી માટે મોકલી આપી છે. તમામ પ્રકારની મંજૂરી મળ્યાં બાદ આગામી ટૂંક સમયમાં મેગા ડિમોલેશનની કાર્યવાહી શરૂ કરાશે.