આપણું ગુજરાતટોપ ન્યૂઝનેશનલ

પદ્મ વિભૂષણ કથક નૃત્યાંગના કુમુદિની લાખિયાનું અવસાન, આજે અમદાવાદમાં અંતિમ સંસ્કાર

અમદાવાદ: ગુજરાતના દિગ્ગજ કથક નૃત્યાંગના કુમુદિની લાખિયાનું 95 વર્ષની જૈફ વયે અવસાન થયું છે. નૃત્ય ક્ષેત્રમાં તેમના પ્રદાનને બિરદાવતા ભારત સરકારે તેમને પદ્મ વિભૂષણ પુરસ્કાર એનાયત કર્યો હતો. આજે બપોરે અમદાવાદમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેમણે 1967માં અમદાવાદ ખાતે ભારતીય નૃત્ય અને સંગીતની સંસ્થા, કદમ્બ સ્કૂલ ઓફ ડાન્સ એન્ડ મ્યુઝિકની સ્થાપના કરી હતી. જેમાં હજારો કલાકરો તાલીમ લઇ ચુક્યા છે.

કુમુદિની લાખિયાની જન્મ 17 મે 1930ના રોજ થયો હતો. તેમણે સાત વર્ષની ઉંમરે બીકાનેર ઘરાનાના સોહનલાલ પાસેથી કથકની તાલીમ લેવાની શરૂ કરી હતી. આ પછી તમણે બનારસ ઘરાનાના આશિક હુસૈન અને જયપુર સ્કૂલના સુંદર પ્રસાદ પાસેથી શિક્ષા મેળવી હતી. તેમના માતા લીલા શાસ્ત્રીય ગાયિકા હતાં. તેમના માતાએ તેમને રાધેલાલ મિશ્રા હેઠળ તાલીમ આગળ વધારવા માટે પ્રોત્સાહિત કર્યા હતાં. તેમને લાહોરમાં શાળાકીય શિક્ષણ અને અલ્હાબાદમાં કોલેજનો અભ્યાસ પૂર્ણ કર્યો.

કુમુદિની લાખિયાએ રામ ગોપાલ સાથે નૃત્ય ક્ષેત્રે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેઓ પશ્ચિમના દેશોના પ્રવાસે ગયા હતા, આ દરમિયાન તેમણે ભારતીય નૃત્યને વિદેશમાં પ્રખ્યાત કર્યું હતું, ત્યાર બાદ તેમણે કોરિયોગ્રાફર તરીકે કારકિર્દી શરુ કરી.

તેમની કેટલીક સૌથી પ્રખ્યાત કોરિયોગ્રાફીઓમાં ધબકાર (પલ્સ), યુગલ (ધ ડ્યુએટ), અને અતાહ કિમ (વ્હેર નાઉ?)નો સમાવેશ થાય છે. તેમણે હિન્દી ફિલ્મ ઉમરાવ જાન (1981) ફિલ્મમાં ગોપી કૃષ્ણ સાથે કોરિયોગ્રાફર પણ હતી.

તેઓ દેશન ઘણા જાણીતા ડાન્સર્સના ગુરુ છે, તેમના શિષ્યોમાં કથક નૃત્યકારો અદિતિ મંગળદાસ, વૈશાલી ત્રિવેદી, સંધ્યા દેસાઈ, દક્ષા શેઠ, મૌલિક શાહ, ઇશિરા પરીખ, પ્રશાંત શાહ, ઉર્જા ઠાકોર અને પારુલ શાહનો સમાવેશ થાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button