દેશના ચોથા પીએમ મોરારજી દેસાઈની આજે પુણ્યતિથી, ભારત અને પાકિસ્તાન બંનેએ આપ્યા છે સર્વોચ્ય સન્માન

નવી દિલ્હી : ભારતના ચોથા વડા પ્રધાન મોરારજી દેસાઈની આજે પુણ્યતિથી છે. મોરારજી દેસાઈ જેમણે પોતાની વહીવટી નોકરી છોડીને રાજકારણમાં જોડાયા હતા. તેમનું 10 એપ્રિલ 1995 ના રોજ 99 વર્ષની વયે અવસાન થયું. તેઓ 1977 થી 1979 સુધી ભારતના ચોથા વડા પ્રધાન રહ્યા હતા. ભારતીય રાજકારણમાં બહુ ઓછા રાજકારણીઓ એવા રહ્યા છે જેમણે જીવનભર પોતાના સિદ્ધાંતોનું પાલન કર્યું હોય. આવા જ એક રાજકારણી મોરારજી દેસાઈ હતા. મોરારજી દેસાઈ દેશના પ્રથમ ગેર-કોંગ્રેસી વડા પ્રધાન હતા.
નિશાન-એ-પાકિસ્તાનથી નવાજવામાં આવ્યા
મોરારજી દેસાઈનો જન્મ 29 ફેબ્રુઆરી, 1896 ના રોજ ગુજરાતના ભદેલી ગામમાં થયો હતો. તેઓ દેશના એકમાત્ર એવા વડા પ્રધાન છે જેમને ભારત અને પાકિસ્તાન બંને તરફથી સર્વોચ્ચ સન્માનથી નવાજવામાં આવ્યા છે. તેમને ભારત રત્ન અને પાકિસ્તાનના સર્વોચ્ચ સન્માન નિશાન-એ-પાકિસ્તાનથી નવાજવામાં આવ્યા છે.
બોમ્બમારો કરવા માટે જમીનનો ઉપયોગ કરવાની મંજૂરી આપી ન હતી
ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય સંબંધો સુધારવા માટે પાકિસ્તાને મોરારજી દેસાઇને સર્વોચ્ચ સન્માન આપવામા આવ્યો હતો. જેમા કટોકટી પછી 1970ના દાયકાના અંતમાં જ્યારે તેઓ ભારતના પીએમ હતા ત્યારે તેમણે ઇઝરાયલી વિમાનોને પાકિસ્તાનના પરમાણુ સ્થળો પર બોમ્બમારો કરવા માટે ભારતીય જમીનનો ઉપયોગ કરવાની મંજૂરી આપી ન હતી.આ ઉપરાંત પાકિસ્તાનના તત્કાલીન આર્મી ચીફ જનરલ ઝિયા-ઉલ હકને સામાન્ય વાતચીતમાં કહેવામાં આવ્યું હતું કે ભારતીય સુરક્ષા એજન્સીઓ પાકિસ્તાનના પરમાણુ કાર્યક્રમ વિશે બધું જ જાણે છે.
અબ્દુલ ગફ્ફાર ખાનને ભારત રત્ન એનાયત કરવાની ઘટનાને કેન્દ્રમાં રાખી
જેના કારણે પાકિસ્તાની શહેર કહુન્ટામાં જ્યાં પરમાણુ પ્લાન્ટ સ્થિત હતા.ત્યાંના તમામ ભારતીય RAW એજન્ટોને પાકિસ્તાની સેના દ્વારા મારી નાખવામાં આવ્યા હતા. આ મુદ્દે, સંરક્ષણ નિષ્ણાત આલોક બંસલ એ શક્યતાને સ્પષ્ટપણે નકારી કાઢે છે કે ભૂતપૂર્વ પીએમ મોરારજી દેસાઈએ ઝિયાઉલ હકને પાકિસ્તાનના કહુન્ટા શહેરમાં પરમાણુ પ્લાન્ટ વિશે કંઈ કહ્યું હતું અથવા આ ઉપકારને કારણે તેમને ‘નિશાન-એ-પાકિસ્તાન’ આપવામાં આવ્યું હતું. જોકે, તેમણે 1988 માં ભારત સરકાર દ્વારા ખાન અબ્દુલ ગફ્ફાર ખાનને ભારત રત્ન એનાયત કરવાની ઘટનાને કેન્દ્રમાં રાખી.
નેહરુના મૃત્યુ બાદ મોરારજી પીએમ પદ માટે સૌથી મજબૂત દાવેદાર હતા.
મોરારજી દેસાઈ ખૂબ જ સક્ષમ નેતા હતા. વર્ષ 1964મા તત્કાલીન પીએમ જવાહરલાલ નહેરુના અવસાન પછી તેઓ વડા પ્રધાન પદ માટે સૌથી મજબૂત દાવેદાર હતા, જોકે, કોંગ્રેસમાં ચાલી રહેલા જૂથવાદને કારણે તેઓ ઘણા સભ્યોને પોતાના પક્ષમાં મેળવી શક્યા નહીં. આ સ્થિતિમાં લાલ બહાદુર શાસ્ત્રીએ વડા પ્રધાનની ખુરશી સંભાળી. વર્ષ 1966માં લાલ બહાદુર શાસ્ત્રીના અવસાન પછી વડા પ્રધાન પદ ફરી એકવાર ખાલી પડ્યું. મોરારજી અને ઇન્દિરા ગાંધી વચ્ચે પીએમ બનવા માટે જોરદાર સ્પર્ધા હતી. મોરારજી પોતાને કોંગ્રેસના મોટા નેતા માનતા હતા. તેઓ ઇન્દિરા ગાંધીને ગુંગી ઢીંગલી કહેતા હતા. ઘણા બીજા નેતાઓ પણ ઈન્દિરાનો વિરોધ કરી રહ્યા હતા. આમ છતાં, ઇન્દિરા ગાંધી પ્રધાનમંત્રી બન્યા અને મોરારજીનો વિરોધ બાજુ પર રહી ગયો.
દેસાઈનો કાર્યકાળ 1977 થી 1979 સુધીનો હતો
નવેમ્બર 1969માં જ્યારે કોંગ્રેસનું વિભાજન થયું અને ઇન્દિરા ગાંધીએ નવી કોંગ્રેસની રચના કરી. ત્યારે દેસાઈ ઇન્દિરા વિરુદ્ધ કોંગ્રેસ(ઓ )છાવણીમાં હતા. વર્ષ 1975માં મોરારજી દેસાઈ જનતા પાર્ટીમાં જોડાયા. માર્ચ 1977માં જ્યારે લોકસભાની ચૂંટણીઓ યોજાઈ ત્યારે જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી. પરંતુ તેમના માટે વડાપ્રધાન બનવું એટલું સરળ નહોતું કારણ કે ચૌધરી ચરણ સિંહ અને જગજીવન રામ પણ પીએમ પદના દાવેદાર હતા. ત્યારે જયપ્રકાશ નારાયણનો ટેકો કામમાં આવ્યો અને મોરારજી વડા પ્રધાન બન્યા. મોરારજી દેસાઈનો કાર્યકાળ 1977 થી 1979 સુધીનો હતો. ચૌધરી ચરણ સિંહ સાથેના મતભેદોને કારણે તેમણે વડા પ્રધાનપદ છોડવું પડ્યું.