મરણ નોંધ

હિન્દુ મરણ

કચ્છી ભાટીયા
લલિતકુમાર (કુમારભાઈ) (ઉં. વ. ૮૭) તે સ્વ. કસ્તુરબાઈ કેશવજી આશર (ઓખાઈ)ના પુત્ર સ્વ. સાવિત્રીના પતિ. તે અ. સૌ. રીટા મનીષ ભુજવાલા, હર્ષા (સોના)ના પિતાશ્રી. સ્વ. ઈન્દુબેન, સ્વ. ભગવાનદાસ, કનકસિંહ, સ્વ. ઉષાબેન, સ્વ. જયશ્રી, અ. સૌ. મીનાબેન, અ.સૌ. લતાબેન, સ્વ. કલ્પનાના ભાઈ. સ્વ. વ્રજકુંવર તુલસીદાસ બેટવાના જમાઈ. અ. સૌ. બીજલ રામૈયા, શીતલ આશરના કાકા. તા. ૨૦-૧૦-૨૩ને શુક્રવારે શ્રીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર સદંતર બંધ છે.

કંઠી ભાટીયા
સ્વ. જમકોરબેન જેઠાલાલ આશરના પુત્ર કિષ્નકાંતભાઈ, (ઉં. વ. ૭૯) તે કિરણબેનના પતિ. અ. સૌ. ચાંદની રાજીવ સંપટ તથા પ્રિતેશના પિતાશ્રી. સ્વ. અરવિંદ, સ્વ. શશીકાંત, સ્વ. મૂળરાજ, રમેશ, હંસા, સ્વ. ચેતનાના ભાઈ. સ્વ. લાલજી લધાભાઈ વેદના જમાઈ. તા. ૨૧-૧૦-૨૩ શનિવારના અવસાન પામેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે.

હાલાઈ લોહાણા
અ. સૌ. હર્ષાબેન (ઉં. વ. ૬૩) તે ચંદુલાલ કેશવજી લાખાણીના ધર્મપત્ની (વેરાવળ) હાલ કાંદિવલી અવસાન તા. ૨૦-૧૦-૨૩ના થયેલ છે. તે જાંભુલપાડા નિવાસી સ્વ. ગોકુલદાસ કાલીદાસ કાનાબારના સુપુત્રી. તે ચિ. હિરલ ધવલકુમાર આડતીયાના માતુશ્રી. તે સ્વ. મથુરાદાસ, સ્વ. હિતેશ, સ્વ. વિજેશ અને અજીત તથા નીતિનના મોટાબેન. તે પુષ્પાબેન હરીલાલ કારીયાના ભાભી. લૌકિક વ્યવહાર બંધ છે.

દશા સોરઠિયા વણિક
માંગરોળ હાલ મીરારોડ હેમલતાબેન મહેન્દ્રકુમાર શાહ (બાઉબેન) (ઉં. વ. ૭૨) તા. ૨૦-૧૦-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે ગુલાબબેન મુળજીભાઈ શાહના પુત્રવધૂ તથા જસુબેન વ્રજલાલ કામદારના દીકરી. વિકાસ, પ્રીતિ, કામિનીના માતુશ્રી. હેમા, જય, પરેશના સાસુ. મિતલ, સ્મિત, અભિષેકના દાદી. પ્રાર્થનાસભા બંધ રાખેલ છે.

બાલાસિનોર દશા નીમા વણિક
કુસુમ લક્ષ્મીચંદ ગાંધી (ઉં. વ. ૯૦) તા. ૨૦-૧૦-૨૩ના શુક્રવારે શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. કોદરલાલ અને સ્વ. ગીરજાબેન પરીખ (સુબા)ના દીકરી. તે લક્ષ્મીચંદ ચંદુલાલ ગાંધીના પત્ની. તે હિરેન, અમિતા, જયેશ અને નીપાના માતા. તે ચેતના, વિપુલ, મોના અને ચંદ્રેશના સાસુ. તે હાર્દિક, મિતુલ, હર્ષિત, પ્રજિત, દક્ષિત, ઉર્વી અને કૃપાના દાદી. તે તેજલ, મોના, શીરીન, શ્રદ્ધા અને ધ્રુવીના દાદી સાસુ. તે ધ્રીવા, રિષવ, યુવાન અને હનિષ્ઠાના મોટી બા. પ્રાર્થનાસભા રવિવાર, તા. ૨૨-૧૦-૨૩ના સાંજે ૫થી ૭. ઠે. વિશ્ર્વેશ્ર્વર ભવન, ૧લે માળે, સન્યાસ આશ્રમ કમ્પાઉન્ડ, સન્યાસ આશ્રમ માર્ગ, વિલેપાર્લે, પશ્ર્ચિમ, લૌકિક વ્યવહાર બંધ છે.

બાલાસિનોર દશાનિમા વણિક
સ્વ. રમણલાલ પ્રાણલાલ શાહ (ચકવા) ના પુત્ર જયેન્દ્ર ભાઈ (ઉં. વ. ૭૮) શ્રીજીચરણ પામ્યા છે તા. ૨૦-૧૦-૨૩ તે સ્વ. ભારતીબેન તથા સ્વ.નીરૂબેનના પતિ. તે ધર્મેશ, અમી, સચિનના પપ્પા. તે દર્શના,પીનાલીના સસરા. હર્ષિતા, દેવાંશી, મન, વંશ, હિયાના દાદા. તે શાંતિલાલ મોજીલાલ દેસાઇના જમાઈ. તેમની પ્રાર્થનાસભા તા. ૨૨-૧૦-૨૩ ને રવિવારે ૪ થી ૬: પાવન ધામ, મહાવીર નગર, પાવન ધામ માર્ગ, બી સી સી આઈ ગ્રાઉન્ડની સામે કાંદીવલી વેસ્ટ. બારમા, તેરમા તથા લૌકિક પ્રથા બંધ છે.

નવગામ ભાટિયા
ગામ રાજકોટ, હાલ કાંદિવલી ગં. સ્વ શોભનાબેન આશર (ઉં. વ. ૬૬) તે ૧૯/૧૦/૨૩ ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. અશ્ર્વિનકુમાર આશરના ધર્મપત્ની, સ્વ. રાધાબેન ચંદ્રકાન્ત આશરના પુત્રવધૂ. સ્વ. કુસુમબેન ચંદ્રકાન્ત વેદ જલગાવના દીકરી. સ્વ. પૂર્ણિમાબેન વિમલભાઈ, જયશ્રીબેન, સ્વ. ભારતીબેન, ભામીની મહેન્દ્રકુમાર રાયગગલાના ભાભી. દક્ષાબેન કૃષ્ણકુમાર સરૈયા, અલ્પા હેમેન્દ્રકુમાર આશર, પૂર્ણિમા ચેતનકુમાર નેગાંધી, ગીતાબેન સુનિલકુમાર નેગાંધીના મોટાબેન. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

દશા સોરઠીયા વણિક જ્ઞાતિ
ખામગાવ, હાલ મુંબઈ, ગં. સ્વ. શ્રીમતી કુસુમબેન (ઉં. વ. ૭૬) તે સ્વ. સૂર્યકાંતભાઈ વલ્લભદાસભાઈ સેલારકાના ધર્મપત્ની, મહેસાણાના સ્વ.પોપટલાલભાઈ સાંગાણીના પુત્રી. મુકેશભાઈના ભાભી. હેમાબેનના જેઠાણી, ચિરાગ, કલ્પના ગિરીશ ધાબળિયા, નીના મિલન પારેખ, મોના ભાસ્કર શાહ, સપના મનોજ મુંજીયાસરા, અલ્પા મનોજ શાહના માતૃશ્રી તથા રિદ્ધિના સાસુ. તા. ૧૭/૧૦/૨૩, મંગળવારે શ્રીજી ચરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

પરજિયા સોની
લાઠીવાળા, હાલ બોરીવલી લાખાભાઈ તુલસીભાઈ ધકાણના પુત્ર સુરેશભાઈ ધકાણ (ઉં. વ. ૭૨) તા. ૨૦-૧૦-૨૩ ને શુક્રવારના શ્રીજીચરણ પામ્યા છે તે જયાબેનના પતિ. માધવી રૂપલ કાજલ ક્રિષ્નાના પિતા. સ્વ પ્રાણભાઈ, સ્વ પ્રવીણભાઈ સ્વ ગુણવંતીબેન, સ્વ ઇન્દુબેનના ભાઈ, ધ્રુવીક, માહી, વીર, જીયાના દાદા. સ્વ જમનાદાસ તથા શાંતિલાલ ભાઈ ઘઘડાના બનેવી. લૌકિક પ્રથા બંધ
રાખેલ છે.

કચ્છી લોહાણા
સ્વ. જમનાબેન આણંદજી મોરારજી ભીંડે કચ્છ ગામ વાધોપઘર હાલ રાજકોટના પુત્ર કરસનદાસ (ઉં. વ. ૭૮) તે. સ્વ. શાંતાબેનના પતિ. તે સ્વ. રૂક્ષ્મણીબેન હંસરાજ નરશી કોઠારી કચ્છ ગામ કોટડા (રોહા) વાલાના જમાઈ. તે હિતેશ અને વર્ષાના પિતાશ્રી. તે સ્વ. કલ્યાણજી, સ્વ. ઉમરશી, કેશવજી, સ્વ.નરોત્તમદાસ, ગોપાલજી ગં. સ્વ. મંગળાબેન, સ્વ. લિલાવાંતીબેન, ગં. સ્વ. જયાબેન, ગં.સ્વ. પ્રભાબેનના ભાઈ તા ૧૮.૧૦.૨૩ ને બુધવારના રાજકોટમાં શ્રી રામશરણ પામેલ છે. તેમની બંને પક્ષની પ્રાર્થનાસભા તા ૨૨.૧૦.૨૩ ને રવિવારના ૪.૩૦ થી ૬.૦૦ શ્રી મુક્તેશ્ર્વર મહાદેવ મંદિર ડો આર પી રોડ મુલુંડ વેસ્ટ. લોકીક વ્યવહાર બંધ છે. બૈરાઓએ તેજ દિવસે આવી જવું.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત