ગાંધીનગર

ગુજરાતમાં બે વર્ષમાં કેટલી સરકારી શાળાને માર્યાં તાળાં, કારણ શું?

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. આજે રાજ્યમાં આવેલી સરકારી પ્રાથમિક શાળાઓ બંધ કરવા બાબતે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે પ્રશ્ન પૂછ્યો હતો. જેનો પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ પ્રધાને જવાબ આપ્યો હતો.

આ પણ વાંચો: ગુજરાતમાં 2 વર્ષમાં કેટલી GST ચોરી પકડાઈ? સરકારે વિધાનસભામાં આપી માહિતી…

પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે 25-02-2025ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં કયા જિલ્લામાં કેટલી સરકારી શાળાઓ બંધ કરવામાં આવી અને તેના શું કારણો છે તેવો પ્રશ્ન પૂછ્યો હતો. જેનો જવાબ આપતા પ્રધાને કહ્યું, અમરેલીમાં 6, અરવલ્લીમાં 7, ભાવનગરમાં 1, છોટા ઉદેપુરમાં 3, ડાંગમાં 1, દેવભૂમિ દ્વારકામાં 9, ગીર સોમનાથમાં 1, જામનગરમાં 2, જુનાગઢમાં 4, ખેડામાં 2, કચ્છમાં 3, મહેસાણામાં 1, નવસારીમાં 2, પંચમહાલમાં 1, પોરબંદરમાં 6, રાજકોટમાં 3, સુરતમાં 1 અને સુરેન્દ્રનગરમાં 1 પ્રાથમિક સરકારી શાળા બંધ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓની સંખ્યા શૂન્ય હોવાથી અથવા પૂરતી સંખ્યા ન હોવાના કારણે બંધ કરવામાં આવી હતી.

આ પણ વાંચો:GIFT Cityમાં દારૂના વેચાણથી સરકારને થઈ અધધ આવક, વિધાનસભામાં કરૂી કબૂલાત.

સુરતમાં તેલુગુ માધ્યમની સ્કૂલ થઈ બંધ

વિધાનસભામાં સરકારે આપેલી માહિતી પ્રમાણે સુરતમાં તેલુગુ માધ્યમની શાળામાં વિદ્યાર્થીઓ સંખ્યા શૂન્ય હોવાથી બંધ કરવામાં આવી હતી. જ્યારે ગાંધીનગરમાં પણ શાળામાં વિદ્યાર્થીની સંખ્યામાં ઘટાડો થતાં બંધ કરાઈ હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button