નેશનલ

કાશ્મીરમાં ટૂંક સમયમાં જ શરૂ થશે ‘વંદે ભારત’ ટ્રેન

નવી દિલ્હી: કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્ર્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે જમ્મુ-શ્રીનગર લાઇન શરૂ થયા પછી આ નાણાકીય વર્ષમાં કાશ્મીરમાં વંદે ભારત સેવાઓ શરૂ થવાની અપેક્ષા છે. તેમણે કહ્યું હતું કે પૂર્વોત્તર રાજ્યની રેલવે લાઇનનું વિદ્યુતીકરણ પૂર્ણ થયા બાદ આ સેમી-હાઇ સ્પીડ ટ્રેન ત્રિપુરાના લોકોને પણ સેવા આપશે. સરકાર આવતા વર્ષે માર્ચ સુધીમાં ૭૫ વંદે ભારત ટ્રેનો શરૂ કરવાની યોજના ધરાવે છે. વૈષ્ણવે મીડિયાને માહિતી આપતાં કહ્યું, “જમ્મુથી શ્રીનગર રેલવે લાઇન ટૂંક સમયમાં તૈયાર થશે અને વંદે ભારત ટ્રેન પણ તેના પર દોડશે. તેમણે કહ્યું કે જમ્મુ-શ્રીનગર રેલવે લાઇન પર કામગીરી આ નાણાકીય વર્ષમાં શરૂ થવાની અપેક્ષા છે. આ ટ્રેનને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે તે તાપમાન અને ઊંચાઈમાં સરળતાથી દોડી શકે અને વાતાવરણની વિષમતા સહી શકે. એક સર્વે મુજબ, વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો આરામ અને ઝડપના મામલે યુવાનો અને વરિષ્ઠ નાગરિકોમાં લોકપ્રિય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે… Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા…