આમચી મુંબઈ

મરાઠા આંદોલનકારીની આત્મહત્યા

મુંબઇ: જાલના જિલ્લામાં મરાઠા આંદોલનમાં સક્રિય રહેલા સુનીલ કાવલેએ મુંબઇમાં આત્મહત્યા કરી હોવાની માહિતી મરાઠા ક્રાંતિ મોરચાના સંયોજક વિનોદ પાટીલે તેમની સોશિયલ મીડિયા પોસ્ટમાં આપી હતી. તેમણે પોસ્ટમાં તેમના મરાઠા ભાઇઓને સંબોધતા કહ્યુ હતુ કે, ‘મરાઠી ભાઈઓ તમારી માંગણીઓ રજૂ કરવાનો આ યોગ્ય માર્ગ નથી. ઇતિહાસમાં આપણી આ યોદ્ધા જાતીએ અનેક યુદ્ધો જીત્યા છે. થાકશો
નહીં, યુદ્ધને અધવચ્ચે છોડશો નહીં. સરકારને વિનંતી છે કે આ મામલો વધુ ગંભીર બનવા જઈ રહ્યો છે, કમ સે કમ એ સ્વીકારો કે મરાઠા આરક્ષણનો મુદ્દો આપણા અસ્તિત્વ સાથે જોડાયેલો છે આટલું બધું ગુમાવ્યા પછી પણ તમે જાગતા નથી. આ પછીથી મરાઠી યુવાનો આત્મહત્યા ન કરે એ માટે સરકારે તાત્કાલિક પગલાંં લેવા જોઈએ.’

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘તમામ યુવાનોને મારી વિનંતી છે કે, ભૂતકાળમાં ૪૮ લોકોનું બલિદાન આપવામાં આવ્યું છે. યુવાનો આ અનામત તમારા હક અને ભવિષ્ય માટે છે. તેથી દરેકે ધીરજ રાખવી.’

રાજ્યમાં ચાર ચાર મુખ્ય પ્રધાનો આવ્યા અને ગયા. પૃથ્વીરાજ ચવ્હાણ આવ્યા, કોર્ટમાં અનામત ટકી નહીં. ફડણવીસના કાર્યકાળ દરમિયાન અનામત હાઈ કોર્ટમાં ટકી ગયું. તે ઉદ્ધવ ઠાકરેના કાર્યકાળ દરમિયાન રદ કરવામાં આવ્યું હતું. એકનાથ શિંદે આવ્યાને દોઢ વર્ષ થવા છતાં આરક્ષણ મળ્યું નથી. એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના, આપણે આ બાબતની જવાબદારી સાથે આગળ આવવું જોઈએ અને કાયમી અનામત આપવાનું નિવેદન આપવું જોઈએ. સમાજના યુવાનોનો વિશ્ર્વાસ ઊઠી ગયો છે.યુવાનો મૂંઝવણમાં છે, કારણ કે અમને જે મળે છે તે ટકાઉ નથી. તેથી સરકારે તાત્કાલિક જવાબદારી સ્વીકારવી જોઈએ’ એમ તેમણે જણાવ્યું હતુંં.

રાજ્યના ભૂતપૂવે મુખ્યપ્રધાન અશોક ચૌહાણે તેમને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું હતું કે “મરાઠા આરક્ષણ આંદોલનમાં સક્રિય રહેલા સુનીલ કાવલેને હું શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. મારી સૌને નમ્ર વિનંતી છે કે મહેરબાની કરીને આવું આત્યંતિક પગલું ન ભરો. મરાઠાઓને તેમના જીવનનો અંત લાવવાથી આરક્ષણ નહીં મળે, તેમણે લોકશાહી દ્વારા તેના માટે લડવું પડશે. આ સાથે હું કેન્દ્ર અને રાજ્ય સરકારોને પણ વિનંતી કરું છું કે તેઓ મરાઠા કાર્યકર્તાઓની આત્મહત્યાની ગંભીર નોંધ લે અને મરાઠા આરક્ષણની માગને પૂર્ણ કરવા માટે તાત્કાલિક નક્કર પગલાં ભરે.

આ મરાઠા આંદોલનકારીની આત્મહત્યાથી રાજકારણ વાતાવરણ વધુ ગરમાય તેવી શક્યતા છે. આ અંગે સરકાર સ્તરે શું નિર્ણય લેવામાં આવે છે તે જોવું અગત્યનું રહેશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…