પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં TTP ના 6 આતંકવાદી ઠાર; 7 બાળકો સહિત 12 લોકોના મોત…

ઇસ્લામાબાદ: પવિત્ર રમઝાન મહિનામાં જ પાકિસ્તાનમાં આત્મઘાતી આતંકી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં 7 બાળકો સહિત 12 લોકોનાં મૃત્યુ થયા હતા. આ હુમલો એટલો ગંભીર હતો કે મસ્જિદની છત જ નીચે ધસી આવી હતી. હુમલાખોરોએ વિસ્ફોટકોથી ભરેલા બે વાહનોનો ઉપયોગ કરીને મુખ્ય છાવણીની દિવાલમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો અને તેમાં વિસ્ફોટ કર્યો હતો. આ હુમલામાં તહેરીક-એ-તાલિબાનનાં છ આતંકી માર્યા ગયા હોવાના અહેવાલો છે.
Also read : રશિયાએ 19,556 બાળકનું કર્યું અપહરણઃ ‘સુરક્ષિત’ રીતે પરત કરવાનો મુદ્દો ગાજ્યો
હુમલામાં TTPના 6 આતંકવાદી થયા ઠાર
પ્રાપ્ત વિગતો અનુસાર પાકિસ્તાની મીડિયાનાં અહેવાલ અનુસાર, આ આત્મઘાતી હુમલામાં તહેરીક-એ-તાલિબાન (TTP)ના 6 આતંકવાદીઓ માર્યા ગયા છે. મંગળવારે મોડી રાત્રે આપવામાં આવેલા એક નિવેદનમાં મંત્રાલયે જણાવ્યું હતું કે ગૃહમંત્રી મોહસીન નકવીએ છ ટીટીપી આતંકવાદીઓને ઠાર માર્યા બાદ સમયસર કાર્યવાહી કરવા અને હુમલાને નિષ્ફળ બનાવવા બદલ સુરક્ષા દળોનો આભાર માન્યો હતો.
અન્ય એક નિવેદનમાં, કેપી સરકારના પ્રવક્તા બેરિસ્ટર સૈફે કહ્યું હતું કે “સુરક્ષા દળોની સમયસર કાર્યવાહીને કારણે આતંકવાદીઓ હુમલો કરવામાં નિષ્ફળ ગયા. બધા હુમલાખોરો માર્યા ગયા છે. તેમણે કહ્યું કે વિસ્ફોટોને કારણે આસપાસની ઇમારતોની છત અને એક મસ્જિદ ધરાશાયી થઈ ગઈ.
Also read : જર્મનીમાં આતંકવાદી હુમલાની શંકા: કારચાલકે ભીડ પર કાર ચઢાવી દેતા એકનું મોત
કોણે લીધી હુમલાની જવાબદારી?
અહેવાલો અનુસાર, આત્મઘાતી હુમલાખોરોએ વિસ્ફોટકોથી ભરેલા બે વાહનોને બન્નુ છાવણીની દીવાલ સાથે અથડામણથી મોટા વિસ્ફોટ થયા હતા. ત્યારબાદ ઘણા આતંકવાદીઓએ છાવણીમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો પરંતુ સ્થળ પર હાજર સુરક્ષા દળોએ તેમનો સામનો કર્યો હતો. આ હુમલાની જવાબદારી ટીટીપીના પ્રતિબંધિત અફઘાનિસ્તાન સ્થિત હાફિઝ ગુલ બહાદુર (એચજીબી) જૂથે સ્વીકારી હોવાનો દાવો છે. ઇન્ટર સર્વિસીસ પબ્લિક રિલેશન્સે હજુ સુધી આ ઘટના પર કોઈ ટિપ્પણી કરી નથી.