નેશનલ

જમ્મુ કાશ્મીરમાં બે વર્ષમાં ૪.૪૦ કરોડ પ્રવાસીએ લીધી મુલાકાત

ટૂરિઝમ ક્ષેત્રે રોજગારી ઊભી કરવાની સંભાવના પર ઓમર અબ્દુલ્લાએ મૂક્યો ભાર

જમ્મુ: છેલ્લા બે વર્ષમાં ૧.૧૦ લાખ વિદેશીઓ સહિત ૪.૪૦ કરોડથી વધુ પ્રવાસીઓએ જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લીધી હતી, એમ મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાએ આજે વિધાનસભામાં જણાવ્યું હતું અને આ ક્ષેત્રમાં રોજગારી પેદા કરવા ક્ષેત્રની સંભાવના પર ભાર મૂક્યો હતો.

ઓમર પ્રવાસન વિભાગનો હવાલો પણ ધરાવે છે, તેમણે જણાવ્યું હતું કે છેલ્લા બે નાણાકીય વર્ષોમાં વિભાગના પ્રમોશન, જાહેરાત અને સંબંધિત પ્રવૃત્તિઓ માટે ₹ ૩૫.૦૮ કરોડ ફાળવવામાં આવ્યા છે. તેમણે ગૃહને જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં ₹૧૨.૫૪ કરોડ અને ૧૦૨૪-૨૫માં ₹ ૨,૨૫૪ કરોડ ખર્ચવામાં આવ્યા હતા.

નેશનલ કોન્ફરન્સના સભ્ય મુબારક ગુલના એક પ્રશ્નના જવાબમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં ૧.૨૦ લાખ વિદેશીઓ સહિત ૪.૪૮ કરોડ યાત્રાળુએ જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લીધી હતી.

આપણ વાંચો: જમ્મુ અને કાશ્મીરના એક ગામમાં ભેદી રોગને કારણે 17 લોકોના મોત, કેન્દ્રની ટીમ તપાસ માટે પહોંચી

તેમણે ઉમેર્યું હતું કે ૨૦૨૩માં ૨૧૧૨૪૬૭૪ પ્રવાસીએ જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લીધી હતી અને ૨૦૨૪માં ૨,૩૫,૨૪,૬૨૯ પ્રવાસીએ મુલાકાત લીધી હતી. તેમાંથી ૨૦૨૩માં ૫૫,૩૩૭ અને ૨૦૨૪માં ૬૫,૪૫૨ વિદેશી પ્રવાસીએ મુલાકાત લીધી હતી. ઓમરે કહ્યું હતું કે પર્યટન ક્ષેત્ર જમ્મુ અને કાશ્મીરના લોકો માટે રોજગારની વ્યાપક સંભાવના ધરાવે છે.

તેમણે સ્વીકાર્યું હતું કે જ્યારે સેક્ટર જમ્મુ અને કાશ્મીરમાં નોંધપાત્ર કર્મચારીઓને રોજગારી આપે છે, ત્યારે ચોક્કસ સંખ્યાની ખાતરી કરવા માટે કોઈ ઔપચારિક સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું નથી. ઓમરે ગૃહને એમ પણ જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં પ્રવાસન વિભાગની ૫૯ સંપત્તિ આઉટસોર્સ કરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button