ટોપ ન્યૂઝનેશનલ

આ પુરાવા વગર નહીં બને Passport, સરકારે નિયમમાં કર્યો બદલાવ

નવી દિલ્હીઃ વિદેશ જવા માટે પાસપોર્ટ સૌથી મોટો પુરાવો છે. તેના વગર વિદેશ પ્રવાસ કરી શકાતો નથી. પાસપોર્ટને લઈ સરકાર દ્વારા નિયમોમાં બદલાવ કરવામાં આવ્યો છે. જે મુજબ 1 ઓક્ટોબર, 2023 કે તેના પછી જન્મેલા અરજીકર્તા માટે સરકારી કે તેના સમકક્ષ અધિકારી દ્વારા આપવામાં આવેલા જન્મ પ્રમાણપત્રની જન્મ તારીખ જ માન્ય ગણાશે.

આ ઉપરાંત જે લોકો 1 ઓક્ટોબર, 2024 પહેલા જન્મેલા છે તેઓ જન્મ પ્રમાણપત્રના બદલે જન્મ તારીખ માટે ડ્રાઈવિંગ લાયસન્સ કે સ્કૂલ છોડ્યાનું પ્રમાણપત્ર જેવા વૈકલ્પિક ડોક્યુમેંટ આપીને પાસપોર્ટ બનાવી શકે છે.

કેન્દ્ર સરકાર દ્વારા આ સપ્તાહે 1980ના પાસપોર્ટ નિયમોમાં સુધારાને લાગુ કરતું એક નોટિફિકેશન જાહેર કર્યું હતું. જેમાં કહેવામાં આવ્યું હતું કે, આ સુધારા ગેજેટમાં પ્રકાશિત થયા બાદ નવા નિયમો લાગુ થઈ જશે. નવા નિયમો મુજબ 1 ઓક્ટોબર, 2023 કે તેના પછી જન્મેલા લોકોની જન્મ તિથિના પ્રમાણ માટે માત્ર જન્મ પ્રમાણપત્ર જ માન્ય રહેશે. આ તારીખ પહેલાના અરજીકર્તા વૈકલ્પિક દસ્તાવેજો જેવાકે ડ્રાયવિંગ લાયસન્સ કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર પણ જમા કરાવી શકે છે.

આ પણ વાંચો…IIT Babaનો આરોપઃ ન્યૂઝ ચેનલમાં બોલાવ્યા બાદ કરી મારામારી

ભારતમાં પાસપોર્ટ વિદેશ મંત્રાલય દ્વારા આપવામાં આવે છે. આ માટે દેશના વિવિધ રાજ્યોમાં પાસપોર્ટ સેવા કેન્દ્રો આવેલા છે. જ્યાં જઈને પાસપોર્ટ માટે અરજી કરવાની હોય છે. આ માટે કેટલાક જરૂરી દસ્તાવેજ પણ જમા કરાવવાના હોય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button