આપણું ગુજરાત

થાનગઢ હત્યા કેસ: 11 વર્ષે પણ તપાસ રીપોર્ટનો ઇંતજાર, હાઈકોર્ટે ગુજરાત સરકારને ખખડાવી

11 વર્ષ પહેલા સુરેન્દ્રનગર જીલ્લાના થાનગઢમાં પોલીસ ગોળીબારમાં ત્રણ દલિત યુવાનોના મોતની ઘટના અંગે તપાસ અહેવાલ જાહેર કરવાનો રાજ્ય સરકાર દ્વારા ઇન્કાર કરવામાં આવતા ગુજરાત હાઇકોર્ટે કડક વલણ દાખવ્યું હતું. કોર્ટે રાજ્ય સરકારને કહ્યું કે ‘જવાબ આપવાની હિંમત રાખો.’ સરકારે તપાસ અહેવાલની નકલ માંગતી અરજીનો વિરોધ કર્યો હતો. હાઈ કોર્ટે કહ્યું કે અમે જાણવા માંગીએ છીએ કે તપાસ રીપોર્ટમાં એવું તો શું છે કે રાજ્ય સરકાર કંઈ જવાબ આપવા સક્ષમ નથી.

આ હત્યાકાંડનો મામલો સપ્ટેમ્બર 2012નો છે, જ્યારે મેળામાં ઝઘડા દરમિયાન પોલીસે ગોળીબાર કર્યો હતો, જેના પરિણામે પંકજ સુમરા, મેહુલ રાઠોડ અને પ્રકાશ પરમાર નામના ત્રણ દલિત યુવકોનું મોત નીપજ્યું હતું. જનઆક્રોશ બાદ, રાજ્ય સરકારે આ ઘટનાની તપાસ માટે સમાજ કલ્યાણ વિભાગના તત્કાલીન સચિવ સંજય પ્રસાદની નિમણૂક કરી. તેમણે મુખ્ય સચિવને રિપોર્ટ સોંપ્યો. જો કે આ તપાસના તારણો જાહેર કરવામાં આવ્યા નથી.

મૃતક યુવક મેહુલ રાઠોડના પિતા વાલજીભાઈ રાઠોડે પહેલા માહિતી અધિકાર અધિનિયમ (RTI) હેઠળ રિપોર્ટ મેળવવા અરજી કરી હતી જે નકારવામાં આવતાં તેમણે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. તેઓ તપાસ રિપોર્ટ મેળવવા વારંવાર માગણી કરી રહ્યા છે.

તાજેતરની સુનાવણી દરમિયાન, અરજદારના વકીલે દલીલ કરી હતી કે રાજ્ય સરકાર RTI હેઠળ અહેવાલ આપવાનો સતત ઇનકાર કરી રહી છે અને કહેવામાં આવે છે કે અરજી વિચારણા હેઠળ છે. સરકારે અહેવાલ રાજ્યની વિધાનસભા સમક્ષ મૂકવાની માંગ કરતી અરજીનો પણ વિરોધ કર્યો છે. સરકાર કહી રહી છે કે સત્તાવાર ગુપ્ત દસ્તાવેજ જાહેર કરી શકાય નહિ. એક પિતા તેના યુવાન પુત્રને ગુમાવ્યા પછી 11 વર્ષથી રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે.

ત્યાર બાદ બાદ જસ્ટિસ વીડી નાણાવટીએ કોર્ટમાં હાજર સરકારી વકીલને સવાલ કર્યો, “સરકારે કહ્યું કે રિપોર્ટ વિચારણા હેઠળ છે, ત્યારબાદ તેનું શું થયું? રિપોર્ટનું પરિણામ શું આવ્યું? ઓછામાં ઓછું કોર્ટને જાણ કરો જેથી અમે અરજદારને શું જવાબ આપવોએ અંગે વિચારી શકીએ. એ રીપોર્ટમાં એવુંતે શું છે કે તમે કંઈપણ જવાબ આપી શકતા નથી?”

જસ્ટિસે કહ્યું કે, “બાળકના માતાપિતા અથવા વાલી તરીકે, શું કોઈ વ્યક્તિ જાણવાનો હકદાર નથી? રીપોર્ટ ગોપનીય હોઈ શકે છે, પરંતુ એક પિતા વિશે શું? જવાબ આપવાની હિંમત રાખો. “
કોર્ટે આ કેસની વધુ સુનાવણી આગામી સપ્તાહે રાખી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…