પ્રથમ મહિલા વાળંદ: શાંતાબાઈ યાદવ

ભારતની વીરાંગનાઓ -ટીના દોશી
હજામત કરતા પુરુષ વાળંદની નવાઈ નથી, પણ ઓ પલાળીને પુરુષોની દાઢી કરતી ને કાતરથી વાળ કાપતી ી વાળંદને જોઈ છે? શાંતાબાઈ શ્રીપતિ યાદવને મળો….મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લાના હસુરસાસગિરીની સિત્તેર વર્ષની શાંતાબાઈ ભારતની પ્રથમ મહિલા વાળંદ છે. ચાળીસેક વર્ષ પહેલાં પુરુષોની હજામત કરવાનું શરૂ કરનાર શાંતાબાઈ ‘શાંતાબાઈ નાઈ’ તરીકે જાણીતી. આજે દસ બાળકોની દાદી બની ગયેલી શાંતાબાઈ દાઢી કરવાના ને વાળ કાપવાના પચાસ રૂપિયા લે છે. ભેંસના વાળ કાપવાના સો રૂપિયા લે છે. દર મહિને શાંતાબાઈને ત્રણસોથી ચારસો રૂપિયાની કમાણી કરે છે. સરકાર પાસેથી છસ્સો રૂપિયા મળે છે. એ કહે છે : ‘મારી પાસે તો માત્ર જૂના ગ્રાહકો જ આવે છે. એમનું કામ કરીને જે રળી લઉં છું તે જ મારી કમાણી. જોકે મારી આવક વાસ્તવમાં પર્યાપ્ત નથી, પણ મેં અગાઉ પણ મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી બહાર નીકળવા સંઘર્ષ કર્યો છે અને ફરી પણ એવું કરી શકું છું.’
શાંતાબાઈની જીવનકથા જોઈએ તો ખબર પડે કે મુશ્કેલીઓમાંથી પાર ઊતરવા એણે અતિશય સંઘર્ષ કર્યો છે. ચાળીસેક વર્ષ પહેલાં શાંતાબાઈ એક પરંપરાગત મહિલાનું જીવન જીવતી. બાર વર્ષની ઉંમરે શાંતાબાઈનાં લગ્ન થઈ ગયેલાં. પિતા નાઈ ને પતિ શ્રીપતિ યાદવ પણ નાઈ. શ્રીપતિ પરિવાર સાથે કોલ્હાપુર જિલ્લાના અર્દલ ગામમાં રહેતો. ચાર ભાઈઓ સાથે મળીને ત્રણ એકર જમીન પર ખેતી કરતો. સાથે જ આવક વધારવા વાળંદ તરીકે પણ કામ કરતો. થોડો સમય સુધી તો બધું બરાબર ચાલ્યું, પણ પછી ભાઈઓ વચ્ચે ખટપટ શરૂ થઈ. આખરે પાંચ ભાઈઓએ ત્રણ એકર જમીન આપસમાં વહેંચી લીધી. શ્રીપતિના ભાગે એક એકરથી પણ ઓછી જમીન આવી. એટલી જમીનમાંથી થતી આવક પરિવાર માટે પૂરતી નહોતી. એથી એણે બીજાં ગામોમાં જઈને દાઢીવાળ કપાવવા હોય એવા થોડા ગ્રાહકોની શોધ આદરી. રડ્યાખડ્યા ગ્રાહકો મળતા, પણ એનાથી કાંઈ ન વળતું. અંતે શ્રીપતિએ શાહુકારો પાસેથી કરજ લેવું પડ્યું.
શ્રીપતિ બે છેડા ભેગા કરવાની ચિંતાના ચક્રવ્યૂહમાં ફસાયેલો, એ જ સમયે હસુરસાસગિરી ગામના સરપંચ હરિભાઉ કડુકર એની વહારે ધાયા. હસુરસાસગિરીમાં કોઈ વાળંદ નહોતો. ગામમાં શ્રીપતિને કમાવાની સારી તક હતી. એથી શ્રીપતિને હસુરસાસગિરીમાં વસવાનું સૂચન કર્યું. પરિણામે શ્રીપતિ અને શાંતાબાઈ નવું જીવન શરૂ કરવા માટે હસુરસાસગિરીમાં વસ્યા. પછીના દસ વર્ષમાં શાંતાબાઈએ છ દીકરીઓને જન્મ આપ્યો. પણ એમાંથી બેનું બાળપણમાં જ મૃત્યુ થઈ ગયું. શ્રીપતિ નાઈની દુકાનમાંથી સારી કમાણી કરી લેતો. પત્ની અને ચાર દીકરીઓની દેખભાળ સારી રીતે કરી શકતો. પરંતુ 1984માં, જયારે સૌથી મોટી દીકરી આઠ વર્ષની હતી અને સૌથી નાની દીકરી એક વર્ષની પણ નહોતી ત્યારે શ્રીપતિનું હૃદયરોગને પગલે અવસાન થઈ ગયું.
હવે ઘરપરિવારની જવાબદારી શાંતાબાઈને માથે આવી પડી. એનો જીવનસંઘર્ષ શરૂ થયો. ત્રણ મહિના સુધી શાંતાબાઈએ ખેતરોમાં મજૂરી કરી. દૈનિક આઠ કલાક કમરતોડ કામ કર્યું. પણ દિવસના અંતે એને મહેનતાણા પેટે માત્ર પચાસ પૈસા મળતા. ચાર દીકરીઓનું પેટ ભરવા પચાસ પૈસા પૂરતા નહોતા. દરમિયાન સરકારે શ્રીપતિની જમીનના ટુકડા બદલ પંદર હજાર રૂપિયા આપ્યા. તેમાંથી શાંતાબાઈએ શ્રીપતિએ લીધેલું કરજ ચૂકવ્યું. પેટિયું રળવા માટેનો પ્રશ્ન તો અજગરની જેમ મોં ફાડીને ઊભો જ હતો. કાળી મજૂરી કર્યા પછી પણ એ માંડ બે ટંકના ખાણાની જોગવાઈ કરી શકતી. ક્યારેક તો એ પણ ન થતું. ને ભૂખ્યા પેટે સૂવું પડતું. આખરે એ હિંમત હારી. પોતાની ચાર દીકરીઓ સાથે જીવનનો અંત આણી દેવાનો આકરો નિર્ણય લીધો.
પણ શાંતાબાઈ જીવનનો અંત આણે એ પહેલાં એની જિંદગીનો નવો આરંભ થઈ શકે એ માટે ફરી એક વાર હરિભાઉ કડુકર મસીહા બનીને આવ્યા. હરિભાઉને શાંતાબાઈની વેદના અંગે જાણ થઈ ત્યારે એમણે એને શ્રીપતિનો નાઈનો વ્યવસાય અપનાવી લેવાનું સૂચન કર્યું. શ્રીપતિના મૃત્યુ પછી ગામમાં કોઈ નાઈ નહોતો. એથી શાંતાબાઈ નાઈ બનીને કમાણી કરી શકે એમ હતી. જોકે હરિભાઉના સૂચનથી શાંતાબાઈ પહેલાં તો અચંબામાં પડી. શું કોઈ મહિલા વાળંદ તરીકે કામ કરી શકે?
શાંતાબાઈએ થોડો વિચાર કરીને હરિભાઉનો પ્રસ્તાવ સ્વીકારી લીધો. એ અંગે એણે કહેલું કે, ‘મારી પાસે માત્ર બે વિકલ્પ હતા. એક, મારી દીકરીઓ સાથે આપઘાત કરું અને જીવનથી હાર માની લઉં. બે, મારા પતિનો ઓ ઉઠાવીને જીવન સાથે સંઘર્ષ કરું. મેં બીજો વિકલ્પ સ્વીકાર્યો. શાંતાબાઈએ હજામત કરવાનો ઓ ઉઠાવી લીધો.ને ભારતની પહેલી મહિલા નાઈ બની ગઈ.
હરિભાઉ શાંતાબાઈના પહેલા ગ્રાહક બન્યા. જોકે ગામવાસીઓનો સહકાર એને ન મળ્યો. એ લોકો શાંતાબાઈની હાંસી ઉડાડતા. એની મશ્કરી કરતા. ભલુંબૂરું સંભળાવ્યું. પણ ચાર દીકરીઓને જીવાડવા શાંતાબાઈએ કમર કસી લીધેલી. ગામને મોઢે ગરણું બાંધવાનો પ્રયાસ કરવાને બદલે શાંતાબાઈએ પોતાના કામ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. પાડોશીઓ પાસે દીકરીઓને મૂકીને એ રોજ ચારપાંચ કિલોમીટર પગપાળા ચાલીને આસપાસનાં ગામોમાં ગ્રાહકોની શોધમાં જવા લાગી. ઝડપથી જ્યાં કોઈ નાઈ નહોતા એવા કદલ, હિદાદુગી અને નારેવાડી ગામના નિવાસીઓ શાંતાબાઈના ગ્રાહક બની ગયા. 1984માં શાંતાબાઈ વાળ કાપવા અને દાઢી કરવા માટે એક રૂપિયો લેતી. પછી એણે પાંચ રૂપિયામાં ગાય, ભેંસ અને બળદ જેવાં પશુઓના વાળ કાપવાનું પણ શરૂ કર્યું. અખબારોએ એની નોંધ લેવાનું શરૂ કર્યું. ત્યાર બાદ સમાજમાં પણ એને સ્વીકૃતિ મળી. શાંતાબાઈને સામે પૂર તરવાના સાહસ બદલ અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવી. એ વખતે એણે કહેલું કે, ‘ઓ માત્ર એક સાધન નથી, મારી આઝાદીનું પ્રતીક છે!’