આપણું ગુજરાત

ગુજરાત શિક્ષણ બોર્ડના ચૅરમૅનનું રાજીનામું

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન તરીકે ફરજ બજાવતા નિવૃત આઈએએસ અધિકારી એ.જે. શાહે અચાનક જ રાજીનામું આપી દીધું હતું. શિક્ષણ બોર્ડના ચૅરમૅન તરીકે સતત પાંચ વખત એક્સટેન્શન મળ્યા બાદ તેમણે ટર્મ પૂર્ણ થાય તે પહેલા જ રાજીનામું ધરી દેતા અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે.ગુજરાત સ૨કારે તાજેતરમાં જ ગુજરાત શિક્ષણ બોર્ડની ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષામાં મહત્ત્વના ફેરફાર કર્યા છે અને બે વાર પરીક્ષાની પેટર્ન તેમજ નવી પરીક્ષા પદ્ધતિ લાગુ કરી છે. ત્યારે આ મહત્ત્વના ફેરફારો સમયે જ ગુજરાત બોર્ડના ચૅરમૅને રાજીનામું ધરી દીધું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
બુધ અને સૂર્યની યુતિથી સર્જાયો બુધાદિત્ય યોગ, જલસા કરશે આ રાશિના લોકો… ટ્રેનમાં મફતમા મુસાફરી કરવી છે? શું નાળિયેરનું સેવન રોજ કરવું જોઈએ? દીપિકા અને રણવીર સિંહે લોકોની કરી બોલતી બંધ!