અમદાવાદ

ગુજરાતમાં GAS કેડરના 11 અધિકારીઓને બઢતી અપાઈ

અમદાવાદ : ગુજરાત સરકારે 11 જીએએસ કેડરના અધિકારીઓને બઢતી આપી છે. જેમાં મળતી માહિતી મુજબ વહીવટી વિભાગ દ્વારા GAS કેડરના 11 અધિકારીઓને બઢતી આપવામાં આવી છે. જેમાં અમદાવાદના સાણંદના પ્રાંત અધિકારી, રાજકોટમાં પુરવઠા અધિકારી સહિત અન્ય અધિકારીઓની બઢતી કરવામાં આવી છે. જેમાં ગાંધીનગરના સહાયક વિકાસ કમિશનર એસ.ડી. મોઢ, ગાંધીનગરના વિશેષ જમીન સંપાદન અધિકારી એ.ડી. વણઝારા, અમદાવાદ જિલ્લાના સાણંદના પ્રાંત અધિકારી ડી.બી. ટાંક સહિતના અધિકારીઓની બઢતી કરવામાં આવી છે.

આ પણ વાંચો…Ahmedabad ના ચાંગોદરમાં કલાકાર દેવાયત ખવડની કાર પર હુમલો, પોલીસે તપાસ શરૂ કરી

બે આઈએએસ અધિકારીની બદલી
રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ફરજ બજાવતા 159 બિન હથિયારધારી પીએસઆઈને વગર પરીક્ષાએ પીઆઈ તરીકે પ્રમોશન આપવામાં છે. આ તમામને બઢતી બાદ મૂળ જગ્યાએ યથાવત રાખવામાં આવ્યા છે. ત્યારે હવે 2 IAS અધિકારીની બદલી કરાઈ છે. આઇએએસ મોના ખંધાર અને આઇએએસ મનીષા ચન્દ્રાની બદલી કરાઈ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button