અમદાવાદ મનપાનું 15502 કરોડનું બજેટ જાહેર થયું, કોર્પોરેટરનાં બજેટમાં 40 લાખનો વધારો
![Mahavikas determined to defeat corrupt Aghadi state government: Venugopal](/wp-content/uploads/2024/07/AMC-780x470.webp)
AMC Budget 2025-26: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2025-26નું વાર્ષિક બજેટ મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારેસન દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. અમદાવાદ મનપાનું 15502 કરોડનું બજેટ જાહેર થયું હતું. જેમાં અલગ અલગ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષસને ડેવલપ કરવાની સાથે સાથે ઓલિમ્પિક 2036ને ધ્યાનમાં રાખીને આયોજન કરવામાં આવ્યું છે. શહેરમાં એડવાન્સ ટેક્સ ચૂકવનારને 10ના બદલે 12 ટકા રિબેટ આપવામાં આવશે.
હવે નવા વેરા માળખા મુજબ એડવાન્સના 12 ટકા તથા ઓનલાઇનનો 1% તથા જે કરદાતાએ અગાઉ સળંગ 3 વર્ષ એડવાન્સ ટેક્સ ચૂકવ્યો હોય તો તેને એડવાન્સ ટેક્ષ પેટે 12% તથા ઓનલાઇનનો 1 ટકા અને તેમાં બીજા 2% વધારાની રાહત મળીને 15 ટકા એટલે કે રૂ.15નો ફાયદો થશે.
તળાવોનો વિકાસ અને શહેરના સાર્વત્રિક વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા ચૂંટણીના વર્ષનું 2025-26ના બજેટમાં રમતગમત, સ્વચ્છતા, પર્યાવરણ, પ્લાસ્ટિક મુક્ત, ટ્રાફિક મુક્ત, આરોગ્ય, સ્લમમુક્ત, રીન્યુએબલ એનર્જી, પ્રદૂષણ મુક્ત, ડિજિટલાઈઝેશન, આત્મનિર્ભર ભારત, તળાવોનો વિકાસ અને શહેરના સાર્વત્રિક વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો છે. 8828 કરોડ રૂપિયા વિકાસ કાર્યો પાછળ ખર્ચવામાં આવશે. યુવાનોને પોતાની સ્કિલ દર્શાવી શકે તેના માટે સ્ટાર્ટ અપ ફેસ્ટિવલનું આયોજન કરવાનું ઠરાવવામાં આવ્યું હતું.
ખારીકટ કેનાલ ફેઝ 2નું નવીનીકરણ
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી અને મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ સુધારા સાથેનું બજેટ રજૂ કર્યું હતું. ખારીકટ કેનાલ ફેઝ 2નું નવીનીકરણ કરાશે. તેમજ અંગદનની જાગૃતિ માટે 1 કરોડ ચૂકવવાની જાહેરાત કરવામાં આવી હતી .શાસક પક્ષે સુધારા સાથે 1501 કરોડનો વધારો કર્યો હતો. જેમાં કમિશનરનું ડ્રાફ્ટ બજેટ 14001 કરોડનું હતું, જેમાં 1501 કરોડના સુધારા કરવામાં આવ્યા હતા. ગ્રીન અમદાવાદ અને સ્મલ મુક્ત અમદાવાદ કરવાનું બજેટમાં આયોજન કરવામાં આવ્યું હતું. મનપા બિલ્ડિંગમાં આવેલી ટ્રસ્ટ હોસ્પિટલનાં મિલકત વેરામાં 70 ટકા રીબેટ આપવામાં આવશે.
બાપુનગરમાં 10 કરોડના ખર્ચે નમો વન વિકસાવવામાં આવશે
ઘોડાસર, ઇસનપુર, લાંભા, વટવા અને દાણીલીમડા વોર્ડમાં ખારીકટ કેનાલની કામગીરી કરાશે. ટીપી રોડ પરનાં દબાણમાં આવતા મકાનની ફાળવણી માટે 100 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. બાપુનગર ખાતે 10 કરોડના ખર્ચે નમો વન વિકસાવવામાં આવશે. તેમજ સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરનાર ઝોનને 1 કરોડની રકમ વધુ ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જે વોર્ડમાં સફાઈ કામગીરી યોગ્ય કરશે તે વોર્ડને વધારા નાં 1 કરોડ ચૂકવવામાં આવશે. મનપા કોર્પોરેટરનાં બજેટમાં 40 લાખનો વધારો કરાયો છે.