રાશિફળ

રાહુ અને શુક્ર કરાવશે આ રાશિના જાતકોને બલ્લે બલ્લે, મળશે ભાગ્યનો સાથ, થશે ધનલાભ…

જ્યોતિષશાસ્ત્રમાં વિવિધ ગ્રહોના ગોચર વિશે વિસ્તારથી માહિતી આપવામાં આવી છે અને આ ગોચરની તમામ રાશિના જાતકો પર તેમ જ દેશ-દુનિયા પર અસર જોવા મળે છે. આ જ વર્ષની શરૂઆતામાં પાપી ગ્રહ રાહુ અને ગ્રહોના સેનાપતિ શુક્રની યુતિ થઈ રહી છે. રાહુ અને શુક્રની આ યુતિ અઢાર વર્ષ બાદ થઈ છે જેને કારણે કેટલીક રાશિના જાતકોના અચ્છે દિન શરૂ થવા જઈ રહ્યા છે. મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર 29મી જાન્યુઆરીના શુક્રએ મીન રાશિમાં ગોચર કર્યું હતું. મીન રાશિમાં પાપી ગ્રહ રાહુ ગોચર કરી રહ્યા છે. જેને કારણે મીન રાશિમાં શુક્ર અને રાહુની યુતિ થઈ રહી છે. શુક્ર અને રાહુની આ યુતિની અસર ત્રણ રાશિના જાતકો પર આ યુતિની અસર જોવા મળશે. આ રાશિના ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-

Rahu and Venus will make people of this zodiac sign very happy, they will get the support of luck, there will be financial gains...

મિથુન રાશિના જાતકો માટે રાહુ અને શુક્રની આ યુતિ લાભદાયી રહેશે. કરિયરમાં પ્રગતિ થશે. વેપાર અને નોકરી કરી રહેલાં લોકોને પણ આ સમયે સારા પરિણામ મળી શકે છે. નોકરી કરી રહેલાં લોકોને પ્રમોશન કે પગાર વધારો મળી શકે છે. આ રાશિના લોકોના આવકના સાધનોમાં વૃદ્ધિ થશે. ભાગ્યનો સાથ મળશે. અટકી પડેલાં કા પૂરા થશે. સુખ-સમૃદ્ધિમાં વૃદ્ધિ થશે.

Rahu and Venus will make people of this zodiac sign very happy, they will get the support of luck, there will be financial gains...

રાહુ અને શુક્રની યુતિને કારણે કર્ક રાશિના જાતકોને પણ પારાવાર લાભ થઈ રહ્યો છે. આ રાશિના જાતકોને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. આ સમય દરમિયાન બધા જ લક્ષ્ય પ્રાપ્ત થશે. નોકરી કરતા લોકો ઊંચું પદ પ્રાપ્ત કરી શકે છે. પરિણીત લોકોના સંબંધોમાં મજબૂતી આવશે. ધનની સ્થિતિ પહેલાં કરતાં સુધરશે. આર્થિક લાભ થવાની શક્યતા છે.

Rahu and Venus will make people of this zodiac sign very happy, they will get the support of luck, there will be financial gains...

મીન રાશિના જાતકો માટે આ સમયગાળો લાભ કરાવનારો રહેશે. રાહુ અને શુક્રની યુતિથી આ રાશિના જાતકો પરિવાર સાથે સારો સમય પસાર કરશે. વેપારના મામલે વિદેશ યાત્રા થઈ શકે છે. ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે. સંપત્તિથી લાભ થશે. ધનની સ્થિતિ પહેલા કરતાં સુધરશે. આકસ્મિક ધનલાભ થઈ શકે છે. વૈવાહિક જીવનમાં ખુશહાલી આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button